અમોલ મિટકરીએ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત બધા જ પ્રધાનોને વિનંતી કરીને કહ્યું
અમોલ મિટકરી
અજિત પવારનું જે કંપનીના વિમાનના અકસ્માતમાં ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં મોત થયું હતું એ દિલ્હીની કંપની VSR એવિયેશનના માલિકને અન્ડરવર્લ્ડે VIP નેતાઓને મારવાની સુપારી આપી છે એવો દાવો NCP (SP)ના વિધાનપરિષદના સભ્ય અમોલ મિટકરીએ ગઈ કાલે કર્યો હતો.
આમ કહી અમોલ મિટકરીએ ત્યાર બાદ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત બધા જ પ્રધાનોને વિનંતી કરીને કહ્યું હતું કે એક વાર બાય રોડ પ્રવાસ કરો કે પછી ટ્રેનમાં પ્રવાસ કરો પણ VSR કંપનીના વિમાનમાં પ્રવાસ ન કરો. એ સિવાય અજિત પવારના અકસ્માતની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા તપાસ થવી જોઈએ એવી માગણી પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રની જનતાને અકસ્માતનું સાચું કારણ ખબર પડવી જોઈએ.
