Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોઇમ્બતુરમાં કૅન્સરપીડિત બાળકોને પાનો ચડાવવા પહોંચ્યા મુંબઈકર કિક્રેટર્સ

કોઇમ્બતુરમાં કૅન્સરપીડિત બાળકોને પાનો ચડાવવા પહોંચ્યા મુંબઈકર કિક્રેટર્સ

01 September, 2024 10:45 AM IST | Coimbatore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિકેટર્સે દરેક બાળકને ફળો અને કૂકીઝ સિવાય તેમના ઑટોગ્રાફવાળા નાના બૅટ ગિફ્ટ કર્યાં હતાં

ક્રિકેટર્સે તેમના ઑટોગ્રાફવાળા નાના બૅટ ગિફ્ટ કર્યાં હતાં

ક્રિકેટર્સે તેમના ઑટોગ્રાફવાળા નાના બૅટ ગિફ્ટ કર્યાં હતાં


ભારતીય ટીમનો T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર અને મુંબઈના અન્ય ખેલાડીઓ હાલમાં કૅન્સર સામે લડી રહેલાં બાળકોને મળ્યા હતા. તામિલનાડુના કોઇમ્બતુરમાં શ્રી રામકૃષ્ણ હૉસ્પિટલમાં સારવાર મેળવી રહેલાં આ બાળકોએ લાલ ગુલાબ આપીને ક્રિકેટર્સનું સ્વાગત કર્યું હતું.


ક્રિકેટર્સે દરેક બાળકને ફળો અને કૂકીઝ સિવાય તેમના ઑટોગ્રાફવાળા નાના બૅટ ગિફ્ટ કર્યાં હતાં. મુંબઈકર સૂર્યકુમાર યાદવ બાળકોને તેમના મનપસંદ ક્રિકેટર્સ વિશે પૂછીને તેમનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો. બુચી બાબુ ટુર્નામેન્ટ દરમ્યાન અહીં સૂર્યકુમાર યાદવને હાથમાં ઈજા થઈ હતી જેને કારણે તે આ મહિનામાં શરૂ થતી દુલીપ ટ્રોફીમાં રમી શકશે કે નહીં એના પર સવાલ ઊભા થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2024 10:45 AM IST | Coimbatore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK