Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMC અને મુંબઈ પોલીસે કરી છે વિસર્જનની જડબેસલાક તૈયારી

BMC અને મુંબઈ પોલીસે કરી છે વિસર્જનની જડબેસલાક તૈયારી

17 September, 2024 06:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિસર્જન વખતે શહેરના બીચ પર 48 મોટરબોટ તૈયાર રાખવામાં આવી છે.

ગિરગામ ચોપાટી પર ગઈ કાલે વિસર્જનની તડામાર તૈયારી. તસવીરો : આશિષ રાજે

ગિરગામ ચોપાટી પર ગઈ કાલે વિસર્જનની તડામાર તૈયારી. તસવીરો : આશિષ રાજે



આજે રિલૅક્સ થઈને ફોટો-વોટો પાડી લઈએ, કાલે તો ખડેપગે રહેવું પડશે



ગિરગામ ચોપાટી પર ગઈ કાલે આ મહિલા કૉન્સ્ટેબલો જાણે આવું કહીને હળવાશની પળો માણી રહી હતી. તસવીર : આશિષ રાજે


આજે થનારા ગણપતિબાપ્પાની મૂર્તિના વિસર્જન માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને મુંબઈ પોલીસે જોરદાર તૈયારીઓ કરી છે જેમાં શહેરમાં દરેક જગ્યાએ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગણરાયાની મૂર્તિ જે રસ્તે વિસર્જન માટે જવાની છે એ તમામ જગ્યાએ ટ્રાફિકનું નિયમન કઈ રીતે કરવું એનું પણ આયોજન કરી દીધું છે.


ગિરગામ ચોપાટી પર વિસર્જન માટે કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા. તસવીર : આશિષ રાજે

24,628- આજે વિસર્જન દરમ્યાન આખા શહેરમાં ૯ ઍડિશનલ કમિશનર, ૪૦ ડેપ્યુટી કમિશનર, ૫૬ અસિસ્ટન્ટ કમિશનર, ૪૦૧૩ પોલીસ-ઇન્સ્પેક્ટર અને ૨૦,૫૧૦ પોલીસ-કૉન્સ્ટેબલ સહિત મુંબઈ પોલીસના કુલ આટલા જવાનો બંદોબસ્ત માટે તહેનાત હશે. 

12,000 - BMCના આટલા કર્મચારીઓ ગણેશભક્તોની સેવા માટે ખડેપગે હાજર રહેશે.

71- ગણપતિબાપ્પાની મૂર્તિઓનું કોઈ પણ વિઘ્ન વગર વિસર્જન પાર પડે એ માટે આટલા કન્ટ્રોલરૂમ બનાવવામાં આવ્યા છે.

69- મુંબઈમાં તમામ દરિયાકિનારા અને નાનાં-મોટાં તળાવ સહિત કુલ આટલી જગ્યાએ વિસર્જન થશે.

204- ભક્તોની સુવિધા માટે આટલી જગ્યાએ BMCએ કૃત્રિમ વિસર્જન-સ્થળ ઊભાં કર્યાં છે.

163- શહેરમાં ગણેશભક્તોએ અર્પણ કરેલાં ફૂલહાર જમા કરવા માટે આટલા નિર્માલ્ય કળશ મૂકવામાં આવ્યા છે.

761- શહેરમાં જુદા-જુદા બીચ પર કુલ આટલા લાઇફગાર્ડ‍્સ તહેનાત કરવામાં આવ્યા છે.

48- વિસર્જન વખતે શહેરના બીચ પર આટલી મોટરબોટ તૈયાર રાખવામાં આવી છે.

67- વિસર્જન માટે આરોગ્ય વિભાગે આટલી ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી રાખી છે.

2500- ટ્રાફિક-પોલીસના આટલા જવાનો વિસર્જન વખતે ટ્રાફિકનું નિયમન કરશે.

8000- આટલા CCTV કૅમેરાની મદદથી વિસર્જન પર નજર રાખવામાં આવશે.

127- નાગરિકોની સુવિધા માટે આટલાં મોબાઇલ ટૉઇલેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2024 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK