Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner

આમાં કંઈ ખોટું નથી

Published : 28 February, 2025 12:25 PM | Modified : 02 March, 2025 07:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાકાલ ચલોમાં શિવલિંગને ગળે વળગાડવાના વિવાદના મુદ્દે અક્ષય કુમારે આખરે કરી સ્પષ્ટતા

અક્ષય કુમાર

અક્ષય કુમાર


અક્ષય કુમારનું તાજેતરમાં રિલીઝ થયેલું ભક્તિગીત ‘મહાકાલ ચલો’ રિલીઝની સાથે જ વિવાદમાં ઘેરાઈ ગયું હતું. ઉજ્જૈનના પૂજારી સંઘે આ ગીતનાં કેટલાંક દૃશ્યોને ગેરરીતિભર્યાં દર્શાવ્યાં હોવાનું જણાવ્યું હતું. આ સંઘના અધ્યક્ષે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘ગીત તો સારું છે, પરંતુ કેટલાંક દૃશ્યો અયોગ્ય છે. આ વિડિયોમાં અક્ષય કુમાર શિવલિંગને ગળે વળગાડતો દેખાય છે જે સ્વીકાર્ય નથી. એ ઉપરાંત જે રીતે ભસ્મ ચડાવવામાં આવી રહી છે એ પરંપરાનો ભંગ છે.’


અક્ષયે આ વિવાદ પર પોતાની આગામી ફિલ્મ ‘કન્નપ્પા’ માટે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં પ્રતિક્રિયા આપતાં ‘મહાકાલ ચલો’ ગીતમાં શિવલિંગને ગળે વળગાડવાના વિવાદ પર પોતાની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘બાળપણથી મારાં માતા-પિતાએ મને શીખવ્યું છે કે ભગવાન આપણાં માતા-પિતા છે. તમે તમારાં માતા-પિતાને ગળે લગાડો એમાં ખોટું શું છે? બિલકુલ ખોટું નથી. મારી શક્તિ ત્યાંથી આવે છે. જો મારી ભક્તિને કોઈ ખોટી સમજે તો એમાં મારો કોઈ વાંક નથી. વાત બસ આટલી જ છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub