Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


 ૧૯ માર્ચથી શરૂ થયેલી ઉત્તરવાહિનીની નર્મદા પરિક્રમા ૧૮ એપ્રિલે પૂરી થશે.

નર્મદાની ૨૧ કિલોમીટરની પરિક્રમામાં આ ૯ મંદિરોનાં દર્શન અચૂક કરજો

સોશ્યલ મીડિયાના પ્રતાપે અનેક દશકાઓથી થતી મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા છેલ્લાં થોડાં વર્ષોથી ભારે પૉપ્યુલર થઈ છે. એક સમયે સંતો, સાધુઓ તથા પ્રખર ભક્તો જે યાત્રા કરતા એ પવિત્ર પરિક્રમા વડીલો અને યુવાનો સુધ્ધાં મોટી સંખ્યામાં કરે છે. ઘણા યાત્રાળુઓ પરિક્રમાના રૂટ પર આવેલાં પૌરાણિક અને મહત્ત્વનાં મંદિરોનાં દર્શન નથી કરતા. પણ દોસ્તો, ૨૧ કિલોમીટરની આ સર્ક્યુલર યાત્રામાં આ મંદિરોનાં દર્શન કરવાં એ પરિક્રમાનો જ ભાગ છે ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી મા ગંગા કાશીમાં વિશ્વનાથનાં દર્શન કરવા જેમ ફરીને ઉત્તર તરફ વહેવા લાગે છે એ જ રીતે મા રેવા ઉત્તરમાં આવેલા કૈલાશમાં રહેતા કૈલાશપતિનાં દર્શન કરવા ૯ કિલોમીટરના પટ્ટામાં પોતાનું વહેણ બદલીને ઉત્તરમાં વહે છે. ગંગાજી ભારતની સૌથી પવિત્ર નદી ગણાય છે. શિવજીની જટામાંથી નીકળતી આ સરિતામાં સ્નાન કરવાથી પાપમુક્ત થવાય છે. એ જ રીતે યમુનોત્રી ધામથી ઉદ્ભવતી યમુનાનાં જળના પાનથી વ્યક્તિની પુણ્યરાશિ વધે છે. છતાં બન્ને નદીઓની પરિક્રમાનો કોઈ ઉપક્રમ નથી. પરિક્રમા તો માત્ર નર્મદા નદીની થાય છે, કારણ કે સ્કંદપુરાણમાં રેવા ખંડનો એક શ્લોક છે, ‘નર્મદા સરિતાં શ્રેષ્ઠાં, શિવતત્ત્વ સમન્વિતામ, શિવસ્મરણ પ્રાપ્તયે, સર્વ પાપ વિનાશિની.’ અર્થાત્ નર્મદા શ્રેષ્ઠ નદી છે જે શિવ-સ્મરણ કરાવે છે અને શંભુના સ્મરણમાત્રથી સર્વ પાપનો વિનાશ થાય છે. કહેવાય છે કે દરેક જીવો ના સ્નાનથી, ના પાનથી, નર્મદાનાં દર્શનમાત્રથી પુનિત થાય છે. લગભગ ૭૦૦૦ વર્ષ પહેલાં ઋષિ માર્કન્ડેયએ પ્રથમ વખત મા રેવાની પરિક્રમા કરી. મધ્ય પ્રદેશની પૂર્વીય સીમાએ આવેલા અમરકંટકથી નીકળી ગુજરાતના ખંભાતના અખાતમાં આવીને સમુદ્રમાં ભળી જતી નર્મદાની કુલ લંબાઈ ૧૩૧૨ કિલોમીટર છે, જ્યારે એની પરિક્રમા ૨૬૦૦ કિલોમીટરની થાય છે. માર્કન્ડેય ઋષિને આ યાત્રા કરતાં ૩ વર્ષ ૩ મહિના ૧૩ દિવસ લાગ્યા હતા. પૌરાણિક ગ્રંથો કહે છે કે આ પરિક્રમા કર્યા બાદ મુનિને અહંકાર આવી જતાં તેમની સાધના વિફળ ગઈ અને માર્કન્ડેય ઋષિએ પ્રાયશ્ચિત્તરૂપે રેવામાં ભળતી ૯૯૯ સહાયક નદીઓના ઉદ્ગમની પણ યાત્રા કરતાં-કરતાં ફરી એક વખત નર્મદામૈયાની પરિક્રમા કરી જે પૂરી કરતાં તેમને ૪૫ વર્ષ લાગ્યાં હતાં (જોકે કોઈ સંદર્ભ અનુસાર એ ૭ વર્ષમાં થઈ હતી). આજે પણ અનેક સાધુ-સંતો મહર્ષિ માર્કન્ડેયની જેમ આખી પરિક્રમા ૩ વર્ષ ૩ મહિના ૧૩ દિવસની કરે છે અને અનેક ભક્તો આ પૂર્ણ પરિક્રમા ચારથી ૬ મહિનામાં કરે છે. જોકે સનાતન ધર્મની ઉદારતા જુઓ કે જેમના માટે રેવાની દીર્ઘ પરિક્રમા કરવી શક્ય નથી તેઓ ફક્ત ૨૧ કિલોમીટરની ઉત્તરવાહિનીની પરિક્રમા કરીને પણ પુણ્યનું ભાથું બાંધી શકે છે. કહે છે કે મા બિપાશાની ૩ ઉત્તરવાહિનીની પરિક્રમા દીર્ઘ પરિક્રમા કર્યાનું પુણ્ય આપે છે. દર ચૈત્ર મહિનામાં મા નર્મદાની ઉત્તરવાહિનીની પરિક્રમા થાય છે જે તિલકવાડા અથવા રામપુરાથી શરૂ કરી શકાય છે. આ પરિક્રમા દરમ્યાન અનેક નાનાં-મોટાં પ્રાચીન-અર્વાચીન મંદિરો, આશ્રમો અને સિદ્ધ સ્થળો આવે છે જ્યાં ભક્તો દર્શન કરીને પાવન થાય છે. જોકે આ મંદિરો અને આશ્રમો વિશે વાત કરતાં પહેલાં આપણે એ જાણવું સારું રહેશે કે ઉત્તરવાહિનીની પરિક્રમા એટલે શું? ભારતની મોટા ભાગની નદીઓનું વહેણ ઉત્તરથી દક્ષિણ અથવા પશ્ચિમથી પૂર્વ તરફનું છે. એક માત્ર રેવા પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. એ વહેણમાં નર્મદા રાજપીપળા જિલ્લાના ૯ કિલોમીટરના વિસ્તારમાં પોતાની દિશા છોડીને ઉત્તર તરફ વહેવા લાગે છે. વૈદિક પરંપરામાં ઉત્તર દિશા મોક્ષની દિશા ગણાય છે. આથી ઉત્તરવાહિની (ઉત્તર તરફ વહેતી)ની પરિક્રમા મોક્ષ-મુક્તિદાતા ગણાય છે. હવે રેવાના વિપરીત પ્રવાહ વિશે પ્રચલિત લોકકથાની વાત કરીએ તો ભોળેનાથ જ્યારે મેકલ પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તેમના શરીર પરથી પડેલાં પ્રસ્વેદનાં ટીપાંમાંથી એક સરોવર બન્યું. આ સરોવરમાંથી સુંદર કન્યા પ્રગટ થઈ અને દેવતાઓએ તેનું નામ નર્મદા રાખ્યું. પૌરાણિક કથા આગળ કહે છે કે મેકલની પુત્રી કહેવાતી નર્મદા જ્યારે વિવાહયોગ્ય થઈ ત્યારે રાજાએ ઘોષણા કરી કે જે વ્યક્તિ ગુલબકાવલીનું ફૂલ લઈ આવશે તેને નર્મદા વરશે (અન્ય માન્યતા મુજબ આ શરત નર્મદાએ રાખી હતી). કહાની આગળ ધપાવીએ તો રાજકુમાર સોનભદ્રએ આ શરત પૂરી કરી અને નર્મદા તેમ જ સોનભદ્રનાં લગ્નની તૈયારીઓ શરૂ કરવામાં આવી. જોકે વિવાહ પહેલાં નર્મદાએ તે રાજકુમારને જોવા હતા. તેમણે પોતાની સખી જોહિલાને પોતાનાં વસ્ત્રો પહેરાવી સંદેશો લઈને સોનભદ્ર પાસે મોકલી. ત્યારે રાજકુમાર સમજ્યા કે તે દાસી જ નર્મદા છે અને તેમણે તે કન્યા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ રાખી દીધો. સોનભદ્રથી મોહિત થઈ ગયેલી જોહિલાએ રાજાને સત્ય ન કહ્યું અને તેમના પ્રસ્તાવને સ્વીકારી લીધો. આ બાજુ નર્મદા સખી જોહિલાની રાહ જોવા લાગી, પરંતુ જ્યારે તે પાછી ન ફરી અને નર્મદાને આખા બનાવની જાણ થઈ ત્યારે તેણે જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્પ લીધો અને ક્રોધમાં પોતાનું વહેણ બદલી દીધું.

05 April, 2026 01:46 IST | Mumbai | Alpa Nirmal
સેન્ટેનિયલ ઓલિમ્પિક પાર્ક

અમેરિકાના દક્ષિણ રાજ્યોમાં ઉનાળો: શહેર, પ્રકૃતિ અને અનુભવની સફર

અમેરિકાના દક્ષિણ રાજ્યોમાં ઉનાળો માત્ર ફરવાનો સમય નથી પણ બહાર નીકળી જીવનને થોડું નજીકથી અનુભવી લેવાનો સમય છે. ક્યારેક શહેરની જીવંત ગલીઓમાં ફરવું, તો ક્યારેક પ્રકૃતિની વચ્ચે શાંતિ શોધવી. ક્યાંક રમતોનો ઉત્સાહ છે, તો ક્યાંક સાહસનો રોમાંચ. અહીંનો દરેક દિવસ કંઈક નવું આપતો લાગે છે. જ્યોર્જિયાનું પાટનગર એટલાન્ટા એક એવું શહેર છે જ્યાં આધુનિકતા અને ઇતિહાસ બંને સાથે જીવતા લાગે છે. અહીં પહોંચતા જ શહેરની એનર્જી તમને સ્પર્શે છે. ડાઉનટાઉન વિસ્તારમાં આવેલું સેન્ટેનિયલ ઓલિમ્પિક પાર્ક પ્રવાસની શરૂઆત માટે એક સુંદર જગ્યા છે. એટલાન્ટા એક ધમધમતું શહેર છે જે અનેક અનુભવો આપે છે. 1996ના ઓલિમ્પિક્સની યાદો અહીં હજુ પણ જીવંત લાગે છે. આસપાસનો વિસ્તાર ચાલવા માટે અનુકૂળ છે, એટલે અહીંથી શહેરને સમજવાનું શરૂ કરવું સરળ બની જાય છે. (તસવીર સૌજન્ય -  ટ્રાવેલ સાઉથ યુએસએ)

23 March, 2026 04:35 IST | Atlanta | Gujarati Mid-day Online Correspondent
સાન્ટા મોનિકા - ફોટો: માઈક મેકબે / CC BY 2.0, વિકિમિડિયા કોમન્સ

ફિફા વર્લ્ડ કપ 2026 પત્યા પછી લોસ એન્જલસની આસપાસના સ્થળોએ પ્લાન કરો આ ટ્રીપ્સ

શું તમે 2026 ફિફા વર્લ્ડ કપ માટે લોસ એન્જલસ જઈ રહ્યા છો? ફૂટબૉલ પતે એટલે ગોલ્ડન સ્ટેટ (કેલિફોર્નિયા) માં તમારી સફર પણ પુરી થઈ જાય એમ ન હોઈ શકે. લોસ એન્જલસથી થોડા કલાકોના ડ્રાઈવ પર જ જાવ અને નવા નજારા જોવા મળશે.  સર્ફિંગ દેખાશે અને રણના ઓએસિસ પણ અને પહાડો પછી દ્રાક્ષના બગીચાઓ વાળી વેલીઝ પણ જોવા મળશે. ઐતિહાસિક હાઇવે એવા નાના ટાઉન્સ તરફ લઇ જશે જ્યાં કંઇક ખાસ છે અને ત્યાંનો ફૂડ સીન પણ બહુ જ સરસ છે. જો તમે ફૂટબૉલની આ દુનિયાની સૌથી મોટી ઈવેન્ટ માટે દરિયો પાર કરીને ટ્રાવેલ કરતા હો તો થોડું વધારે રોકાઈને કેલિફોર્નિયાને એક્સપ્લોર કરો.

25 February, 2026 02:44 IST | Los Angeles | Gujarati Mid-day Online Correspondent
ટોક્યોમાં જે દિશામાં જોઇએ ત્યાં પરફેક્શન અને સૌંદર્ય છે

ટોક્યો ફોર ટુઃ ટોક્યોની સફર એટલે અસાધારણ ક્ષણોનો રોમાન્સ

જે યુગલો બીચ પરના સનસેટ કે યુરોપના ચવાઈ ગયેલા પ્રવાસથી કંઈક અલગ ઈચ્છે છે, તેમના માટે ટોક્યો એક શાંત અને અનોખો અનુભવ બનશે  છે. અહીં રોમાંસના અનેક લેયર્સ છે, પરંપરાઓ, કંઇક નવું મળી આવવું, સ્કાયલાઇન ડિનર્સ અને સોનેરી રોશનીથી ઝળહળતી સડકો પર ટહેલવું. સદીઓ જૂની પરંપરાઓ અને અતિ-આધુનિક ડિઝાઇનનો સંગમ એટલે ટોક્યો. અહીં તમે ફક્ત પ્રેમને સેલિબ્રેટ કરવા નથી આવતા, પણ શહેરને અલગ રીતે જીવવા, માણવા આવો છો. 

23 February, 2026 07:54 IST | Tokyo | Gujarati Mid-day Online Correspondent
હૅરિટેજ વૉકથી લઈ સંરક્ષણ અભિયાન સુધી, અમદાવાદની અદૃશ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી અનોખી પહેલ

પોળથી પ્રજા સુધી: ‘ધ દૂરબીન’એ જીવંત રાખ્યો છે અમદાવાદનો આ વારસો

યુનેસ્કો દ્વારા ‘વર્લ્ડ હૅરિટેજ સિટી’નો દરજ્જો પ્રાપ્ત કરેલું અમદાવાદ ઐતિહાસિક ઈમારતોનું શહેર હોવાની સાથે સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને લોકજીવનનો જીવંત વારસો પણ છે. આ અમૂલ્ય વારસાને ઓળખવા, સમજવા અને આગામી પેઢી સુધી પહોંચાડવાનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ‘ધ દૂરબીન’ નામની સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

03 February, 2026 03:26 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
આ વર્ષની થીમ દ્રષ્ટિ, નવીનતા અને સાંસ્કૃતિક નેતૃત્વની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે વર્તમાનથી આગળ જોવાની અને ભવિષ્યનું ચિત્ર બનાવવાની ક્ષમતાને દર્શાવે છે.

કાલા ઘોડા આર્ટ્સ ફૅસ્ટિવલ 2026: મુંબઈના સૌથી જૂના ઈવેન્ટની થશે જોરદાર ઉજવણી

મુંબઈનો સૌથી જૂનો અને ઐતિહાસિક કલા ફૅસ્ટિવલ, કાલા ઘોડા આર્ટ્સ ફૅસ્ટિવલ, શહેરમાં પાછો ફરી રહ્યો છે. કલા, સંસ્કૃતિ અને ક્રિએટિવ એક્સપ્રેશનનું પ્રતીક એવો આ ફૅસ્ટિવલ તેની 26મી આવૃત્તિ માટે 31 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી, 2026 સુધી યોજાશે. આ ફૅસ્ટિવલની ઉજવણી દરરોજ સવારે 10:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી મુંબઈના ઐતિહાસિક કાલા ઘોડા સંકુલ ખાતે યોજાશે. આ વર્ષે, કાલા ઘોડા આર્ટ્સસ ફૅસ્ટિવલની થીમ ‘અહેડ ઑફ ધ કર્વ | અ સ્ટેપ અહેડ ઑફ ટાઈમ’ છે. આ થીમ દ્રષ્ટિ, નવીનતા અને સાંસ્કૃતિક નેતૃત્વની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે વર્તમાનથી આગળ જોવાની અને ભવિષ્યનું ચિત્ર બનાવવાની ક્ષમતાને દર્શાવે છે.

12 January, 2026 05:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વૉલનટ કાફે

ફિલાડેલ્ફિયાના અનન્ય આકર્ષણો અને અનુભવોની 3-દિવસની યાત્રાનું પ્લાનિંગ આમ કરો

ફિલાડેલ્ફિયા તેના સમૃદ્ધ ઇતિહાસ અને અમેરિકન પરંપરાઓ માટે પ્રસિદ્ધ છે, પરંતુ તે અનોખા આકર્ષણો અને અનુભવોનું ઘર પણ છે જે ફક્ત અહીં જ મળે છે, જેને ત્રણ દિવસમાં શ્રેષ્ઠ રીતે અન્વેષણ કરી શકાય છે. તસવીર સૌજન્ય - વૉલનટ સ્ટ્રીટ કાફે

10 December, 2025 10:48 IST | Philadelphia | Gujarati Mid-day Online Correspondent
સ્કાયટ્રી, ટોકિયો ઓબ્ઝર્વેશન ડેક

વિશ્વના ટોચના 5 ઓબ્ઝર્વેશન ડેક્સની એક મુલાકાત તો લેવી પડે

ઘણા પ્રવાસીઓ માટે, શહેરના સૌથી ઊંચા પોઇન્ટથી શહેરનું પેનોરેમિક દૃશ્ય મેળવવું એ એક આવશ્યક અનુભવ બની ગયો છે. ઓબ્ઝર્વેશન ડેક્સ માત્ર આશ્ચર્યજનક દૃશ્યો આપે છે એમ નથી, પરંતુ સ્કાયલાઇનને આકાર આપતી એન્જિનિયરિંગ, સંસ્કૃતિ અને મહત્વાકાંક્ષાની નજીકથી ઝલક પણ આપે છે. એશિયાથી લઈને યુએસ સુધી,  વિશ્વના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત ટાવર્સ અને ડેક્સ છે જે અવિસ્મરણીય વેન્ટેજ પોઇન્ટ સમાન છે, જાણીએ કયા ડેક્સ છે જે સર્વોત્તમ ગણાય છે. 

10 December, 2025 05:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK