Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બીજેપીએ નંદીગ્રામની ઘટના માટે ચૂંટણી પંચને પૅનલ રચવા તાકીદ કરી

બીજેપીએ નંદીગ્રામની ઘટના માટે ચૂંટણી પંચને પૅનલ રચવા તાકીદ કરી

Published : 13 March, 2021 05:10 PM | IST | New Delhi
Agencies

બીજેપીએ નંદીગ્રામની ઘટના માટે ચૂંટણી પંચને પૅનલ રચવા તાકીદ કરી

બીજેપીએ નંદીગ્રામની ઘટના માટે ચૂંટણી પંચને પૅનલ રચવા તાકીદ કરી

બીજેપીએ નંદીગ્રામની ઘટના માટે ચૂંટણી પંચને પૅનલ રચવા તાકીદ કરી


બીજેપીના પ્રતિનિધિમંડળે ગઈ કાલે ચૂંટણી પંચને મળીને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પર થયેલા કથિત હુમલા વિશે તપાસ કરવા તાત્કાલિક ધોરણે નિર્દિષ્ટ સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરી રીપોર્ટ આપવા વ્યાવસાયિક તપાસકર્તાઓની પૅનલ ગઠિત કરવા વિનંતી કરી હતી.
નૅશનલ જનરલ સેક્રેટરી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા, સ્વપન દાસગુપ્તા, અનિર્બન ગાંગુલી, ઓમ પાઠક, નીરજ કુમાર અને એસ. બજોરિયાના બનેલા આ પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
બીજેપીએ એવી પણ માગણી કરી હતી કે ચૂંટણી પંચને મળેલો હુમલાનો વિડિયો જાહેર કરવો જોઈએ જેથી સત્ય તથા ઘટનાક્રમ વિશે જાણી શકાય. આ તપાસને કારણે ચૂંટણી પંચ અને વિરોધ પક્ષો પર ટીએમસી દ્વારા લગાવવામાં આવેલા આરોપ વિશે પણ સત્ય ઉજાગર થઈ શકશે.


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2021 05:10 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK