Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ૩૨ ગોવિંદા સારવાર હેઠળ છે ત્યારે જળગાવના એક ગોવિંદાએ દમ તોડ્યો

મુંબઈમાં ૩૨ ગોવિંદા સારવાર હેઠળ છે ત્યારે જળગાવના એક ગોવિંદાએ દમ તોડ્યો

29 August, 2024 11:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જળગાવના પાચોરા શહેરમાં રિક્ષા-સ્ટૅન્ડ પાસે બાંધવામાં આવેલી મટકી ફોડવા માનવપિરામિડની ઉપર ચડેલો ૩૨ વર્ષનો નીતિન પાંડુરંગ ચૌધરી નામનો ગોવિંદા નીચે પટકાયા બાદ મૃત્યુ પામ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મંગળવારે ઊજવવામાં આવેલા દહીહંડી ઉત્સવમાં મુંબઈમાં મટકી ફોડવા માટે ઉપર ચડેલા ૨૪૫ ગોવિંદા નીચે પડવાથી ઘાયલ થયા હતા. આમાંથી હજી પણ ૩૨ ગોવિંદા મુંબઈની વિવિધ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે જળગાવના પાચોરા શહેરમાં રિક્ષા-સ્ટૅન્ડ પાસે બાંધવામાં આવેલી મટકી ફોડવા માનવપિરામિડની ઉપર ચડેલો ૩૨ વર્ષનો નીતિન પાંડુરંગ ચૌધરી નામનો ગોવિંદા નીચે પટકાયા બાદ મૃત્યુ પામ્યો હતો. પડ્યા બાદ ગંભીર રીતે જખમી થયેલા નીતિન ચૌધરીને નજીકની હૉસ્પિટલમાં ઍડ‍્મિટ કરવામાં આવ્યો હતો, પરંતુ તે બચી ન શકતાં ગઈ કાલે તેનું મૃત્યુ થયું હતું. ગોવિંદાનો જીવ બચી ન શક્યો હોવાની જાણ થતાં પાચોરા શહેરમાં ગમગીની છવાઈ ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2024 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK