Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૮૫ ટકા પેટીએમ વૉલેટ યુઝર્સને કોઈ જ પ્રૉબ્લેમ નહીં થાય : આરબીઆઇના ગવર્નર

૮૫ ટકા પેટીએમ વૉલેટ યુઝર્સને કોઈ જ પ્રૉબ્લેમ નહીં થાય : આરબીઆઇના ગવર્નર

Published : 07 March, 2024 10:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરબીઆઇના ગવર્નરના જણાવ્યા મુજબ આરબીઆઇ ફિનટેકને સંપૂર્ણ સમર્થન આપે છે અને એના વિકાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

શશિકાંત દાસ

શશિકાંત દાસ


આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે ગઈ કાલે જણાવ્યું હતું કે ૮૦થી ૮૫ ટકા પેટીએમ વૉલેટ યુઝર્સને નિયમનકારી પગલાંને કારણે કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે અને બાકીના યુઝર્સે તેમની ઍપ્લિકેશનને અન્ય બૅન્કો સાથે લિન્ક કરવાની રહેશે. આરબીઆઇએ ૩૧ જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક લિમિટેડ (પીપીબીએલ)ને કોઈ પણ ગ્રાહકના ખાતામાં ડિપોઝિટ, ક્રેડિટ વ્યવહારો અથવા ટૉપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઇના ગવર્નરના જણાવ્યા મુજબ પીપીબીએલ-લિન્ક્ડ વૉલેટને અન્ય બૅન્કો સાથે લિન્ક કરવાની અંતિમ તારીખ ૧૫ માર્ચ નક્કી કરવામાં આવી છે. ૧૫ માર્ચ સુધી આપવામાં આવેલો સમય પૂરતો છે અને વધુ એક્સ્ટેન્શનની જરૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે ૮૦થી ૮૫ ટકા પેટીએમ વૉલેટ અન્ય બૅન્કો સાથે જોડાયેલાં છે અને બાકીનાં ૧૫ ટકાને અન્ય બૅન્કોમાં જવાની સલાહ આપવામાં આવી છે. આરબીઆઇના ગવર્નરના જણાવ્યા મુજબ આરબીઆઇ ફિનટેકને સંપૂર્ણ સમર્થન આપે છે અને એના વિકાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2024 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK