Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુંડાઓને મુંબઈથી ૧૦ વાગ્યા બાદ લાવવામાં આવ્યા હતા

ગુંડાઓને મુંબઈથી ૧૦ વાગ્યા બાદ લાવવામાં આવ્યા હતા

22 August, 2024 09:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બદલાપુરમાં મંગળવારે થયેલા વિરોધ-પ્રદર્શન વિશે ચિત્રા વાઘે કહ્યું...

BJPના વિધાનસભ્ય કિસન કથોરે અને મહિલા નેતા ચિત્રા વાઘે બદલાપુરની ગઈ કાલે મુલાકાત લીધી હતી.

BJPના વિધાનસભ્ય કિસન કથોરે અને મહિલા નેતા ચિત્રા વાઘે બદલાપુરની ગઈ કાલે મુલાકાત લીધી હતી.


બદલાપુરની સ્કૂલમાં બે બાળકીના વિનયભંગ બાદ પોલીસે ફરિયાદ લેવામાં મોડું કરવાના વિરોધમાં મંગળવારે રેલવે-સ્ટેશન અને સ્કૂલની બહાર આંદોલન કરવામાં આવ્યું હતું. કલાકો સુધી ટ્રેનો રોકી દેવાની સાથે સ્કૂલની મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ગઈ કાલે આ ઘટના વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુરબાડના વિધાનસભ્ય કિસન કથોરે અને મહિલા નેતા ચિત્રા વાઘે બદલાપુરની મુલાકાત લીધી હતી. બાદમાં ચિત્રા વાઘે કહ્યું હતું કે ‘આ બનાવ કમનસીબ છે, પણ આંદોલકો પાસે લાડકી બહિણ યોજના રદ કરવાનાં બૅનર ક્યાંથી આવ્યાં? મને સમજાયું જ નહીં કે મામલો શું હતો અને લોકો સરકારની યોજનાનો વિરોધ કેમ કરી રહ્યા હતા. અમારી તપાસમાં જણાયું છે કે બદલાપુરમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ જ નહીં; ચેમ્બુર, થાણે અને નવી મુંબઈમાંથી લોકોને ૧૦ વાગ્યા બાદ બોલાવવામાં આવ્યા હતા. તેમણે ટ્રૅક પર આવીને ટ્રેનો અટકાવી હતી. આ લોકોને બદલાપુરની ઘટના સાથે શું સંબંધ છે અને તેમને અહીં કોણ લાવ્યું હતું એ થોડા સમયમાં બહાર આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2024 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK