Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યમુના નદી પ્રદૂષણમુક્ત ન થઈ હોવાથી BJPએ અરવિંદ કેજરીવાલ પર પસ્તાળ પાડી

યમુના નદી પ્રદૂષણમુક્ત ન થઈ હોવાથી BJPએ અરવિંદ કેજરીવાલ પર પસ્તાળ પાડી

Published : 25 October, 2024 11:40 AM | Modified : 25 October, 2024 11:44 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અને વર્તમાન સીએમને યમુનામાં ડૂબકી મારવા બોલાવ્યાં, પણ તેઓ ન આવ્યાં એટલે તેમના નામની ખુરસીઓ મૂકી

યમુના નદીના કિનારે દિલ્હી BJPએ અરવિંદ કેજરીવાલ અને આતિશી માર્લેના માટે મૂકેલી ખુરસીઓ

યમુના નદીના કિનારે દિલ્હી BJPએ અરવિંદ કેજરીવાલ અને આતિશી માર્લેના માટે મૂકેલી ખુરસીઓ


યમુના નદીનું પ્રદૂષણ ૨૦૨૫ સુધીમાં દૂર કરીને હું એમાં ડૂબકી લગાવીશ એવું ૨૦૨૦માં કહેનારા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હજી સુધી દેશના કરોડો વૈષ્ણવોના આસ્થાસ્થાન યમુના નદીને પ્રદૂષણમુક્ત ન કરી શક્યા હોવાથી એનો વિરોધ કરવા ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિલ્હીના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ યમુનામાં ડૂબકી મારવા માટે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને મુખ્ય પ્રધાન આતિશી માર્લેનાને બોલાવ્યાં હતાં, પણ તેઓ આવ્યાં નહોતાં. એટલે BJPએ બન્નેના નામની ખુરસીઓ યમુના કિનારે ગોઠવી દીધી હતી.




દિલ્હી BJPના પ્રેસિડન્ટ વીરેન્દ્ર સચદેવાએ યમુનામાં ડૂબકી લગાવી હતી


એટલું જ નહીં, વીરેન્દ્ર સચદેવાએ પોતે યમુના નદીમાં ડૂબકી લગાવી હતી. જ્યારે તેમને બે ખુરસી શું કામ મૂકી છે એવું પૂછ્યું તો વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે આ પ્રથા હાલના મુખ્ય પ્રધાને જ શરૂ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 11:44 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK