તાજેતરમાં, મહારાષ્ટ્ર સરકારે ગણેશોત્સવને રાજ્ય ઉત્સવ તરીકે જાહેર કર્યો છે, જેના પગલે BMC એ જાહેર ગણેશ મંડળો માટે તમામ જરૂરી પરવાનગીઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે.
ગણેશોત્સવ (ફાઈલ તસવીર)
ગણેશોત્સવમાં હવે થોડાંક જ દિવસ બાકી છે, એવામાં મુંબઈમાં ગણેશોત્સવના મંડળોમાં તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. આ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે બીએમસીએ પોતાની વેબસાઈટ પોર્ટલ ડૉટ એમસીજીએમ ડૉટ જીઓવી ડૉટ ઇન પર એક કમ્પ્યુટરપર સિંગલ-વિંડો યોજનાના માધ્યમે મંડપ માટે અનુમતિ આપવાનું શરૂ કરી દીધું છે. (Single window for Ganeshotsav mandal permits here`s how to apply online)
ગણેશોત્સવને રાજ્યોત્સવ તરીકે કર્યો જાહેર
તાજેતરમાં, મહારાષ્ટ્ર સરકારે ગણેશોત્સવને રાજ્ય ઉત્સવ તરીકે જાહેર કર્યો છે, જેના પગલે BMC એ જાહેર ગણેશ મંડળો માટે તમામ જરૂરી પરવાનગીઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે. હજારો મંડળો જાહેર અથવા ખાનગી જમીન પર મંડપો બનાવે છે, અને આ નવી સિસ્ટમ તેમને BMC પોર્ટલ પર `નાગરિકો માટે` વિભાગ હેઠળ સરળતાથી અરજીઓ સબમિટ કરવાની મંજૂરી આપે છે.
ADVERTISEMENT
એકવાર અરજી ઓનલાઈન સબમિટ થઈ જાય, પછી મંડળોને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માટે પોલીસ સ્ટેશન કે ટ્રાફિક પોલીસના ચક્કર લગાવવાની જરૂર નથી, કારણ કે આ પ્રક્રિયા વિભાગીય અને પ્રાદેશિક મ્યુનિસિપલ અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.
907 ટન મફત શાડુ માટીનું વિતરણ
પર્યાવરણને અનુકૂળ ઉજવણીને પ્રોત્સાહન આપવા માટે, BMC એ 907 ટન મફત શાડુ માટીનું વિતરણ કર્યું છે અને 979 મૂર્તિ નિર્માતાઓને કામચલાઉ મંડપો માટે જગ્યા ફાળવી છે. આ ઉપરાંત, તેઓએ કોંકણ વિભાગીય કમિશનરને શાડુ માટીનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને ત્યાં મૂર્તિ નિર્માતાઓને સહાય પૂરી પાડવા વિનંતી કરી છે.
BMC એ અસરકારક તકનીકોનો ઉપયોગ કરીને ખાડા-મુક્ત મંડપો બનાવવા માટે પણ મંડળોને વિનંતી કરી છે. જો કોઈ ખાડા જોવા મળશે, તો સમારકામનો ખર્ચ અને દંડ સંબંધિત મંડળ પાસેથી વસૂલ કરવામાં આવશે. છેલ્લે, નાગરિક સંસ્થા તમામ મંડળોને ટકાઉ અને જવાબદાર ઉજવણી સુનિશ્ચિત કરવા માટે મૂર્તિઓ અને સજાવટ બંને માટે પર્યાવરણને અનુકૂળ સામગ્રી અપનાવવા અપીલ કરે છે.
મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટમાં એક સોગંદનામું આપ્યું છે કે તે બધી ઘરેલુ ગણપતિ મૂર્તિઓનું વિસર્જન ફક્ત કૃત્રિમ તળાવોમાં જ કરશે, મહારાષ્ટ્ર સંસ્કૃતિ મંત્રાલયના એક સત્તાવાર નિવેદન અનુસાર, ગણેશોત્સવ મંડળોની મોટી મૂર્તિઓનું 100 વર્ષથી વધુ જૂની પરંપરા મુજબ સમુદ્રમાં વિસર્જન કરવામાં આવશે. સોગંદનામા અનુસાર, રાજ્ય સરકારે પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) મૂર્તિઓના દરિયામાં વિસર્જનથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે અનેક ઉપાયાત્મક પગલાં લેવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. હાઈકોર્ટમાં આપવામાં આવેલા સોગંદનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ વૈજ્ઞાનિક અનિલ કાકોડકરની આગેવાની હેઠળની સમિતિની ભલામણને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકમાન્ય તિલક દ્વારા 1893 માં જાહેર ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવી
આ મામલાની સુનાવણી આવતીકાલે બોમ્બે હાઈકોર્ટમાં થશે. વિધાનસભામાં નિવેદન આપતા મંત્રી આશિષ શેલારે જણાવ્યું હતું કે, "મહારાષ્ટ્રમાં જાહેર ગણેશોત્સવ ૧૮૯૩માં લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ તહેવાર સામાજિક, રાષ્ટ્રીય અને ભાષાકીય ગૌરવ તેમજ સ્વતંત્રતા અને આત્મસન્માન સાથે ઊંડો જોડાયેલો છે. તે આજે પણ એ જ ભાવનાથી ચાલુ છે. તે મહારાષ્ટ્ર માટે ગર્વ અને સન્માનની વાત છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર આ તહેવારના સાંસ્કૃતિક મહત્વ અને વૈશ્વિક હાજરીને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે કેટલાક વ્યક્તિઓએ વિવિધ કારણોસર વિવિધ અદાલતોમાં ગણેશોત્સવની પરંપરાગત જાહેર ઉજવણીને પડકારવાનો પ્રયાસ કર્યો છે.
ગણેશ ચતુર્થી દસ દિવસનો તહેવાર
જોકે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે આ તમામ પ્રતિબંધો અને કાનૂની અવરોધોને દૂર કરવા માટે ઝડપી પગલાં લીધાં છે. ગણેશોત્સવ, જેને `ગણેશ ચતુર્થી` તરીકે પણ ઓળખવામાં આવે છે. `ગણેશ ચતુર્થી` એ દસ દિવસનો તહેવાર છે જે અનંત ચતુર્દશી સુધી ચાલે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી ૨૭ ઓગસ્ટ, બુધવારથી શરૂ થશે.


