Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પનવેલમાં દહીહંડી દરમ્યાન કરન્ટ લાગ્યો, ૭ લોકો ઈજાગ્રસ્ત

પનવેલમાં દહીહંડી દરમ્યાન કરન્ટ લાગ્યો, ૭ લોકો ઈજાગ્રસ્ત

Published : 07 September, 2026 07:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શૉર્ટ-સર્કિટ અથવા કરન્ટ કઈ રીતે ફેલાયો એનાં ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ અને વીજ-વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 

પનવેલમાં શનિવારે કરન્ટ લાગ્યા બાદ અમુક લોકો રસ્તા પર જ ઢળી પડ્યા હતા.

પનવેલમાં શનિવારે કરન્ટ લાગ્યા બાદ અમુક લોકો રસ્તા પર જ ઢળી પડ્યા હતા.


પનવેલમાં પાંચમી સપ્ટેમ્બરે દહીહંડી ઉત્સવ દરમ્યાન અચાનક વીજળીનો કરન્ટ લાગતાં સાતેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે ઉત્સવના સ્થળે ભારે અફરાતફરી અને અસુરક્ષાનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ દહીહંડીની ઉજવણી ચાલુ હતી ત્યારે જ અચાનક કરન્ટ ફેલાતાં સ્થળ પર હાજર લોકોમાં ભય ફેલાયો હતો અને પોતાનો જીવ બચાવવા માટે તેઓ ભાગદોડ કરવા લાગ્યા હતા. કરન્ટ લાગવાથી ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.



આ ઘટના બાદ જાહેર કાર્યક્રમો અને તહેવારો દરમ્યાન આયોજકો દ્વારા રાખવામાં આવતી વીજ-સુરક્ષા અને લાઇટિંગની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શૉર્ટ-સર્કિટ અથવા કરન્ટ કઈ રીતે ફેલાયો એનાં ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ અને વીજ-વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK