Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાગપુરમાં કૉન્ગ્રેસની પાંચ કિલોમીટરની સદ્ભાવના શાંતિયાત્રા માત્ર અડધા કિલોમીટરમાં સમેટાઈ ગઈ

નાગપુરમાં કૉન્ગ્રેસની પાંચ કિલોમીટરની સદ્ભાવના શાંતિયાત્રા માત્ર અડધા કિલોમીટરમાં સમેટાઈ ગઈ

Published : 17 April, 2025 02:32 PM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ નાના પટોલે સહિતના નેતાઓ ગેરહાજર રહેતાં જૂથબાજી જોવા મળી

નાગપુરમાં ગઈ કાલે કૉન્ગ્રેસે સદ્ભાવના શાંતિયાત્રા કાઢી હતી.

નાગપુરમાં ગઈ કાલે કૉન્ગ્રેસે સદ્ભાવના શાંતિયાત્રા કાઢી હતી.


નાગપુરમાં ૧૭ માર્ચે મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો કરવાની સાથે વાહનોને આગ ચાંપી હતી. આ રમખાણને પગલે નાગપુરમાં કાયદો અને વ્યવસ્થા કથળી છે એના પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કૉન્ગ્રેસે ગઈ કાલે સદ્ભાવના શાંતિયાત્રાનું આયોજન કર્યું હતું. આ રૅલી સવારે ૯.૩૦ વાગ્યે શરૂ કરીને વિવિધ વિસ્તારમાંથી પાંચ કિલોમીટર સુધીની આયોજિત કરવામાં આવી હતી. જોકે સદ્ભાવના રૅલી બે કલાક મોડી શરૂ થઈ હતી અને માત્ર અડધો કિલોમીટરમાં સમેટાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યભરના કૉન્ગ્રેસના નેતાઓને સદ્ભાવના શાંતિયાત્રામાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ પક્ષના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ નાના પટોલે, નાગપુરના ભૂતપૂર્વ સંસદસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન વિલાસ મુત્તેમવાર સહિતના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. આ નેતાઓ સદ્ભાવના શાંતિયાત્રામાં સામેલ ન થવાથી પક્ષમાં જ એકમત ન હોવાનું જણાઈ આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2025 02:32 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK