Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી સરકાર તિહાડ જેલનું રીલોકેશન કરશે, સર્વે કરવા માટે ૧૦ કરોડ રૂપિયાની ફાળવણી

દિલ્હી સરકાર તિહાડ જેલનું રીલોકેશન કરશે, સર્વે કરવા માટે ૧૦ કરોડ રૂપિયાની ફાળવણી

Published : 27 March, 2025 11:40 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તિહાડ જેલ ૪૦૦ એકરમાં ફેલાયેલી છે અને એમાં કુલ નવ કેન્દ્રીય જેલોનો સમાવેશ છે. એ ભારતની સૌથી મોટી અને હાઈ સુરક્ષા ધરાવતી જેલ છે અને દિલ્હીમાં આવેલી છે

તિહાડ જેલ

તિહાડ જેલ


દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ મંગળવારે તિહાડ જેલને દિલ્હીની બહાર ખસેડવા માટેની યોજનાની જાહેરાત કરી હતી અને આ માટે સર્વે કરવા ૧૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. આ જેલ રહેણાક વિસ્તારની નજીક હોવાથી સલામતીની ચિંતાના કારણોસર આ નિર્ણય લેવાયો છે.


તિહાડ જેલ ૪૦૦ એકરમાં ફેલાયેલી છે અને એમાં કુલ નવ કેન્દ્રીય જેલોનો સમાવેશ છે. એ ભારતની સૌથી મોટી અને હાઈ સુરક્ષા ધરાવતી જેલ છે અને દિલ્હીમાં આવેલી છે. તિહાડ જેલમાં શરૂમાં ૧૨૭૩ કેદીઓને રાખવાની ક્ષમતા હતી, પણ એ વધારીને ૫૦૦૦થી ૬૦૦૦ કરવામાં આવી છે. જોકે અહીં ૧૩,૦૦૦થી વધારે કેદીઓને રાખવામાં આવે છે. તિહાડ જેલમાં ગુંડાઓ, રાજકારણીઓ, VIP કેદીઓને રાખવામાં આવે છે.



1958
આ વર્ષમાં તિહાડ જેલની સ્થાપના


400
આટલા એકર વિસ્તારમાં છે તિહાડ જેલ

1273
જેલમાં આટલા કેદીઓને રાખવાની પ્રારંભિક ક્ષમતા હતી


13,000+
તિહાડ જેલમાં હાલમાં આટલા કેદીઓ છે

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2025 11:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK