Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રોજ સવારે બકબક કરનારાને હવે કેવું લાગે છે?

રોજ સવારે બકબક કરનારાને હવે કેવું લાગે છે?

Published : 09 October, 2024 07:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિયાણામાં હૅટ-ટ્રિક કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે સંજય રાઉતને ટોણો માર્યો...

ગઈ કાલે મુંબઈમાં હરિયાણાનો વિજય ઊજવતા દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર BJPના પ્રેસિડન્ટ ચંદ્રશેખર બાવનકુળે.

ગઈ કાલે મુંબઈમાં હરિયાણાનો વિજય ઊજવતા દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર BJPના પ્રેસિડન્ટ ચંદ્રશેખર બાવનકુળે.


લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં દસમાંથી દસ બેઠક મેળવ્યા બાદ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પાંચ જ બેઠકમાં વિજયી થઈ હતી. આથી લોકસભાની જેમ વિધાનસભાની ચૂંટણીમાં પણ BJPનો રકાસ થશે અને કૉન્ગ્રેસ સત્તા મેળવશે એવી અટકળો લગાવવામાં આવતી હતી. જોકે BJPએ દસ વર્ષના સત્તાવિરોધી જુવાળને પછાડીને ત્રીજી વખત વિજય મેળવ્યો છે. આ વિશે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્ય BJPના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘હરિયાણાની જનતાએ કહ્યું છે કે ફેક નેરેટિવના વિરોધમાં મતદાન કર્યું છે. વિરોધી પક્ષોએ અગ્નિવીર યોજના સામે, કુસ્તીના પ્લેયરોને ભડકાવવાની સાથે જાતિ-જાતિ વચ્ચે વિખવાદ ઊભો કર્યો હતો. મતદારોએ આ બધા દાવપેચને નકારીને વિકાસને મહત્ત્વ આપ્યું છે. આ પરિણામ દર્શાવે છે કે જનતા માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાથે છે. રાહુલબાબા વિરોધી પક્ષનેતા બન્યા બાદ નાટક અને નૌટંકી કરી રહ્યા છે. હરિયાણાની જનતાએ રાહુલ ગાંધીને જવાબ આપીને વિરોધી પક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીને પહેલી સલામી આપી છે. હરિયાણા બાદ મહારાષ્ટ્રની જનતા બીજી સલામી આપશે. હા, વિજય મૂર્ખાઓના નંદનવનમાં રાચનારાઓને જમીન પર લાવનારો છે. જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં કયો પક્ષ વિજયી થયો એ મહત્ત્વનું નથી, અહીં ભારત અને લોકશાહીનો વિજય થયો છે. જે લોકો કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે તેમણે જોવું જોઈએ કે અમે કાશ્મીરમાં સફળતાપૂર્વક ચૂંટણી યોજીને બતાવી. મહારાષ્ટ્રની જનતાને કહેવા માગું છું કે અમે વિજયના મદમાં છકી નહીં જઈએ. આ વિજયે અમને નમ્રતા શીખવી છે. ફેક નૅરેટિવથી વારંવાર વિજય નથી મળતો. સવારે ૯ વાગ્યે બકબક કરનારા રાતથી સ્ક્રિપ્ટ તૈયાર કરીને બેઠા હતા. આજે આ બકબક કરનારાને પૂછવું છે કે હવે કેવું લાગે છે? જનતા સાથે બેઈમાની કરીને ચૂંટાઈ આવ્યા છે આ લોકો. જનતા તેમને તેમની જગ્યા બતાવ્યા વિના નહીં રહે.’


 


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2024 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK