Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > Reliance Power: અનિલ અંબાણીના આ કંપનીના શેરમાં જોરદાર ઉછાળો, જાણો વિગતે

Reliance Power: અનિલ અંબાણીના આ કંપનીના શેરમાં જોરદાર ઉછાળો, જાણો વિગતે

Published : 22 March, 2024 06:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર (Reliance Power) આ દિવસોમાં માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. શુક્રવારે રિલાયન્સ પાવરનો શેર 5 ટકા વધીને રૂા. 26.27 થયો હતો

અનિલ અંબાણી

અનિલ અંબાણી


અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર (Reliance Power) આ દિવસોમાં માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. શુક્રવારે રિલાયન્સ પાવરનો શેર 5 ટકા વધીને રૂા. 26.27 થયો હતો. રિલાયન્સ પાવરના શેર સતત ત્રીજા દિવસે ઉપલી સર્કિટ પર છે. કંપનીના શેર (Reliance Power)માં આ વધારો લોન રિપેમેન્ટ સંબંધિત મોટા અપડેટ બાદ આવ્યો છે. રિલાયન્સ પાવરે તેની એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે કંપનીએ સેટલમેન્ટ એગ્રીમેન્ટ મુજબ ડીબીએસ બૅન્ક ઈન્ડિયા પાસેથી ઉધાર લેવાનું સંપૂર્ણ રીતે સેટલ કરી દીધું છે અને હવે 45 મેગાવોટના પવન ઉર્જા પ્રોજેક્ટની અસ્કયામતો સંપૂર્ણપણે દેવું મુક્ત છે.

3 બૅન્કોના દેવાની પતાવટના સમાચાર



રિલાયન્સ પાવરે (Reliance Power) ગયા અઠવાડિયે ત્રણ બૅન્કો, ICICI બૅન્ક, એક્સિસ બૅન્ક અને DBS બૅન્કના લેણાંની પતાવટ કરી છે. ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. આ રિપોર્ટ બાદ રિલાયન્સ પાવરે DBS બૅન્કની લોન સેટલમેન્ટ સંબંધિત અપડેટ આપ્યું છે. કૉમર્શિયલ બૅન્કના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ પાવર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં સંપૂર્ણપણે દેવામુક્ત થવા માગે છે. તેમણે કહ્યું કે કંપનીના ચોપડામાં એકમાત્ર બાકી લોન IDBI બૅન્કની કાર્યકારી મૂડીની લોન હશે.


રિલાયન્સ પાવરનો શેર 2225 ટકા વધ્યો

છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 2225 ટકાનો વધારો થયો છે. રિલાયન્સ પાવરનો શેર 27 માર્ચ, 2020 ના રોજ રૂા. 1.13 પર હતો. અનિલ અંબાણીની પાવર કંપનીનો શેર 22 માર્ચ 2024ના રોજ રૂા. 26.27 પર પહોંચી ગયો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 155 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેર 10.29 રૂપિયાથી વધીને હવે 26.27 રૂપિયા થઈ ગયા છે. રિલાયન્સ પાવરના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂા. 33.10 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 9.05 રૂપિયા છે.


કોકિલાબહેન અને અનિલ અંબાણીએ સાળંગપુરમાં હનુમાનદાદાનાં કર્યાં દર્શન

રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચૅરમૅન અનિલ અંબાણી અને તેમનાં મમ્મી કોકિલાબહેન અંબાણીએ ગઈ કાલે ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનદાદાના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતાં. તેઓએ હનુમાનદાદાના વાઘા તેમ જ ધ્વજાનો થાળ અર્પણ કર્યો હતો અને હનુમાનદાદાની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી.

અનિલ અંબાણીને રાહત : ઇન્કમ ટૅક્સની નોટિસ પર સ્ટે યથાવત્

બૉમ્બે હાઈ કોર્ટે બ્લૅક મની ઍક્ટ અંતર્ગત ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને આપવામાં આવેલી શોકૉઝ નોટિસ અને દંડ પર વધુ આદેશ ન આવે ત્યાં સુધી વચગાળાનો સ્ટે યથાવત્ રાખ્યો છે. હાઈ કોર્ટની બેન્ચ નોટિસ અને દંડની માગને પડકારતી અનિલ અંબાણીની અરજીની સુનાવણી ૨૮ એપ્રિલે કરશે અને આઇટી વિભાગને એનો જવાબ આપવા માટે સમય આપ્યો હતો. હાઈ કોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૨માં સુનાવણી બાકી હોવાથી નોટિસ પર વચગાળાનો મનાઈહુકમ આપ્યો હતો. આઇટી વિભાગે ૮ ઑગસ્ટ ૨૦૨૨ના રોજ અનિલ અંબાણીને ૮૧૪ કરોડ રૂપિયાથી વધુની જાહેર ન કરેલી આવક બદલ કથિત રીતે ૪૨૦ કરોડ રૂપિયાની કરચોરી કરવા બદલ નોટિસ આપી હતી. આઇટી વિભાગનું કહેવું હતું કે અનિલ અંબાણીએ જાણી જોઈને તેમના વિદેશી બૅન્ક-ખાતાની વિગતો જાહેર કરી નહોતી.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2024 06:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK