Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટૂરિસ્ટો પર નહીં, આ તો અમારી રોજી-રોટી અને પરિવારો પર હુમલો

ટૂરિસ્ટો પર નહીં, આ તો અમારી રોજી-રોટી અને પરિવારો પર હુમલો

Published : 24 April, 2025 10:05 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહલગામ ટૅક્સી અસોસિએશનના પ્રેસિડન્ટે કહ્યું...

આતંકવાદી અટૅકનો વિરોધ કરતા પહલગામ ટૅક્સી ઓનર્સ અસોસિએશનના સભ્યો.

આતંકવાદી અટૅકનો વિરોધ કરતા પહલગામ ટૅક્સી ઓનર્સ અસોસિએશનના સભ્યો.


મંગળવારે થયેલા આતંકવાદી હુમલા વિશે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળે છે. આ મુદ્દે પહલગામ ટૅક્સી અસોસિએશનના પ્રેસિડન્ટ ગુલઝાર અહમદ વાણીએ કહ્યું હતું કે ‘આ હુમલો માત્ર ટૂરિસ્ટો પર થયો નથી, આ અમારી રોજી-રોટી અને પરિવારો પર પણ હુમલો છે. આ હુમલાની તપાસ થાય અને ગુનેગારોને સજા મળે એ માટે મુખ્ય પ્રધાન અને લેફ્ટનન્ટ ગવર્નરસાહેબને વિનંતી કરું છું. પહલગામ પહેલેથી શાંતિપૂર્ણ વિસ્તાર છે. આ જે થયું છે એવું અમે ક્યારે થવા દેતા નહોતા. આ વિસ્તાર ૯૯ ટકા ટૂરિઝમ પર નભે છે. અમરનાથ યાત્રા અહીંથી થાય છે અને યાત્રાએ આવતા લોકોને અમે અમારાં ઘરોમાં પણ રાખીએ છીએ. અમે ખુદાને કહીએ છીએ કે જે લોકોએ આ કર્યું છે તેમનાં ઘરોને આગ લગાવો, જેવી આગ તેમણે અહીં લગાવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2025 10:05 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK