Uttarpradesh: ગાઝિયાબાદમાં સ્મશાનમાં છાપરું પડતાં 18 જણ મોતને ભેટ્યા
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં રવિવારે સ્મશાન જ મોતનો કાળ બન્યું અહીં મુરાદનગરની સ્મશાનમાં ગેલેરીની છત પડવાથી 18 લોકોના મોત થયા હોવાના સમાચાર આવ્યા, આ અકસ્માતમાં 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકો વરસાદથી બચવા માટે એક છત નીચે ઉભા હતા. જે વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તેના એક દિકરાનું પણ મૃત્યુ થયું મેરઠના ડિવિઝનલ કમિશ્નર અનીતા સી મેશ્રામે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 17 લોકોના મૃત્યુની ખાતરી થઈ છે. 38 લોકોને બચાવવામાં આવ્યા છે.
Incident of a roof collapse at the crematorium in Muradnagar, Ghaziabad is very sad. My condolences to the family of the deceased. I pray that those hurt in this accident get well soon. Local administration is working for relief & assistance: President Ram Nath Kovind pic.twitter.com/iSuB0YWnUy
— ANI (@ANI) January 3, 2021
ADVERTISEMENT
મુરાદનગરના ફળના વેપારીનું 65 વર્ષની વયે અવસાન થયુ હતું અને તેના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા. અંતિમ સંસ્કાર કરી પરત ફરી રહેલા લોકો દરવાજાની નજીક એક ગેલેરીમાં ઉભા હતા. તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ગેલેરી લગભગ અઢી મહિના અગાઉ જ તૈયાર થઈ હતી.લોકોનો આરોપ છે કે આ ગેલેરી તૈયાર કરવામાં નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.NDRFની ટીમ રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. વરસાદના કારણે રેસ્ક્યૂમાં તકલીફ પડી રહી છે. મૃતકોમાં 3 લોકોની ઓળખ થઈ ગઈ છે.આ લોકો સંગમ વિહાર અને મુરાદનગરના રહેવાસી હતા.
UP CM Yogi Adityanath takes cognizance of roof collapse incident in Muradnagar, Ghaziabad district.
— ANI UP (@ANINewsUP) January 3, 2021
"I've instructed district officials to conduct relief operations & submit a report of incident. All possible help will be provided to those affected by the incident," he said. pic.twitter.com/3Kt6ECqIz7
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના આશ્રિતોને બે-બે લાખ રૂપિયાની આર્થિક સહાયના આદેશ આપ્યા છે. સાથે જ મંડલાયુક્ત મેરઠ અને એડીજી મેરઠ ઝોન પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.

