કોહિનૂર એ 105.6 કૅરેટનો હીરો છે જેનો ઇતિહાસ સદીઓ જૂનો છે. આ હીરો મૂળ રૂપે હાલના આંધ્રપ્રદેશમાં ગોલકોન્ડાની ખાણમાં મળી આવ્યો હતો. સમય જતાં, તે મુઘલ શાસકો, પર્શિયાના નાદર શાહ, અફઘાન અમીર અને શીખ મહારાજા રણજીત સિંહના હાથમાંથી પસાર થયો.
કિંગ ચાર્લ્સ થ્રી અને ઝોહરાન મમદાની
ઇંગ્લૅન્ડના કિંગ ચાર્લ્સ 3ની અમેરિકા મુલાકાત દરમિયાન કોહિનૂર હીરો અંગે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે. ન્યૂ યૉર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ જણાવ્યું હતું કે જો તેમને કિંગ ચાર્લ્સ થર્ડ સાથે વાત કરવાની તક મળે, તો તેઓ કોહિનૂર હીરો ભારતને પરત કરવા માટે આગ્રહ કરશે. ભારતીય મૂળના ચૂંટાયેલા મેયર મમદાનીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "જો હું કિંગ ચાર્લ્સ 3 સાથે વાત કરું, તો હું તેમને કોહિનૂર ડાયમંડ ભારતને પરત કરવા માટે આગ્રહ કરીશ." કિંગ ચાર્લ્સ અને મમદાની 9/11 મેમોરિયલમાં એકબીજાને મળ્યા હતા.
યુએસ મુલાકાત
ADVERTISEMENT
કિંગ ચાર્લ્સ થર્ડે મુલાકાત દરમિયાન યુએસ કૉંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. આ મુલાકાત દરમિયાન, તેમનું અને ક્વીન કૅમિલાનું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત સ્ટેટ ડિનરમાં સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં, કિંગ ચાર્લ્સ અને ક્વીન કૅમિલાએ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે ન્યૂ યૉર્કમાં 9/11 મેમોરિયલની મુલાકાત લીધી હતી. તેઓએ બાળકો અને પરિવારોને ટેકો આપવા માટે સમર્પિત અપર મૅનહટનમાં શહેરી ફાર્મ નેટવર્ક `હાર્લેમ ગ્રોન`ની પણ મુલાકાત લીધી હતી.
કોહિનૂર ડાયમંડનો ઇતિહાસ
કોહિનૂર એ 105.6 કૅરેટનો હીરો છે જેનો ઇતિહાસ સદીઓ જૂનો છે. આ હીરો મૂળ રૂપે હાલના આંધ્રપ્રદેશમાં ગોલકોન્ડાની ખાણમાં મળી આવ્યો હતો. સમય જતાં, તે મુઘલ શાસકો, પર્શિયાના નાદર શાહ, અફઘાન અમીર અને શીખ મહારાજા રણજીત સિંહના હાથમાંથી પસાર થયો. 1849 માં, બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ શીખો પાસેથી હીરોનો કબજો લીધો. ત્યારબાદ, મહારાજા દુલીપ સિંહે તેને રાણી વિક્ટોરિયાને ભેટ આપ્યો. 1937 માં, તેને રાણીના તાજમાં લગાવવામાં આવ્યો. હાલમાં, તે લંડનના ટાવરમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે અને બ્રિટિશ ક્રાઉન જ્વેલ્સનો એક ભાગ છે.
New York mayor Zohran Mamdani says if he speaks to King Charles, he will ask him to return the Kohinoor Diamond.pic.twitter.com/UDTnrakMSm
— Sidhant Sibal (@sidhant) April 29, 2026
ભારતની માગ અને કાનૂની લડાઈ
ભારતે કોહિનૂર હીરો પરત કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે અને તેને પાછો લાવવા માટેના પ્રયત્નો પણ કરી રહ્યું છે. જોકે, આ સંદર્ભમાં કાનૂની અને રાજદ્વારી પડકારો છે. બ્રિટન વારંવાર 1948 ની લાહોર સંધિનો ઉલ્લેખ કરે છે. નિષ્ણાતોના મતે, કોહિનૂર માત્ર એક કિંમતી રત્ન નથી પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વનું પ્રતીક છે; પરિણામે, તેના પરત લાવવાનો મુદ્દો એક જટિલ મુદ્દો છે. આ 105.6-કૅરેટ હીરોનું કોઈ સત્તાવાર કિંમત કરવામાં આવી, કારણ કે તે ક્યારેય કોઈ જાહેર બજારમાં વેચવા માટે મૂકવામાં આવ્યો નથી. જોકે, નિષ્ણાતોના મતે, તેની અંદાજિત કિંમત 1 બિલિયન ડૉલરથી વધુ હોઈ શકે છે. દર વર્ષે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ હીરોને જોવા માટે ટિકિટ ખરીદે છે, જે હાલમાં ટાવર ઓફ લંડનમાં છે, જેનાથી બ્રિટન માટે આર્થિક આવક ઊભી થાય છે.
