Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તબલા-નવાઝને વાંસળીના સૂરે શ્રદ્ધાંજલિ આપવાની તૈયારી

તબલા-નવાઝને વાંસળીના સૂરે શ્રદ્ધાંજલિ આપવાની તૈયારી

Published : 02 January, 2025 12:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રદ્ધાંજલિના આ પ્રોગ્રામમાં જાણીતા વાંસળીવાદક વિવેક સોનાર અને તેમના શિષ્યો વાંસળીવાદન કરવાના છે.

તસવીર : સૈયદ સમીર અબેદી

તસવીર : સૈયદ સમીર અબેદી


તબલાંના ખાં ઉસ્તાદ ઝાકિર હુસેનનું ​૧૫ ડિસેમ્બરે અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાંજલિના આ પ્રોગ્રામમાં જાણીતા વાંસળીવાદક વિવેક સોનાર અને તેમના શિષ્યો વાંસળીવાદન કરવાના છે. ગઈ કાલે વર્ષના પ્રથમ દિવસે મરીન ડ્રાઇવ પર વિવેક સોનારે તેમના ૩૦ જેટલા સ્ટુડન્ટ્સ સાથે એનું રિહર્સલ કર્યું હતું. આ ગ્રુપમાં ૮ વર્ષથી લઈને ૮૦ વર્ષ સુધીના વાંસળીવાદકો ભાગ લઈ રહ્યા છે. તેમણે છેડેલી સૂરાવલિએ ત્યાંથી પસાર થઈ રહેલા મુંબઈગરાઓ અને સહેલાણીઓનાં મન મોહી લીધાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2025 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK