Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇન્દોરમાં ભીખ આપી તો ફસાઈ જશો, FIR થશે

ઇન્દોરમાં ભીખ આપી તો ફસાઈ જશો, FIR થશે

Published : 17 December, 2024 03:10 PM | Modified : 17 December, 2024 03:23 PM | IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરને હવે ભિખારીમુક્ત બનાવવાનું અભિયાન શરૂ થયું છે. એના માટે ભિખારીઓને નહીં પણ ભીખ આપનારા લોકોને ટાર્ગેટ કરવામાં આવશે.

ઇન્દોરમાં ભીખ આપવા પર કેસ થશે.

અજબગજબ

ઇન્દોરમાં ભીખ આપવા પર કેસ થશે.


ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરને હવે ભિખારીમુક્ત બનાવવાનું અભિયાન શરૂ થયું છે. એના માટે ભિખારીઓને નહીં પણ ભીખ આપનારા લોકોને ટાર્ગેટ કરવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે એવું જાહેર કરવામાં આવ્યું છે કે ૨૦૨૫ની ૧ જાન્યુઆરીથી શહેરમાં કોઈ ભીખ નહીં આપી શકે. ઇન્દોરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર આશિષ સિંહે ગઈ કાલે રીતસર એક પ્રેસ-કૉન્ફરન્સ આયોજિત કરીને કહ્યું હતું કે ઇન્દોરમાં હવે ભીખ આપનારા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ભીખ સામેનું પ્રશાસનનું અવેરનેસ અભિયાન આ મહિનાના અંત સુધી ચાલશે અને ૧ જાન્યુઆરીથી જે પણ ભીખ આપતું પકડાશે તેની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ એટલે કે FIR નોંધવામાં આવશે.




તાજેતરના મહિનાઓમાં ઇન્દોરમાં પ્રશાસને એવી કેટલીક ગૅન્ગ્સને પકડી પાડી છે જે રીતસર ભીખ માગવાનો વ્યવસ્થિત ધંધો ચલાવતી હોય અને એના માટે આ ગૅન્ગ્સ કેટલાક લોકોને આ કામમાં પરાણે જોતરતી હોય છે. એને પગલે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે લોકોને અપીલ કરવી પડી છે કે ભીખ આપીને પાપમાં ભાગીદાર ન બનો.

ઇન્દોરને ભિખારીમુક્ત બનાવવાનું અભિયાન કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયના એક પાઇલટ પ્રોજેક્ટનો હિસ્સો છે. આ પ્રોજેક્ટમાં ભારતનાં ૧૦ શહેરોને ભિખારીમુક્ત બનાવવાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2024 03:23 PM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK