Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીની આગમાં ૧૫થી ૨૦ ટૂ-વ્હીલર બળીને ખાખ

બોરીવલીની આગમાં ૧૫થી ૨૦ ટૂ-વ્હીલર બળીને ખાખ

17 February, 2024 08:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાયર બ્રિગેડના જવાનો ફાયર એન્જિન લઈને આવી પહોંચ્યા હતા

આગની તસવીર

આગની તસવીર


બોરીવલી-વેસ્ટમાં સ્ટેશનની સામે એસ. વી. રોડ પર આવેલી મંગલકુંજ સોસાયટીના કમ્પાઉન્ડના પાર્કિંગ-લૉટમાં પાર્ક કરાયેલાં ૧૫થી ૨૦ ટૂ-વ્હીલર ગઈ કાલે બપોરે ૩.૪૫ વાગ્યે લાગેલી આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આગ લાગ્યાની જાણ થતાં જ હોહા મચી ગઈ હતી અને જે ટૂ-વ્હીલરો ત્યાંથી ખસેડી શકાય એમ હતાં કે બચાવી શકાય એમ હતાં એમને લોકોએ ખસેડીને દૂર કર્યાં હતાં. બહુ ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી અને એક પછી એક ટૂ-વ્હીલર એમાં સળગતું જતું હતું. ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં સ્થાનિક લોકો દ્વારા આગ ઓલવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. બાજુના મકાનની પાણીની પાઇપલાઇનમાંથી પાણીનો છંટકાવ કરાયો હતો. આ ઉપરાંત ડોલે-ડોલે લાવીને પણ પાણી નાખવામાં આવ્યું હતું. એ પછી ફાયર બ્રિગેડના જવાનો ફાયર એન્જિન લઈને આવી પહોંચ્યા હતા અને તેમણે પાણીનો મારો ચલાવીને આગ ઓલવી હતી. એમ છતાં આ આગમાં ૧૫થી ૨૦ ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં હતાં. આગમાં કોઈ જાનહાનિના કે જખમી થવાના અહેવાલ નથી.  


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2024 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK