Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉજ્જ્વલ નિકમ કે કિશોરકુમાર? કોની બાયોપિકમાં કામ કરશે આમિર ખાન?

ઉજ્જ્વલ નિકમ કે કિશોરકુમાર? કોની બાયોપિકમાં કામ કરશે આમિર ખાન?

Published : 23 October, 2024 08:43 AM | Modified : 23 October, 2024 09:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઉપરાંત પણ તેની સામે ઘણા ઑપ્શન છે, જેને લીધે તે અસમંજસમાં છે

આમિર ખાન

આમિર ખાન


આમિર ખાન આજકાલ મૂંઝવણમાં છે. એક તરફ તે તેની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ને રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે અને બીજી તરફ તેને આગામી ફિલ્મ કઈ સિલેક્ટ કરવી એનું સ્ટ્રેસ છે. આમિર પાસે આગામી ફિલ્મ માટેના ઑલરેડી ઘણા વિકલ્પ હતા એમાં હવે એકનો ઉમેરો થયો છે. આમિર પાસેના વિકલ્પોમાં રાજકુમાર સંતોષીની અને ઝોયા અખ્તરની ફિલ્મ ઉપરાંત વિખ્યાત ઍડ‍્વોકેટ ઉજ્જ્વલ નિકમની બાયોપિકનો સમાવેશ હતો તથા હવે એમાં સદ‍્ગત દંતકથારૂપ ગાયક કિશોરકુમારની બાયોપિકનો ઉમેરો થયો છે.


કિશોરકુમારની બાયોપિક ડિરેક્ટર અનુરાગ બાસુનો ડ્રીમ પ્રોજેક્ટ છે. અનુરાગ આ ફિલ્મ ઘણા સમયથી રણબીર કપૂરને લઈને બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. હવે એવી ચર્ચા છે કે તેણે આમિરનો સંપર્ક કર્યો છે અને તેને આ ફિલ્મ માટેના પોતાના વિઝનથી ઇમ્પ્રેસ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે અનુરાગ થોડા વખત પહેલાં આમિર અને રણબીરને સાથે લઈને એક ફિલ્મ બનાવવા માગતો હતો.



આમિર સામે હવે પ્રશ્ન એ છે કે ‘સિતારે ઝમીન પર’ પછી કયા પ્રોજેક્ટને હાથમાં લેવો.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2024 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK