સૈફ અલી ખાન કેસમાં મુંબઈ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. હવે પોલીસના હવાલે સૈફ પર અટેકની સંપૂર્ણ માહિતી, એક-એક કડી સામે આવી છે, તે પણ ટાઈમલાઈન સાથે. ચાર્જશીટમાં ફૉરેન્સિક લૅબનો રિપૉર્ટ પણ છે.
સૈફ અલી ખાન
સૈફ અલી ખાન કેસમાં મુંબઈ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. હવે પોલીસના હવાલે સૈફ પર અટેકની સંપૂર્ણ માહિતી, એક-એક કડી સામે આવી છે, તે પણ ટાઈમલાઈન સાથે. ચાર્જશીટમાં ફૉરેન્સિક લૅબનો રિપૉર્ટ પણ છે. પોલીસ પ્રમાણે, ફિંગરપ્રિન્ટ આરોપી શરીફુલ સાથે મેચ કરવામાં આવ્યા. તો ક્રાઈમ બાદ શરીફુલે શું કર્યું તેની માહિતી પણ સામે આવી છે.
આ ચાર્જશીટમાં પોલીસને ધરપકડાયેલ આરોપી શરફુલ ઇસ્લામ વિરદ્ધ મળેલા અનેક પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા છે. આ ચાર્જશીટ 1600 પાનાથી પણ વધારે લાંબી છે. આમાં ફૉરેન્સિક લૅબના રિપૉર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે સૈફ અલી ખાનની બૉડી, ક્રાઈમ સીન અને આરોપી પાસે મળેલો ટુકડો, ત્રણેય એક જ ચપ્પૂના છે. તપાસ દરમિયાન પોલીસને મળેલા આરોપીના ડાબા હાથના ફિંગરપ્રિન્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આરોપી શરીફુલ દાદરાથી પહોંચ્યો સૈફના ઘરે
શરીફુલે મેઇન બિલ્ડિંગના ગેટમાંથી ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો પણ એવું ન કરી શક્યો કારણકે ગેટ પર ફિંગરપ્રિન્ટ રેકગ્નિશન સિસ્ટમ હતી. ત્યાર બાદ તે ડક્ટ એરિયાથી બિલ્ડિંગ પર ચડ્યો અને ફર્સ્ટ ફ્લોર પર પહોંચ્યો. ત્યાંથી સીડી માર્ગે સૈફના અપાર્ટમેન્ટમાં દાખલ થયો. તે 8 ફ્લોર સીડીઓ પરથી ચડ્યો. મુંબઈ પોલીસની ચાર્જશીટ પ્રમાણે, આરોપી શરીફુલના બૅગમાં એક હેક્સા બ્લેડ, ચપ્પૂ અને હથોડી હતી. તેણે સૈફના ઘરની કૅરટેકર ઇલિયામા ફિલિપ પર ચપ્પૂથી હુમલો કર્યો અને એક કરોડ રૂપિયા માગ્યા.
હુમલા બાદ ખાધા ભુર્જી-પાઉં
સૈફના ઘરમાંથી બહાર નીકળીને આરોપી બાંદ્રા વેસ્ટ નેશનલ કૉલેજ બસ સ્ટૉપ પહોંચ્યો. ત્યાં તેણે કપડાં બદલ્યા અને રાત વિતાવી. તે સવારે 7 વાગ્યા સુધી ઊંઘતો રહ્યો. બીજા દિવસે સવારે તે બાન્દ્રાના તળાવ વિસ્તારમાં પહોંચ્યો, જ્યાં ચપ્પૂ અને પહેરેલા કપડાં ફેંકી દીધા. 20 મિનિટ સુધી બાન્દ્રા પોલીસ સ્ટેશનની બહાર ફરતો હતો. વરસાદ પડવા માંડ્યો અને તે દાદર તરફ ચાલ્યો ગયો. ત્યાં કેટલીક વસ્તુઓ ખરીદી, જેમાં હેડફોન પણ હતા. શરીફલે ભુર્જીપાઉં ખાધા. ત્યાર બાદ તે વરલી ચાલ્યો ગયો. પોલીસે જણાવ્યું કે ડક્ટ એરિયા પર મળેલા ફિંગરપ્રિન્ટ્સ શરીફુલના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેચ કરવામાં આવ્યા.
હુમલા બાદ નજીકની ઇમારતમાં છુપાયો
અભિનેતા સૈફ અલી ખાન પર તેમના બાન્દ્રા સ્થિત ઘરમાં હુમલો કરવાના આરોપી બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ શરીફુલ ઇસ્લામ હુમલા બાદ લગભગ એક કલાક સુધી નજીકની ઇમારતમાં છુપાઇ રહ્યો હતો. આ ખુલાસો બાન્દ્રા પોલીસે ચાર્જશીટમાં કર્યો છે. પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું કે તેમને સીસીટીવી ફુટેજ મળી છે, જેમાં શરીફુલને 16 જાન્યુઆરીની રાતે 1.37 વાગ્યે સૈફ અલી ખાનના ઘરની ઇમારત સત્ગુરુ શરણના છઠ્ઠા માળે જોવામાં આવ્યો હતો. લગભગ એક કલાક બાદ, રાતે 2.33 વાગ્યે, તે દીવાલ કૂદીને નજીકની ઈમારત ભારતી વિલામાં કૂદતો જોવા મળ્યો. તે સમયે પોલીસ સતગુરુ શરણ પરિસરમાં તેને શોધી રહી હતી.
ત્યાર બાદ સીસીટીવીમાં શરીફુલને સવારે 3.37 વાગ્યે ભારતી વિલામાંથી નીકળતો જોવામાં આવ્યો. પછી સવારે 7.04 વાગ્યે, તે બાન્દ્રા વેસ્ટના પટવર્ધન ગાર્ડનમાં દેખાયો અને પછી બાન્દ્રા સ્ટેશનથી લોકલ ટ્રેન પકડીને દાદર ગયો. પોલીસે અનેક સીસીટીવી ફુટેજ જોયા, જેમાંથી 6 સીસીટીવીને ખાસ માનવામાં આવ્યા છે અને ચાર્જશીટમાં તેનો ઉલ્લેખ છે.
48 સાક્ષીઓના નિવેદન દાખલ
ચાર્જશીટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 15 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી પોણા સાત વાગ્યા વચ્ચે શરીફુલને સતગુરુ શરણ પાસેની ઇમારતો, ભારતી વિલા અને નેક્સ્ટ એવેન્યૂના સીસીટીવીમાં જોવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે તે ક્રાઈમસીનની રેકી કરી રહ્યો હતો. ફુટેજમાં શરીફુલને ઉપરના માળ અને ફ્લેટની તરફ જોતો જોવામાં આવ્યો. પોલીસે આ મામલે 48 સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે, જેમાંથી સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ખાન પણ સામેલ છે.
શું કહ્યું સૈફ અલી ખાને?
ચાર્જશીટ પ્રમાણે, સૈફે પોલીસને જણાવ્યું, તે દિવસે હું સાંજે સાડા સાત વાગ્યે મારા દીકરાઓ સાથે જમ્યો. રાતે 10 વાગ્યે હું મારા બેડરૂમમાં ગયો. મારી પત્ની કરીના કામથી રાતે દોઢ વાગ્યે ઘરે આવી. જ્યારે અમે ઊંઘી રહ્યા હતા, લગભગ 2 વાગ્યે જેહની નેની અમારા બેડરૂમના દરવાજે આવી અને ગભરાઈને કહ્યું કે એક માણસ ચપ્પૂ લઈને જેહના રૂમમાં ઘુસી આવ્યો છે. ત્યાર બાદ સૈફ અને આરોપી શરીફુલ વચ્ચે ઝપાઝપી થઈ. સૈફે પોલીસને જણાવ્યું કે આરોપીએ તેને સામેથી પકડી લીધો અને પછી બન્ને હાથમાં ચપ્પૂ લઈને તેની ડોક, પીઠ, હાથ, છાતી અને પગ પર હુમલો કરવા માંડ્યો.
જ્યારે નૈની ગીતાએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો. સૈફે આરોપીને ધક્કો માર્યો, જેના કારણે તે પડી ગયો. પછી સૈફ અને ગીતા રૂમમાંથી બહાર આવ્યા અને બહારથી દરવાજો બંધ કરી દીધો. બાદમાં જ્યારે તેઓએ આરોપીની શોધખોળ કરી, ત્યારે તે મળ્યો ન હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી એ જ રસ્તેથી બહાર ગયો હતો જે રસ્તેથી તે ઘરમાં પ્રવેશ્યો હતો, એટલે કે જેહના રૂમમાં બાથરૂમ.
`હુમલાખોરને ભૂલી જાઓ, ચાલો પહેલા હોસ્પિટલ જઈએ`
પોલીસને આપેલા નિવેદનમાં કરીનાએ કહ્યું કે જ્યારે તે અને સૈફ જેહના રૂમમાં પહોંચ્યા, ત્યારે તેમણે કાળા ટી-શર્ટ પહેરેલા એક માણસને તેમના પુત્રના પલંગ પાસે ઊભો જોયો. જ્યારે આરોપીએ તેના પર હુમલો કર્યો ત્યારે સૈફે તે માણસને પૂછ્યું કે તે કોણ છે અને તે શું ઇચ્છે છે. હુમલો રોકવા માટે, સૈફે આરોપીને પકડી લીધો, પરંતુ તેણે છરીથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું. કરીનાએ કહ્યું, “પછી મેં કેરટેકર એલિયામ્માને જેહને રૂમમાંથી બહાર કાઢવા કહ્યું.
આ પછી કરીના, અલ્યામ્મા અને જેહ ૧૨મા માળે રહેવા ગયા. થોડીવાર પછી, સૈફ તેના લોહીથી ખરડાયેલા કુર્તા પહેરીને ત્યાં પહોંચ્યો. કરીનાએ જોયું કે સૈફ આરોપી પર હુમલો કરવા માટે કંઈક શોધી રહ્યો હતો, પરંતુ તેણે સૈફને તાત્કાલિક હોસ્પિટલમાં જવાનું સૂચન કર્યું કારણ કે તે ગંભીર રીતે ઘાયલ હતો. તૈમૂરે આગ્રહ કર્યો કે તે સૈફ સાથે હોસ્પિટલમાં પણ જશે. ત્યારબાદ સ્ટાફ મેમ્બર હરી અને તૈમૂર સૈફ સાથે ઓટો રિક્ષા દ્વારા બાંદ્રાની લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા.
બિલ્ડિંગના ચોકીદારે શું કહ્યું?
ચાર્જશીટમાં બિલ્ડિંગના ચોકીદાર સુરેશ કુમાર યાદવનું નિવેદન પણ શામેલ છે, જેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમણે સૌપ્રથમ રાત્રે 2:30 વાગ્યાની આસપાસ હંગામો સાંભળ્યો હતો, જ્યારે ખાન પરિવાર અને તેમના સ્ટાફના સભ્યો ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા અને સૈફને ઘાયલ હાલતમાં પડેલો જોયો.
એકત્રિત કરેલા પુરાવા
ચાર્જશીટ મુજબ, પોલીસે ગુનાના સ્થળેથી 29 લોહીના નમૂના અને આરોપીના 20 ફિંગરપ્રિન્ટ્સ એકત્રિત કર્યા હતા, જેમાં આઠમા માળે લાકડાના દરવાજા પર મળેલા ડાબા હાથના નિશાનનો પણ સમાવેશ થાય છે. પરિસરમાં પ્રવેશ્યા પછી, આરોપી પાઇપની મદદથી પહેલા માળે ચઢ્યો અને પછી સીડીનો ઉપયોગ કરીને 11મા માળે પહોંચ્યો. તેણે ચોરી કરવા માટે દરેક માળના દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો, અને અંતે ખાન પરિવારના ડુપ્લેક્સ ફ્લેટ (૧૧મા અને ૧૨મા માળ) પર પહોંચ્યો.
આરોપીના ટી-શર્ટ પર સૈફનું લોહી
પોલીસે કુલ 73 વસ્તુઓ જપ્ત કરી છે. આરોપીના ટી-શર્ટ પર સૈફનું લોહી જોવા મળ્યું હતું, જ્યારે હુમલામાં વપરાયેલા છરીઓ પર બાળકોની આયાનું લોહી જોવા મળ્યું હતું. બંનેના ડીએનએ નમૂનાઓ મેચ થઈ ગયા છે. વધુમાં, આરોપી દ્વારા લોહી લૂછવા માટે ઉપયોગમાં લેવાયેલ ટીશ્યુ પણ લિફ્ટ પાસે મળી આવ્યું હતું જેના પર લોહીના ડાઘ હતા અને તે પણ રિપોર્ટ સાથે મેળ ખાય છે.
પોલીસે આરોપીનું બાંગ્લાદેશી મતદાર ઓળખ કાર્ડ અને બંગાળીમાં લખેલા અન્ય દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન, આરોપીની ઓળખ મોહમ્મદ શરીફુલ સજ્જાદ રૂહુલ અમીન ફકીર (ઉંમર 30 વર્ષ), ગામ રાજાબારિયા, જીલોકાઠી, બારીશાલ રાજ્ય, બાંગ્લાદેશના રહેવાસી તરીકે થઈ હતી.
હુમલાના 12 કલાક પહેલા રેકી
આરોપી હુમલા પહેલા 12 કલાક સુધી ખાર પશ્ચિમમાં સૈફ અલી ખાનના સદગુરુ એપાર્ટમેન્ટની રેકી કરી રહ્યો હતો. શરીફુલ ઇસ્લામને ખબર નહોતી કે સૈફનું ઘર અહીં છે. તે કોઈ ધનવાન માણસના ઘરમાં લૂંટ કરવા માટે ઘૂસી જવા માંગતો હતો. ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં મહત્વપૂર્ણ ખુલાસાઓ થયા છે. ચાર્જશીટમાં ઓટો ડ્રાઈવર ધનંજય ચૈનીનું નિવેદન નોંધવામાં આવ્યું છે, જેમણે કહ્યું હતું કે તેણે હુમલાના 12 કલાક પહેલા જ આરોપી શરીફુલ ફકીરને સૈફ અલી ખાનના નિવાસસ્થાન `સતગુરુ શરણ` પાસે છોડી દીધો હતો.
ઓટો ડ્રાઈવરે નિવેદન આપ્યું
ઓટો ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે તેને શરીફુલ યાદ આવ્યો કારણ કે બાંદ્રા સ્ટેશનથી ફોર્ચ્યુન હાઇટ્સનું ભાડું 23 રૂપિયા હતું, પરંતુ આરોપીએ તેને 50 રૂપિયા આપ્યા અને બાકીના પૈસા પાછા માંગ્યા નહીં. આરોપી ઉત્તરા જે જગ્યાએ હતી તે અભિનેતા સૈફ અલી ખાનના ઘરથી માત્ર 78 મીટર દૂર હતી.
અનેક સીસીટીવી ફૂટેજ જપ્ત કરવામાં આવ્યા છે
પોલીસે ઘટના સંબંધિત અનેક સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે. એક ફૂટેજમાં, શરીફુલ 15 જાન્યુઆરીના રોજ બપોરે 1 વાગ્યે ફોર્ચ્યુન હાઇટ્સ નજીક નીચે ઉતરતો જોવા મળે છે. આ પછી, તે વિસ્તારમાં ફરતો અને સદગુરુ શરણ બિલ્ડિંગમાં પ્રવેશતો કેમેરામાં પણ કેદ થયો હતો. ૧૬ જાન્યુઆરીની રાત્રે, તે ૧:૩૭ વાગ્યે સીડી ચઢતો અને ૨:૩૭ વાગ્યે નીચે ઉતરતો જોવા મળ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, શરીફુલે 15 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યાથી સાંજે 6:45 વાગ્યા સુધી વિસ્તારની રેકી કરી હતી. આ પછી, તેણે તે જ રાત્રે સતગુરુ શરણ ભવનને નિશાન બનાવ્યું. ૧૬ જાન્યુઆરીના રોજ, સવારે ૩:૩૭ વાગ્યે, આરોપી સતગુરુ શરણને અડીને આવેલી દિવાલ પર ચઢીને ભારતી વિલા બિલ્ડિંગ પરિસરમાંથી ભાગી જતો જોવા મળ્યો.
પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા
આરોપી શરીફુલ ઇસ્લામે પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે સ્વીકાર્યું કે તેણે ભારતીય નાગરિકતા મેળવવા માટે ગુનાનો માર્ગ પસંદ કર્યો હતો. ચાર્જશીટ મુજબ, આરોપીનો ઉદ્દેશ્ય પૈસા એકઠા કરીને આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ બનાવવાનો હતો. પૂછપરછ દરમિયાન શરીફુલે જણાવ્યું કે તેના એક સાથીએ આ દસ્તાવેજો ગોઠવવા બદલ 30,000 રૂપિયા માંગ્યા હતા.
શરીફુલનો ભારતમાં પ્રવેશવાનો મુખ્ય હેતુ ભારતીય પાસપોર્ટ મેળવવાનો હતો, જે આંતરરાષ્ટ્રીય સ્તરે બાંગ્લાદેશી પાસપોર્ટ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, ખાસ કરીને વર્ક વિઝા મેળવવા માટે.
રહેણાંક ઇમારતોને નિશાન બનાવવામાં આવી હતી
ચાર્જશીટ મુજબ, શરીફુલ શહઝાદે પોલીસને એમ પણ કહ્યું હતું કે તેણે મોટી રકમની લૂંટ સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થિત રીતે એવા રહેણાંક મકાનોને નિશાન બનાવ્યા હતા જ્યાં સમૃદ્ધ લોકો રહેતા હતા. થાણેના હિરાનંદાની એસ્ટેટમાંથી ધરપકડ થયા બાદ આરોપીના ઇરાદા જાહેર થયા.
આ મામલે માત્ર હુમલા પૂરતો સીમિત નથી, પણ આ ગેરકાયદેસરની નાગરિકતા હાંસલ કરવા માટે ચાલતા સંગઠિત રેકેટની પણ ઝલક આપે છે. તપાસ અધિકારી અજય લિંગનુરકર પ્રમાણે, આરોપીએ ભારતમાં દાખલ થવાથી માંડીને દસ્તાવેજ મેળવી લેવા માટેની આખી પ્રક્રિયા માટે દલાલ નેટવર્કનો સહારો લીધો હતો.

