Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > કોરોનાનું સ્વરૂપ : દરેક પગલે સાબિત થાય છે કે આ વાઇરસનું જનક ચાઇના છે

કોરોનાનું સ્વરૂપ : દરેક પગલે સાબિત થાય છે કે આ વાઇરસનું જનક ચાઇના છે

Published : 09 March, 2021 11:14 AM | IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

કોરોનાનું સ્વરૂપ : દરેક પગલે સાબિત થાય છે કે આ વાઇરસનું જનક ચાઇના છે

કોરોનાનું સ્વરૂપ : દરેક પગલે સાબિત થાય છે કે આ વાઇરસનું જનક ચાઇના છે

કોરોનાનું સ્વરૂપ : દરેક પગલે સાબિત થાય છે કે આ વાઇરસનું જનક ચાઇના છે


હા, ડગલે ને પગલે પુરવાર થઈ રહ્યું છે કે કોવિડ-19 વાઇરસ મૅનમેડ છે અને એના જન્મ પાછળ બીજા કોઈનો નહીં, પણ ચાઇનાનો હાથ છે, ચાઇના એનું જનક છે. કોવિડ-19 લૅબોરેટરીમાં બનાવવામાં નહોતો આવ્યો એ વિશે તો અગાઉ ચાઇનાએ કહ્યું છે, પણ ચાઇનાની ફિતરત દુનિયાને દેખાડવાની કે દુનિયાને સમજાવવાની જરૂર નથી. ચાઇના પોતે જ પોતાની વાતમાં ખોટું સાબિત થઈ ચૂક્યું છે. ગયા મહિને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની એક ટીમ ચાઇના ગઈ હતી અને તપાસ કરી હતી કે કોવિડ-19નો જન્મ કઈ રીતે થયો. ટીમ દ્વારા થઈ રહેલા એ સર્વેમાં દેખીતી રીતે ચાઇનાએ પૂરો સહકાર આપ્યો, પણ એ સહકારમાં પણ એની વણદેખી આડાઈ અકબંધ હતી.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના સાથીઓએ ચાઇનાથી પાછા આવ્યા પછી કહ્યું કે તેમણે જ્યાં-જ્યાં સર્વે કરવો હતો ત્યાં-ત્યાં નહીં, પણ ચાઇના જ્યાં-જ્યાં લઈ જવા માગતું હતું ત્યાં-ત્યાં એ લોકો જઈ શક્યા છે. આ વાત જ સાબિત કરે છે કે ચાઇનાના પેટમાં પાપ હતું અને આ પાપ જગજાહેર છે, કોવિડ એણે જન્માવેલો વાઇરસ છે.
મુદ્દો અત્યારે એ નથી કે આપણે એ વાઇરસના જનકને શોધવાનું કામ કરીએ, મુદ્દો અહીં એ છે કે આ વાઇરસ માનવસર્જિત છે એ વધુ એક વાર પુરવાર થઈ રહ્યું છે. કોરોનાનું સ્વરૂપ બદલાય છે અને બદલાયેલા આ સ્વરૂપમાં હવે ત્રીજું અને ચોથું રૂપ જોવા મળ્યું છે. યુકેમાં નવા પ્રકારનો કોરોના વાઇરસ દેખાયો એ વાત જરા જૂની થઈ ગઈ છે, પણ હવે ફ્રાન્સ અને આફ્રિકન દેશોમાં જે કોરોના વાઇરસ દેખાયો છે એ ફરીથી નવા પ્રકારનો છે. વાઇરસ મૂળ એ જ છે જે ૧૪ મહિના પહેલાં દુનિયાની સામે આવ્યો હતો, પણ આ સમયગાળા દરમ્યાન વાઇરસ ચેન્જ થઈ રહ્યો છે. વાઇરસ ચેન્જ થાય એમાં કોઈ મોટી વાત નથી, પણ જેને સામાન્ય ચેન્જ કહેવાય એવો આ ચેન્જ નથી. તમે જુઓ બર્ડ ફ્લુ કે સ્વાઇન ફ્લુ જેવી બીમારીના વાઇરસમાં કોઈ જાતનો ફરક નોંધવામાં નથી આવ્યો. એ એના એક સ્વરૂપ સુધી પહોંચી ગયા પછી પોતાનું એ રૂપ જાળવી રાખે છે, પણ કોરોનાને આ વાત લાગુ નથી પડતી.
કોરોના બદલાઈ રહ્યો છે અને બદલાઈ રહેલો કોરોના એસ્ટૅબ્લિશ કરે છે કે એના સર્જનકાળ સમયે જ એને બદલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશના આધારે એ ચાલી રહ્યો છે. ધારણા એવી જ મૂકવામાં આવતી હતી કે જેવી વૅક્સિનની દિશા મળે એ સમયે ફરીથી કોવિડના વાઇરસમાં ચેન્જ આવે અને શોધાઈ હોય એ વૅક્સિન કારગત ન નીવડે. આવું દેખીતી રીતે ધારવામાં આવી રહ્યું છે અને આ ધારણાને જો વાજબી માનીએ તો કહેવું પડે કે આવતા સમયમાં કોવિડ નવેસરથી ત્રીજી લહેર લાવી શકે છે. હવે કોવિડના આ નવા સ્ટ્રેનમાં નવી તાકાત હશે એવું અનુમાન બાંધી શકાય છે, જો એનાથી બચવું હોય, જો એનાથી સલામત રહેવું હોય તો એક જ રસ્તો છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2021 11:14 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK