Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્નમંડપ, મંત્રોચ્ચાર કે ફેરાવિધિ કર્યા વિના શહીદ ભગત સિંહને સાક્ષી રાખીને કર્યાં લગ્ન

લગ્નમંડપ, મંત્રોચ્ચાર કે ફેરાવિધિ કર્યા વિના શહીદ ભગત સિંહને સાક્ષી રાખીને કર્યાં લગ્ન

Published : 10 April, 2025 12:36 PM | IST | Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિયાણામાં અનોખાં લગ્ન થયાં જેમાં પંડિત વિના અને ફેરાવિધિ કર્યા વિના લગ્ન કરવામાં આવ્યાં. અહીં દુલ્હા-દુલ્હન તો હતાં, પણ કોઈ બૅન્ડવાજા અને બારાત વિના અને કોઈ લગ્નવિધિ પણ કર્યા વિના લગ્ન થયાં. યુગલનું કહેવું છે કે શહીદ ભગત સિંહની સાક્ષીએ લગ્ન કર્યા.

 સર્વેશ ભુક્કર અને પારસના લગ્ન

સર્વેશ ભુક્કર અને પારસના લગ્ન


હરિયાણામાં એક અનોખાં લગ્ન થયાં જેમાં પંડિત વિના અને ફેરાવિધિ કર્યા વિના જ લગ્ન કરવામાં આવ્યાં. અહીં દુલ્હા-દુલ્હન તો હતાં, પણ કોઈ બૅન્ડવાજા અને બારાત વિના અને કોઈ લગ્નવિધિ પણ કર્યા વિના લગ્ન થયાં. હરિયાણાના ગોરિયા ગામમાં શહીદ ભગત સિંહ યુવા મંચના સભ્ય સર્વેશ ભુક્કર નામના દુલ્હાનાં લગ્ન પારસ નામની દુલ્હન સાથે થયાં. તેમણે માત્ર કેક કાપી અને એકમેકને વરમાળા પહેરાવી. કોઈ સોના-ચાંદીનાં આભૂષણોનો ભભકો પણ નહોતો કર્યો. લગ્ન પછી તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી અને પૂજા દરમ્યાન વપરાયેલાં પુષ્પોને શહીદ ભગત સિંહની તસવીર સામે અર્પણ કરી દીધાં. એ દરમ્યાન ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ અને ‘શહીદ ભગત સિંહ અમર રહે..’ના નારા લગાવ્યા હતા. યુગલનું કહેવું છે કે અમે શહીદ ભગત સિંહની સાક્ષીએ લગ્ન કર્યાં છે. લગ્નમાં હાજર રહેલા મહેમાનોને છોડ આપીને વિદાય કરવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2025 12:36 PM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK