Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ટેન્થના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે આ ગુજરાતીઓ

ટેન્થના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે આ ગુજરાતીઓ

આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE), SSC, CBSEનું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...

09 May, 2026 09:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું અશોક હિંડોચાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: 24x7 સેવા, મફત સારવાર: ની:શબ્દ પ્રાણીઓ માટે અશોક હિંડોચાની અનોખી પહેલ

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું અશોક હિંડોચાને, જેમણે પોતાનું જીવન પ્રાણી કલ્યાણ માટે સમર્પિત કર્યું છે. આ જીવો પ્રત્યેની તેમની સહાનુભૂતિ એટલી ઊંડી છે કે તેના કારણે તેઓ અને તેમની ટીમ ૧૪ લાખથી વધુ પ્રાણીઓની મફતમાં સારવાર કરી શક્યા.

07 May, 2026 07:01 IST | Rajkot | Hetvi Karia
આજનાં વન્ડર વુમન છે હીના પરમાર (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વન્ડર વુમન: ગામડાંઓની મહિલાઓ માટે દીવાદાંડીરૂપ બનેલાં પાલનપુરનાં મહેંદી આર્ટિસ્ટ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજના આપણાં વન્ડર વુમન છે હીના પરમાર. પાલનપુરના એક ગામડામાં રહેતા હીના પરમાર પોતે પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ છે. ખાસ વાત તો એ છે કે તેઓએ હર્ષ લિંબાચિયાનાં મમ્મી રીટા લિંબાચિયાને મહેંદી મૂકીને ખુશ કરી નાખ્યાં હતાં. તો, આવો જાણીએ હીનાબહેનની અત્યારસુધીની કલામય સફર.

29 April, 2026 01:50 IST | Palanpur | Dharmik Parmar
આ જાહેરાતનો ઉદ્દેશ્ય ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવાનો છે.

વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે ગ્લોબલ યુનિવર્સિટીની જાહેરાત કરી

અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાએ ગુજરાતના જામનગરમાં ‘વનતારા યુનિવર્સિટી’ની સ્થાપનાની જાહેરાત કરી છે. આ યુનિવર્સિટીને વન્યજીવન સંરક્ષણ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે સમર્પિત વિશ્વની પ્રથમ સંકલિત વૈશ્વિક સંસ્થા તરીકે બિરદાવવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવાનો છે.

10 April, 2026 09:17 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વની ઊજવણીની તસવીરોનું કૉલાજ

રાજકોટ: ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’નું આયોજન, મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી

19મી સદીના આત્મજ્ઞાની સંત Shrimad Rajchandraના 125મા સમાધિદિન નિમિત્તે રાજકોટમાં “પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ 4 એપ્રિલથી 7 એપ્રિલ 2026 દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે યોજાઈ રહ્યું છે. આ આયોજન Shrimad Rajchandra Gyan Mandir Trust દ્વારા કરવામાં આવ્યું છે.

06 April, 2026 06:51 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું રણજીત ઠાકોરને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

‘જીવવું હોય તો પર્યાવરણ બચાવો’: વન્યજીવ બચાવતા રણજીત ઠાકોરની પ્રેરણાદાયક સફર

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું રણજીત ઠાકોરને જેમણે પર્યાવરણ બચાવવાનું બીડું પોતાના ખભા પર ઉપાડ્યું છે. તે અમદાવાદમાં રજિસ્ટર્ડ વન્યજીવન રેસ્કયુઅર છે. આવો તેમના વિશે વધુ જાણીએ...

25 March, 2026 09:31 IST | Mumbai | Hetvi Karia
તસવીરોનો કૉલાજ

GSFC યુનિવર્સિટીમાં માનવ તસ્કરી પર હેરોલ્ડ ડિસોઝાએ વિદ્યાર્થીઓને કર્યા સંબોધિત

GSFC યુનિવર્સિટીએ 10 માર્ચ 2026 ના રોજ યંગ લીડર્સ ગ્લોબલ ઇમ્પેક્ટ નામનો કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા અને માનવ તસ્કરીથી બચી ગયેલા હેરોલ્ડ ડિસોઝાએ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને SoT ઓડિટોરિયમમાં યોજાયો હતો.

13 March, 2026 04:27 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
ફાઉન્ડેશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય વન્યજીવનનું રક્ષણ કરવાનો, સમુદાયોને સશક્ત બનાવવાનો અને સારા ભવિષ્યમાં યોગદાન આપવાનો છે.

VANTARA FOUNDATION DAY: અનેક પ્રાણીઓ સ્વસ્થ થઈ જંગલોમાં પાછા ફર્યા, જુઓ તસવીરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વર્ષ પહેલા ઉદ્ઘાટન થયેલા, વનતારા ફાઉન્ડેશ દ્વારા તેમના પહેલા વર્ષમાં વન્યજીવન સંરક્ષણ, પશુચિકિત્સા દવા અને વિજ્ઞાન આધારિત સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. અનંત મુકેશ અંબાણી દ્વારા સ્થાપિત, ફાઉન્ડેશને હજારો ઘાયલ અને પીડિત વન્યજીવોને બચાવ્યા છે અને તેમને તેમના કુદરતી નિવાસસ્થાન જંગલમાં પાછા ફર્યા છે.

02 March, 2026 07:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK