Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અક્ષરાની મમ્મીએ ટેલિવિઝનને શા માટે કહ્યું અલવિદા?

અક્ષરાની મમ્મીએ ટેલિવિઝનને શા માટે કહ્યું અલવિદા?

Published : 11 February, 2021 12:44 PM | IST | Ahmedabad
Nirali Dave

અક્ષરાની મમ્મીએ ટેલિવિઝનને શા માટે કહ્યું અલવિદા?

અક્ષરાની મમ્મીએ ટેલિવિઝનને શા માટે કહ્યું અલવિદા?

અક્ષરાની મમ્મીએ ટેલિવિઝનને શા માટે કહ્યું અલવિદા?


વેબ પ્લૅટફૉર્મ્સને કારણે કોઈ પણ ઍક્ટર વેબ પ્લૅટફૉર્મ પર ટૅલન્ટ બતાવીને આગળ આવી શકે છે અને વધુ દર્શકો સુધી પહોંચી શકે છે એટલે જ ટીવીની સરખામણીએ ઓટીટીને વધુ મહત્ત્વ મળી રહ્યું છે. તાજેતરમાં ટીવીનાં જાણીતાં અભિનેત્રી લતા સભરવાલે પોતે હવેથી ડેઇલી સોપમાં કામ નહીં કરે એવી જાહેરાત કરી છે. ‘શાકાલાકા બૂમ બૂમ’, ‘વોહ રહનેવાલી મહલોં કી’ જેવી સિરિયલો કરી ચૂકેલાં લતા સભરવાલને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી લોકપ્રિયતા મળી છે. તેઓ આ શોમાં અક્ષરા એટલે કે હિના ખાનની મમ્મી રાજશ્રીના રોલમાં જોવા મળ્યાં હતાં. લતા હવે વેબ-સિરીઝ અને ફિલ્મોમાં તક શોધી રહ્યાં છે.
લતાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘હું સત્તાવાર રીતે જાહેરાત કરું છું કે મેં ડેઇલી સોપ કરવાનું છોડી દીધું છે; કારણ કે હું હવે વેબ, ફિલ્મો અને સારા કૅમિયો કરવા માગું છું. થૅન્ક યુ ડેઇલી સોપ, મારા જીવનનો અભિન્ન ભાગ બનવા માટે. નવી જર્ની, નવી શરૂઆત.’
ઉલ્લેખનીય છે કે લતા સભરવાલે ૧૯૯૯માં ‘ગીતા રહસ્ય’નામની માઇથોલૉજિકલ સિરિયલથી ટીવી ડેબ્યુ કર્યું હતું અને તેઓ ‘ઇશ્ક વિશ્ક’, ‘વિવાહ’, ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂક્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2021 12:44 PM IST | Ahmedabad | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK