Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જામનગરમાં ભૂકંપના બે આંચકા અનુભવાતાં લોકોમાં ફફડાટ ફેલાયો

જામનગરમાં ભૂકંપના બે આંચકા અનુભવાતાં લોકોમાં ફફડાટ ફેલાયો

Published : 31 December, 2019 09:50 AM | IST | Jamnagar

જામનગરમાં ભૂકંપના બે આંચકા અનુભવાતાં લોકોમાં ફફડાટ ફેલાયો

ભૂકંપ

ભૂકંપ


રાજ્યમાં હમણાંથી ભૂકંપના આંચકા અનુભવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રવિવારે સૌરાષ્ટ્રના જામનગરના લોકોમાં ભૂકંપને લઈને ભૂતકાળની યાદો ફરી તાજી થઈ ગઈ હતી. જામનગરમાં ગઈ કાલે રાત્રે બે ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જામનગરમાં ગણતરીની મિનિટમાં ઉપરાઉપરી બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ભયના કારણે પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી ૨૮ કિલોમીટર દૂર નોંધાયું છે.


આ પણ વાંચો : તીડ પર નિયંત્રણ મેળવાયું, અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી



સૌરાષ્ટ્રના જામનગરના લોકોમાં ભૂકંપને લઈને ભૂતકાળની યાદો ફરી તાજી થઈ ગઈ હતી. ગઈ કાલે રાત્રે ૧૧.૦૪ અને ૧૧.૦૯ વાગ્યે આવેલા ઉપરાઉપરી બે ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨.૫ અને ૨.૩ નોંધાઈ હતી. જોકે હજી સુધી ભૂકંપને લઈને કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2019 09:50 AM IST | Jamnagar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK