T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતની વિજેતા ટીમના સભ્યો, કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ અને બોલિંગ કોચ શુક્રવારે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા. મુખ્યપ્રધાને ભારતીય ટીમના વિજેતા સભ્યોનું શાલ અને ભગવાન ગણેશની મૂર્તિઓથી અભિવાદન કર્યું, ભારતીય ખેલાડીઓને વિજય માટે અભિનંદન પાઠવ્યા.