પુલવામા હુમલાને થયા ચાર વર્ષ : દિગ્ગજ નેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
આજના દિવસે ચાર વર્ષ પહેલા ૧૪ ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પુલવામા (Pulwama)માં આતંકી હુમલો થયો હતો. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ, જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આતંકવાદીએ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે (Srinagar Jammu National Highway) પર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ - સીપીઆરએફ (Central Reserve Police Force - CPRF)ના કાફલામાં વિસ્ફોટકો વહન કરતા વાહનને ટક્કર મારી હતી અને આ હુમલામાં ભારતના ૪૦ જવાનો શહીદ થયા હતા. આજે આ દુઃખદ ઘટનાને ચાર વર્ષ પુર્ણ થયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ()એ શહીદોના બલિદાનને યાદ કર્યું છે. તેમજ કેટલાક દિગ્ગજ નેતાઓએ પણ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી છે.
પુલવામા હુમલા (Pulwama Attack)ની ચોથી વરસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને યાદ કર્યા. તેમણે કહ્યું કે, ‘અમે અમારા બહાદુર સૈનિકોને યાદ કરીએ છીએ, જેમને અમે આ દિવસે પુલવામામાં ગુમાવ્યા હતા. અમે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલી શકતા નથી. તેમની હિંમત આપણને મજબૂત અને વિકસિત ભારત બનાવવાની પ્રેરણા આપે છે.’
ADVERTISEMENT
Remembering our valorous heroes who we lost on this day in Pulwama. We will never forget their supreme sacrifice. Their courage motivates us to build a strong and developed India.
— Narendra Modi (@narendramodi) February 14, 2023
કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું કે, ‘આજે અમે ૪૦ CRPF શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેઓ પુલવામામાં ગુપ્તચર નિષ્ફળતાને કારણે શહીદ થયા હતા. મને આશા છે કે તમામ શહીદ પરિવારોનું યોગ્ય રીતે પુનર્વસન થયું છે.’
Today we pay homage to the 40 CRPF Martyrs who died because of the blatant Intelligence Failure in Pulwama.
— digvijaya singh (@digvijaya_28) February 14, 2023
I hope all the Martyred Families have been suitably rehabilitated.
કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર પણ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. કોંગ્રેસે લખ્યું છે કે, ‘પુલવામા આતંકી હુમલામાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને સેંકડો સલામ. આજે આપણે ભારત માતાના બહાદુર સપૂતોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ.’
A billion salutes to the martyrs who sacrificed their lives for the country in the Pulwama terror attack.
— Congress (@INCIndia) February 14, 2023
Today, we pay a heartfelt tribute to the brave sons of Bharat Mata.
Jai Hind! pic.twitter.com/vJWYe0ulFf
ભાજપના તમામ કાર્યકરો અને નેતાઓએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું, ‘કભી ભૂલેંગે નહીં કભી માફ કરેંગે નહીં. પુલવામા જેહાદી હુમલામાં શહીદ થયેલા આપણા બહાદુર જવાનોને લાખો સલામ.’
Never Forget Never Forgive
— Kapil Mishra (@KapilMishra_IND) February 14, 2023
Tributes to our brave soldiers who have sacrificed their lives in Pulwama Jihadi Attack #PulwamaAttack #BlackDay pic.twitter.com/IBexiLxgaB
આ પણ વાંચો - Valentine’s Day: ગુજરાતી સેલેબ્ઝ કહે છે, ‘પ્રેમ એટલે કે...’
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘પુલવામા આતંકી હુમલાના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ. ભારત તેમના સર્વોચ્ચ બલિદાનને હંમેશા યાદ રાખશે.’
पुलवामा आतंकी हमले के वीर शहीदों को भावपूर्ण श्रद्धांजलि।
— Rahul Gandhi (@RahulGandhi) February 14, 2023
उनका सर्वोच्च बलिदान भारत हमेशा याद करेगा। pic.twitter.com/a39Gpzuq2u
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પુલવામા આતંકી હુમલાના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટ કર્યું છે કે ‘આ સર્વોચ્ચ બલિદાન માટે આપણે બધા હંમેશા તેમના ઋણી રહીશું. જય હિંદ જય ભારત.’
पुलवामा आतंकी हमले के वीर शहीदों को मेरी भावपूर्ण श्रद्धांजलि।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 14, 2023
इस सर्वोच्च बलिदान के लिए हम सब सदैव उनके ऋणी रहेंगे।
जय हिन्द। जय भारत।
આ પણ વાંચો - પુલવામા આતંકવાદી હુમલાનાં કેમિકલ ઍમેઝૉનથી ખરીદાયેલાં : સીએઆઇટી
નોંધનીય છે કે, આજના દિવસે એટલે કે ચાર વર્ષ પહેલા ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. આ હુમલો ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓમાંનો એક હતો. આ હુમલામાં ભારતના ૪૦ જવાનો શહીદ થયા હતા. જો કે, આ હુમલા બાદ ભારતે જે રીતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો તેવું પહેલા ક્યારેય બન્યું નથી. ભારતે આકરા પગલા લઈને પુલવામા હુમલાનો બદલો લીધો. આપણા બહાદુર જવાનોએ બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકના રૂપમાં આ હુમલાનો જવાબ આપ્યો.


