Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટીએમસીમાં જોડાયેલા યશવંત સિંહાનો દાવો, કહ્યું...

ટીએમસીમાં જોડાયેલા યશવંત સિંહાનો દાવો, કહ્યું...

Published : 14 March, 2021 12:06 PM | IST | Kolkata
Agency

ટીએમસીમાં જોડાયેલા યશવંત સિંહાનો દાવો, કહ્યું...

યશવંત સિંહા

યશવંત સિંહા


અટલ બિહારી વાજપેયીની સરકારમાં કૅબિનેટ કક્ષાના પ્રધાનપદે રહી ચૂકેલા અને કેટલાક વખતથી બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ તરફ અસંતુષ્ટ યશવંત સિંહા ગઈ કાલે તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)માં જોડાયા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં કેટલાંક અઠવાડિયાં પૂર્વે એ રાજ્યના શાસક પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાવા પાછળ બીજેપીને હરાવવાનો ઉદ્દેશ હોવાનું ભૂતપૂર્વ સરકારી અમલદાર યશવંત સિંહાએ જણાવ્યું હતું. કલકત્તામાં નવા પક્ષમાં સામેલ થવાની ઔપચારિકતા પૂરી થયા બાદ યશંવત સિંહાએ ૧૯૯૯ની ૨૪ ડિસેમ્બરે બનેલી ઘટના વિશે એવો દાવો કર્યો હતો કે જ્યારે ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે આતંકવાદીઓ વિમાનને કંદહાર લઈ ગયા હતા. એ વખતે કૅબિનેટમાં ચર્ચા થઈ રહી હતી ત્યારે મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘હું પોતે કંદહાર જઈશ. શરત માત્ર એ હોવી જોઈએ કે જેમનું અપહરણ કરવામાં આવ્યું છે તેને આતંકવાદીઓ છોડી દે. હું પોતે તેમના કબજામાં જતી રહીશ અને દેશ માટે કુરબાની આપવી પડે તો આપી દઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2021 12:06 PM IST | Kolkata | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK