Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નોકરી ઊભી કરવાની મુખ્ય પ્રધાનની યોજનાનો ૧૦૦ ટકા ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો

નોકરી ઊભી કરવાની મુખ્ય પ્રધાનની યોજનાનો ૧૦૦ ટકા ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો

Published : 12 April, 2025 12:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાલઘરનાં કલેક્ટર ઇન્દુ રાણી જાખરે કહ્યું… નોકરી ઊભી કરવાની મુખ્ય પ્રધાનની યોજનાનો ૧૦૦ ટકા ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો

ઇન્દુ રાણી જાખર

ઇન્દુ રાણી જાખર


પાલઘર જિલ્લાનાં કલેક્ટર ઇન્દુ રાણી જાખરે ગઈ કાલે જાહેર કર્યું હતું કે જિલ્લામાં નોકરી ઊભી કરવાની મુખ્ય પ્રધાનની ૨૦૦૦ કરોડ રૂપિયાની યોજના ૧૦૦ ટકા પૂરી કરવામાં આવી છે. પાલઘર જિલ્લામાં ઇન્ડસ્ટ્રી માટે સારું વાતાવરણ હોવાથી અહીં રોકાણ કરવા માટે ૧૬૧ કંપનીઓએ રાજ્ય સરકાર સાથે ૨૨૫૮ કરોડ રૂપિયાના કરાર કર્યા છે. એમાં ૬૦૦૦થી વધુ લોકોને નોકરી મળશે. પાલઘર જિલ્લામાં ઑન્ટ્રપ્રનર્સની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે વિવિધ વિભાગના અધિકારીઓને કો-ઑર્ડિનેશન કરવાનું અને તેમને રોકાણકારો સરળતાથી તમામ પ્રકારનાં લાઇસન્સ મેળવી શકે એ માટે સિંગલ વિન્ડો સિસ્ટમને પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવ્યું છે. પાલઘરમાંથી સ્ટીલ, કેમિકલ સહિતનાં ઉત્પાદનોની મોટા પાયે નિકાસ કરવામાં આવે છે એટલે કોંકણ વિભાગ રાજ્યમાં નિકાસમાં અગ્રસર છે.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2025 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK