Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાન્હા ટાઇગર રિઝર્વમાં ૨૪ કલાકમાં એક વાઘ અને બે વાઘબાળનાં મૃત્યુ

કાન્હા ટાઇગર રિઝર્વમાં ૨૪ કલાકમાં એક વાઘ અને બે વાઘબાળનાં મૃત્યુ

Published : 05 October, 2025 08:43 AM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુક્રવારે વન અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી હતી

મૃત વાઘની ઉંમર આઠથી ૧૦ વર્ષની હતી

મૃત વાઘની ઉંમર આઠથી ૧૦ વર્ષની હતી


ગુરુવારે મધ્ય પ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં બે માદા વાઘબાળ અને એક પુખ્ત વાઘનાં મૃત્યુ થયાં હતાં. શુક્રવારે વન અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી હતી. અલગ-અલગ હિસ્સામાંથી મળી આવેલાં મૃત ટાઇગરનાં શબોના અંતિમ સંસ્કાર કરતાં પહેલાં પોસ્ટમૉર્ટમમાં જાણવા મળ્યું હતું કે અન્ય વાઘો સાથેની ટેરિટરી ફાઇટમાં આ વાઘોનો જીવ ગયો હતો. એમની શ્વાસનળી પર ઘા હતો જેનાથી સંકેત મળે છે કે ટેરિટરી ફાઇટમાં કોઈ વાઘની સાથે લડાઈમાં એમનું મૃત્યુ થયું હતું.

મૃત વાઘની ઉંમર આઠથી ૧૦ વર્ષની હતી. એ બાલાઘાટનો નર વાઘ હતો જે કાન્હા ટાઇગર રિઝર્વમાં અવારનવાર પર્યટકોને જોવા મળતો હતો. કાન્હા ટાઇગર અભયારણ્ય બાલાઘાટ સુધી ફેલાયેલું છે જે એક નક્સલ પ્રભાવિત જિલ્લો છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2025 08:43 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK