Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નીતીશકુમારની ટીકા કરતાં મોદીએ કહ્યું કે કેટલા નિમ્નસ્તરે જશો?

નીતીશકુમારની ટીકા કરતાં મોદીએ કહ્યું કે કેટલા નિમ્નસ્તરે જશો?

Published : 09 November, 2023 09:00 AM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુનામાં પીએમ મોદીએ કહ્યું હતું

મધ્ય પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુના જિલ્લામાં ગઈ કાલે એક જનસભા દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)

મધ્ય પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુના જિલ્લામાં ગઈ કાલે એક જનસભા દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મધ્ય પ્રદેશના દમોહ અને ગુનામાં ચૂંટણી-સભાને સંબોધતી વખતે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારની આકરી ઝાટકણી કાઢી હતી. ગુનામાં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘ઇ​ન્ડિયા ગઠબંધનના લીડરે વિધાનસભામાં કે જ્યાં માતાઓ અને બહેનો હાજર હતી, કોઈ કલ્પના ન કરી શકે એવી ભાષામાં અશ્લીલ વાતો કરી હતી. તેમને કોઈ શરમ નથી. એટલું જ નહીં, ઇન્ડિયા ગઠબંધનના એક પણ લીડરે માતાઓ-બહેનોના આ અપમાનની વિરુદ્ધ એક પણ શબ્દ કહ્યો નથી. જે લોકો મહિલાઓ વિશે આવું વિચારે છે, શું તેઓ તમારા માટે સારું કરી શકે છે?’


મોદીએ ચૂંટણી-સભામાં મહિલાઓને સવાલ કર્યો હતો કે ‘શું તેઓ તમારું સન્માન કે ગૌરવ કરી શકે છે? દેશની કેવી કમનસીબી છે. કેટલા નિમ્નસ્તરે જશો? દુનિયામાં દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છો. હું મારી માતાઓ અને બહેનોના સન્માન માટે જે શક્ય હશે, એમાં ક્યારેય પીછેહઠ નહીં કરું.’


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2023 09:00 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK