Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચોથી ટર્મમાં BJPની સરકાર બને કે ન બને, આ નેતા પ્રધાન બનશે જ

ચોથી ટર્મમાં BJPની સરકાર બને કે ન બને, આ નેતા પ્રધાન બનશે જ

Published : 24 September, 2024 07:02 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં રામદાસ આઠવલેની મશ્કરી કરતાં કહ્યું...

નીતિન ગડકરી,રામદાસ આઠવલે

નીતિન ગડકરી,રામદાસ આઠવલે


કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં કેન્દ્રની કોઈ પણ સરકાર હોય, કાયમ પ્રધાનપદ મેળવનારા રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI)ના વરિષ્ઠ નેતા રામદાસ આઠવલેની મશ્કરી કરતું નિવેદન આપ્યું હતું. નીતિન ગડકરીએ રામદાસ આઠવલેની હાજરીમાં કહ્યું હતું કે ચોથી ટર્મમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર આવશે એની કોઈ ગૅરન્ટી નથી, પણ ગૅરન્ટીથી કહી શકું છું કે રામદાસ આઠવલે પ્રધાન હશે. જોકે બાદમાં નીતિન ગડકરીએ હું મશ્કરી કરી રહ્યો હોવાનું કહ્યું હતું.


ઉલ્લેખનીય છે કે RPI કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં BJPની આગેવાનીના સત્તાધારી ગઠબંધનમાં સામેલ છે. રામદાસ આઠવલે કેન્દ્રની વિવિધ સરકારમાં ત્રણ વખત પ્રધાન રહી ચૂક્યા છે એટલે નીતિન ગડકરીએ તેમના વિશે આવી મશ્કરી કરી હતી.



નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૮ બેઠકની માગણી કરી છે. BJP, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેનાએ એમના ક્વોટામાંથી ૪-૪ બેઠકો ફાળવવી જોઈએ. મને લાગે છે રામદાસ આઠવલે એ માન્ય રાખશે.’


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2024 07:02 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK