Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાનીએ અગાસીમાંથી એક વર્ષના દોહિત્ર સાથે લગાવી મોતની છલાંગ

નાનીએ અગાસીમાંથી એક વર્ષના દોહિત્ર સાથે લગાવી મોતની છલાંગ

Published : 10 April, 2025 11:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઊર્મિલા કોરેનું ઘટનાસ્થળે તો ઓમકારનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાયગડ જિલ્લાના રોહામાં બાવન વર્ષની ઊર્મિલા સિદ્ધરામ કોરે નામની મહિલાએ ગઈ કાલે સવારે સાડાછ વાગ્યે તેમની દીકરીના એક વર્ષના પુત્ર ઓમકાર બોગડને ઘરની અગાસી પર લઈ ગયા બાદ પડતું મૂક્યું હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. ઊર્મિલા કોરેનું ઘટનાસ્થળે તો ઓમકારનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. જમાઈ પુત્રને લેવા માટે આવ્યાે હતાે અને તેઓ સૂતા હતા ત્યારે ઊર્મિલા કોરે દીકરીના પુત્રને લઈને અગાસી પર ગયાં હતાં.


રોહા પોલીસના જણાવ્યા મુજબ રોહા-કોલાડ રોડ પર આવેલા ઓમ ચેમ્બર્સમાં ઊર્મિલા કોરે પતિ સાથે રહેતાં હતાં. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે દીકરીના પુત્ર ઓમકાર બોગડને ટ્યુમર થયું હતું એટલે તેની સારવાર ચાલતી હતી. ગઈ કાલે જમાઈ પુત્રને મુંબઈ લઈ જવા માટે રોહા આવ્યાે હતાે. સવારે નાસ્તો-પાણી કરીને જમાઈ ઓમકાર સાથે મુંબઈ જવા નીકળવાનાે હતાે એ પહેલાં સાડાછ વાગ્યે ઊર્મિલા કોરે ઓમકારને લઈને બિલ્ડિંગની અગાસી પર ગયાં હતાં અને ઉપરથી કૂદકો માર્યો હતો. આ ઘટનામાં બન્નેનાં મૃત્યુ થયાં છે. ઊર્મિલા કોરે માનસિક બીમારીથી પરેશાન હતાં અને ઓમકારને પણ ટ્યુમર હતું એટલે હતાશામાં આવી જઈને તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2025 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK