Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડમાં શ્રી નવકાર મહામંત્ર ચોકનું ઉદ્ઘાટન થયું

મુલુંડમાં શ્રી નવકાર મહામંત્ર ચોકનું ઉદ્ઘાટન થયું

Published : 08 December, 2025 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુલુંડ-વેસ્ટના સર્વોદયનગરમાં રાજા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ નજીક શ્રી નવકાર મહામંત્ર ચોકનું ગઈ કાલે ઉદ્ઘાટન થયું હતું.

જૈન આગેવાનોએ વિધાનસભ્ય મિહિર કોટેચાના કામની પ્રસંશા કરીને તેમનો આભાર માન્યો હતો.

જૈન આગેવાનોએ વિધાનસભ્ય મિહિર કોટેચાના કામની પ્રસંશા કરીને તેમનો આભાર માન્યો હતો.


મુલુંડ-વેસ્ટના સર્વોદયનગરમાં રાજા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ નજીક શ્રી નવકાર મહામંત્ર ચોકનું ગઈ કાલે ઉદ્ઘાટન થયું હતું. સર્વોદયનગર દેરાસરમાં બિરાજમાન સાધુભગવંતના હાથે આ ચોકનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે મુલુંડ ઝવેર રોડ જૈન સંઘ, તાંબેનગર જૈન સંઘ, વર્ધમાનનગર જૈન સંઘ અને વીણાનગર જૈન સંઘના હાલના પ્રતિનિધિઓ તેમ જ મોટી સંખ્યામાં જૈન સમુદાયના નાગરિકો હાજર રહ્યા હતા. મુલુંડના જૈન સમુદાયના લોકો દ્વારા લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી હતી કે આ ચોકને શ્રી નવકાર મહામંત્ર ચોક નામ આપવામાં આવે એ પૂરી થતાં જૈન સમાજમાં આનંદની લાગણી જોવા મળી હતી. જૈન આગેવાનોએ વિધાનસભ્ય મિહિર કોટેચાના કામની પ્રસંશા કરીને તેમનો આભાર માન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK