Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટના સાકરિયા પરિવારે બનાવ્યું બદામનું રામમંદિર, એનું વજન છે ૩૨ કિલો

રાજકોટના સાકરિયા પરિવારે બનાવ્યું બદામનું રામમંદિર, એનું વજન છે ૩૨ કિલો

Published : 05 April, 2025 12:13 PM | IST | Rajkot
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજકોટની ગાયત્રી ડેરીના કિશોરભાઈ અને તેજભાઈ સાકરિયાએ રામનવમી નિમિત્તે બદામથી રામમંદિરની પ્રતિકૃતિ બનાવી છે. આ મંદિરનું વજન ૩૨ કિલો છે અને એમાં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ પણ છે.

રાજકોટના સાકરિયા પરિવારે બનાવ્યું બદામનું રામમંદિર, એનું વજન છે ૩૨ કિલો

રાજકોટના સાકરિયા પરિવારે બનાવ્યું બદામનું રામમંદિર, એનું વજન છે ૩૨ કિલો


રાજકોટની ગાયત્રી ડેરીના કિશોરભાઈ અને તેજભાઈ સાકરિયાએ રામનવમી નિમિત્તે બદામથી રામમંદિરની પ્રતિકૃતિ બનાવી છે. આ મંદિરનું વજન ૩૨ કિલો છે અને એમાં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ પણ છે. દૂધની ડેરી અને ડેરી પ્રોડક્ટ્સની શૉપ ચલાવતા કિશોરભાઈ અને તેજભાઈ સાકરિયાને રામનવમીના પર્વમાં કંઈક નવું કરવું હતું. તેઓ કહે છે, ‘અમે વિચાર્યું કે કંઈક હટકે કરવું હોય તો એ માટે ફૂડ પ્રોડક્ટ્સ જ વાપરીએ. બહુ વિચાર્યા પછી બદામનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. અમે ઉત્તમ ક્વૉલિટીની બદામ લીધી, એને રોસ્ટ કરી અને પછી એમાંથી મંદિર બનાવ્યું.’


બદામનું રામમંદિર અત્યારે રાજકોટમાં ગાયત્રી ડેરીની દુકાને લોકોને જોવા અને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ૩૨ કિલો વજનના મંદિરમાં અંદર ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનની મૂર્તિ પણ છે. રામનવમીની ઉજવણી પછી આ મંદિર રાજકોટના મોટા રામમંદિરમાં ભેટરૂપે સોંપી દેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2025 12:13 PM IST | Rajkot | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK