Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બે દીકરીઓએ પિતાને મૃત બતાવીને તેમની જમીન બારોબાર વેચી કાઢી અને પિતાને બેઘર કરી મૂક્યા

બે દીકરીઓએ પિતાને મૃત બતાવીને તેમની જમીન બારોબાર વેચી કાઢી અને પિતાને બેઘર કરી મૂક્યા

Published : 31 May, 2026 01:36 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યાર સુધી પુત્રો જ કપાતર હોય છે એવા કિસ્સા સાંભળ્યા છે, પરંતુ બિહારના કહલગાંવમાં એક પિતાએ પોતાની દીકરીઓએ છેતરપિંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

બુનેલ યાદવ

બુનેલ યાદવ


અત્યાર સુધી પુત્રો જ કપાતર હોય છે એવા કિસ્સા સાંભળ્યા છે, પરંતુ બિહારના કહલગાંવમાં એક પિતાએ પોતાની દીકરીઓએ છેતરપિંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બુનેલ યાદવ નામના આ બુઝુર્ગને બે દીકરીઓ જ છે. પત્નીનું મૃત્યુ વીસ વર્ષ પહેલાં થઈ ચૂક્યું છે. તેમની પાસે ખેતીની જમીન છે એના પર ખેતી કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા આવ્યા હતા. જોકે તેમની દીકરીઓએ પિતાની સહમતી વિના જ જમીન વેચી નાખી અને એ વેચી શકાય એ માટે પિતાને મૃત જાહેર કરી દીધા. પિતા મરી ગયા પછી એની મિલકત બે દીકરીઓને મળી છે એના દસ્તાવેજો પહેલાં બનાવ્યા એને કારણે જમીન વેચતી વખતે પિતાની સહી કે અંગૂઠાની જરૂર જ ન રહી. એ જ જમીન પર તેમનું ઘર પણ હતું એટલે એ ઘરમાંથી પણ તેમણે નીકળી જવું પડ્યું હતું અને હવે તેઓ પોતાનું ઘર-ખેતર હોવા છતાં દીકરીઓના પાપે રસ્તા પર આવી ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 01:36 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK