Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં ૧૦૦ સ્થળે ખૂલશે અટલ કૅન્ટીન, ગરીબોને પાંચ રૂપિયામાં મળશે ભોજન

દિલ્હીમાં ૧૦૦ સ્થળે ખૂલશે અટલ કૅન્ટીન, ગરીબોને પાંચ રૂપિયામાં મળશે ભોજન

Published : 26 March, 2025 12:45 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બજેટ-પ્રવચનમાં રેખા ગુપ્તાએ કહ્યું હતું કે ‘અગાઉની સરકાર અને અમારી સરકારના બજેટમાં ઘણો ફરક છે.`

રેખા ગુપ્તા

રેખા ગુપ્તા


દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ગઈ કાલે તેમની સરકારનું પહેલું બજેટ રજૂ કરતાં દિલ્હીમાં ૧૦૦ સ્થળે ૧૦૦ અટલ કૅન્ટીન બનાવવાની યોજના રજૂ કરી હતી. આ કૅન્ટીન-યોજના માટે તેમણે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ ૧૦૦ અટલ કૅન્ટીનો ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે શરૂ કરવામાં આવશે. ગયા વર્ષની ૨૫ ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતી હતી. અટલ કૅન્ટીન યોજના અંતર્ગત ગરીબોને પાંચ રૂપિયામાં ભોજનની થાળી મળશે.


બજેટ-પ્રવચનમાં રેખા ગુપ્તાએ કહ્યું હતું કે ‘અગાઉની સરકાર અને અમારી સરકારના બજેટમાં ઘણો ફરક છે. તેઓ માત્ર જાહેરાતો કરતા હતા, પણ અમે વચન નિભાવીએ છીએ. તેમણે પોતાના માટે શીશમહેલ બનાવ્યો હતો પણ અમે ગરીબો માટે ઘર બનાવીશું.’


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2025 12:45 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK