રેલવે અધિકારીઓ પર આકરા પ્રહારો કરતાં, મ્હાત્રાએ લખ્યું, "બેદરકારીને કારણે થયેલા દુ:ખદ અકસ્માતમાં, વિદ્યાર્થીએ પોતાના જીવ ગુમાવ્યા, બે દિવસ પણ પસાર થયા નથી, અને આજે પણ ડોમ્બિવલીમાં, પીક અવર્સ દરમિયાન ટ્રેનો સમયસર ચાલી રહી નથી."
લોકલ ટ્રેનમાં મુસાફરોનો જોખમી પ્રવાસ (તસવીર: X)
ડોમ્બિવલીના ૧૨મા ધોરણની પરીક્ષા આપવા માટે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીએ ભીડને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ભયાનક ઘટનાના માત્ર ત્રણ દિવસ પછી, હજી સુધી કંઈ બદલાયું હશે તેવું લાગતું નથી. શિવસેના (UBT) ના નેતા દીપેશ પુંડલિક મ્હાત્રે દ્વારા X પર શૅર કરાયેલા તાજેતરના વીડિયોમાં મુસાફરોને પીક અવર્સ દરમિયાન ટ્રેનના ડબ્બાની બહાર લટકતા જોવા મળ્યા હતા. તેમણે સેન્ટ્રલ લાઇન પર મોડી દોડતી ટ્રેનો અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી. ટ્રેનો મોડી થવાને કારણે ભારે ભીડ થઈ રહી છે અને નિર્દોષ મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.
શિવસેના UBT નેતાએ ટ્રેનના વિલંબ અને મુસાફરોની સલામતીના જોખમો પર ચિંતા વ્યક્ત કરી
ADVERTISEMENT
રેલવે અધિકારીઓ પર આકરા પ્રહારો કરતાં, મ્હાત્રાએ લખ્યું, "બેદરકારીને કારણે થયેલા દુ:ખદ અકસ્માતમાં, વિદ્યાર્થીએ પોતાના જીવ ગુમાવ્યા, બે દિવસ પણ પસાર થયા નથી, અને આજે પણ ડોમ્બિવલીમાં, પીક અવર્સ દરમિયાન ટ્રેનો સમયસર ચાલી રહી નથી." પીક અવર્સ દરમિયાન ટ્રેનના ડબ્બાના દરવાજાની બહાર લટકતા લોકોના આજના વીડિયોને શૅર કરતા, તેમણે અધિકારીઓના બેજવાબદાર વલણ પર સવાલ ઉઠાવ્યા. તેમણે લખ્યું, "આ ભારે ભીડ છે, ખતરનાક મુસાફરી છે, અને પ્રવસીઓને દરરોજ જીવનને મુઠ્ઠીમાં રાખી મુસાફરી કરવી પડે છે. રેલવે પ્રશાસનની આ બેદરકારી અને બેજવાબદારી હવે અસહ્ય બની ગઈ છે.
काल-परवा झालेल्या दुर्दैवी अपघातात विद्यार्थ्यांचे जीव गेले, दोन दिवसही उलटले नाहीत आणि आजही डोंबिवलीत पीक अवरला गाड्या वेळेवर नाहीत. परिणामी प्रचंड गर्दी, धोकादायक प्रवास आणि रोज जीव मुठीत धरून प्रवास करावा लागतो. रेल्वे प्रशासनाची ही निष्काळजीपणा आणि बेजबाबदारी आता असह्य झाली… pic.twitter.com/0vnMw6XOhC
— Dipesh Pundlik Mhatre (@Dipesh99Mhatre) February 13, 2026
રેલવે સલામતી અને જવાબદારી પર પ્રશ્નો ઉભા થયા
મ્હાત્રાએ પોતાની પોસ્ટમાં અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. તેમણે અધિકારીઓને પ્રશ્ન કર્યો, "હજી કેટલા પીડિતો થશે?" અને જો લોકોનો ગુસ્સો ફાટી નીકળશે તો તેમના પર શું પરિણામ આવી શકે છે તેની પણ ચેતવણી આપી. મંગળવાર, ૧૩ ફેબ્રુઆરીના રોજ, એક દુ:ખદ ઘટનાએ ફરી એકવાર ભીડભાડવાળી લોકલ ટ્રેનોના જોખમો તરફ ધ્યાન દોર્યું, જ્યારે ડોમ્બિવલીના ધોરણ ૧૨ ના વિદ્યાર્થીએ તેના પરીક્ષા કેન્દ્ર પર મુસાફરી કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો. સોહમ કાત્રે તરીકે ઓળખાયેલ વિદ્યાર્થી, ડોમ્બિવલીનો રહેવાસી હતો અને તે તેની HSC ની પરીક્ષા પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. તે કલવામાં મનીષા વિદ્યાલય પહોંચવા માટે ઘરેથી વહેલો નીકળી ગયો હતો, જ્યાં તેની પરીક્ષા હતી. ટ્રેન મુમ્બ્રા અને કલવા સ્ટેશન વચ્ચે પહોંચી ત્યારે મુસાફરી જીવલેણ બની ગઈ. ભારે ભીડ વચ્ચે સોહમ ડબ્બાના દરવાજા પાસે ઊભો હતો ત્યારે તેણે સંતુલન ગુમાવ્યું હોવાના અહેવાલ છે. તે ચાલતી ટ્રેનમાંથી પડી ગયો ડૉક્ટરોએ તેની તપાસ કરી, પરંતુ સારવાર માટે દાખલ કરતા પહેલા તેને સવારે 10.30 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યો. પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુ અહેવાલ (ADR) નોંધ્યો છે અને ઘટનાનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે વધુ તપાસ કરી રહી છે.


