Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બીમાર મરઘી ખવડાવતાં બર્ડ ફ્લુ થયો એમાં ૨૭ વાઘ અને ૩ સિંહ મૃત્યુ પામ્યા

બીમાર મરઘી ખવડાવતાં બર્ડ ફ્લુ થયો એમાં ૨૭ વાઘ અને ૩ સિંહ મૃત્યુ પામ્યા

Published : 05 October, 2024 11:48 AM | IST | Hanoi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આટલાં બધાં પ્રાણીઓનાં મૃત્યુ થતાં હવે મરઘીઓ ક્યાંથી લવાઈ હતી એની તપાસ શરૂ થઈ છે

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


પૂર્વ એશિયાના વિયેટનામ દેશના લૉન્ગ એન રાજ્યના માય ક્વીન સફારીમાં ગયા વર્ષે ૬થી ૧૮ સપ્ટેમ્બર વચ્ચે ૨૭ વાઘ અને ૩ સિંહનાં મૃત્યુ થયાં હતાં. આ પ્રાણીઓનાં પોસ્ટમૉર્ટમ કર્યાં ત્યારે બર્ડ ફ્લુને કારણે મૃત્યુ પામ્યાની ખબર પડી હતી. ગયા મહિનાની શરૂઆતમાં પણ રિસૉર્ટમાં ૨૦ વાઘ મૃત્યુ પામ્યા છે. ડોંગ નાઇ રાજ્યના રોગ નિયંત્રણ કેન્દ્રના એક અધિકારી ફાન વાન ફુકે કહ્યું હતું કે રિસૉર્ટમાં વાઘને ચિકન ખવડાવાયું હતું એટલે શક્ય છે કે મરઘી બીમાર હોય અને એને કારણે વાઘને ચેપ લાગ્યો હોય. આટલાં બધાં પ્રાણીઓનાં મૃત્યુ થતાં હવે મરઘીઓ ક્યાંથી લવાઈ હતી એની તપાસ શરૂ થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2024 11:48 AM IST | Hanoi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK