Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


દાણેદાર હલવો મ્હોમાં પાણી લાવી દે તેવો છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ અમદાવાદની ચંદ્રિકા ડેરીના દાણેદાર દૂધના હલવાનો સ્વાદ માણે એ જ જાણે!

અમદાવાદમાં કેટલીક જગ્યાઓ એવી છે, જ્યાં પહોંચવા માટે કોઈ સરનામું યાદ રાખવાની જરૂર પડતી નથી; બસ નામ લો અને શહેરના લોકો રસ્તો બતાવી દે. નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાં આવેલી ચંદ્રિકા ડેરી પણ આવી જ એક અનોખી ઓળખ ધરાવે છે. બહારથી સાદી દેખાતી આ ડેરીની ઓળખ આજે માત્ર દૂધ, દહીં કે પનીર પૂરતી સીમિત નથી, પરંતુ અહીં બનતા દાણેદાર દૂધના હલવાની મીઠી પરંપરા સાથે જોડાયેલી છે. છેલ્લા છ દાયકાથી આ સ્વાદ અમદાવાદીઓની જીભ પર સ્વાદ અને મનમાં મીઠી યાદ બનીને જીવંત રહ્યો છે. કોઈ માટે આ હલવો બાળપણની સ્મૃતિ છે, કોઈ માટે તહેવારની મીઠાશ, તો કોઈ માટે પરિવારની વર્ષો જૂની પરંપરા! ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

28 August, 2026 09:08 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
આ લસ્સી પેટ ભરાય તેવી અને સ્વાદિષ્ટ છે - તસવીર  સૌજન્ય પૂજા સાંગાણી

Jyaafat:ઉપવાસમાં પણ મજાનો વિકલ્પ નડિયાદની મલાઈદાર જય કિશન લસ્સી

જેમ ચરોતરની ગલીઓમાં ખીચિયા પાપડના લોટની સોડમ હવાની સાથે વણાયેલી રહે છે, અને સુવર્ણ મંદિર અમૃતસર બહાર સવારના તાજા તડકામાં લસ્સીના ગ્લાસ ચમકી ઉઠે છે; બરાબર એવો જ એક જીવંત અને ગૌરવશાળી ઈતિહાસ મધ્ય ગુજરાતની સાક્ષરનગરી નડિયાદ પોતાની ભીતર સાચવીને બેઠું છે. જો તમે ક્યારેય નડિયાદ રેલવે સ્ટેશન બહાર પગ મૂક્યો હોય, તો સ્ટેશનની ધમાલ, રીક્ષાઓના હોર્ન અને મુસાફરોની દોડધામ વચ્ચે એક ખાસ જગ્યા તમારું ધ્યાન ચોક્કસ ખેંચશે. એ છે સુભાષનગરનું સિંધી માર્કેટ. અને આ જ સુભાષનગરના એક નાનકડા ખૂણેથી વહે છે એક એવો દૂધ-દહીંનો મીઠો પ્રવાહ, જેણે છેલ્લાં પાંચ દાયકાથી પણ વધુ સમયથી હજારો-લાખો સ્વાદપ્રિય લોકોના દિલ જીતી લીધા છે. આ જગ્યા એટલે `જય કિશન લસ્સી`. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

21 August, 2026 01:05 IST | Nadiad | Gujarati Mid-day Online Correspondent
ફરાળી થાળી એટલે ભક્તિ, સ્વાદ અને પોષણનો સુંદર સંગમ (તસવીર સૌજન્ય: પૂજા સાંગાણી)

જ્યાફતઃ શ્રાવણના ફરાળમાં પ્રોટીનનો પાવરફુલ તડકો આપી પોષણથી સજાવો ઉપવાસની થાળી

શ્રાવણ આવે એટલે ઘરમાં ભક્તિનો માહોલ ઘેરાય, મંદિરોમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજે અને રસોડામાં ફરાળની સુગંધ પ્રસરે. એક તરફ સંયમ અને સાધનાનો આ પવિત્ર મહિનો છે, તો બીજી તરફ ગુજરાતની ખાણીપીણીની પરંપરા માટે પણ આ સમય વિશેષ છે. કારણ કે ઉપવાસમાં પણ સ્વાદ સાથે સમાધાન કરવાની ગુજરાતીઓની તૈયારી ઓછી જ હોય. હવે તો ફરાળની થાળી પણ સમય સાથે બદલાઈ રહી છે જેમાં પરંપરાગત સાબુદાણા અને બટાટાની સાથે તેમાં મખાના, રાજગરો, મોરૈયો, સિંગદાણા, બદામ, પનીર, દહીં અને સૂકોમેવો જેવી સામગ્રીનો પ્રવેશ થયો છે. આવો જાણીએ એવી જ કેટલીક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફરાળી થાળી વિશે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

14 August, 2026 02:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અહીંના વડા પાંવનો સ્વાદ લાજવાબ છે અને સાથે મળે તળેલાં મરચાં - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ વસ્ત્રાલનું પ્રખ્યાત `ભાઉ કા વડાપાંવ` એટલે પાક્કો મુંબૈયા સ્વાદ

કેટલીક વાનગીઓના સ્વાદ એવા હોય છે, જે આપણને પળવારમાં કોઈ શહેરની ગલીઓમાં પહોંચાડી દે. ગરમાગરમ તેલમાં તળાતા બટાકાવડા થી લઈને લસણની તીખી સૂકી ચટણીની સોડમ, ઠેચાની તીખી ખુશ્બુ અને પટ્ટી મરચાંનો ચટાકો. આ ચારેય સુગંધ એકસાથે આવે એટલે મનમાં સૌથી પહેલું નામ આવે, મુંબઈનું વડાપાંવ. જે ત્યાં માત્ર નાસ્તો નથી; એ શહેરની ઓળખ છે, સંઘર્ષનું પ્રતીક છે અને લાખો લોકોના રોજિંદા જીવનનો હિસ્સો છે. પરંતુ જ્યારે આ જ મુંબઈનો અસલી સ્વાદ અમદાવાદના હૃદયમાં ધબકવા લાગે, ત્યારે એક પાક્કા ફુડી તરીકે ત્યાં પહોંચવું તો બને જ. આ જ ઉત્સુકતા મને પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં, મેટ્રો મોલની સામે, બાપા સીતારામ ચોકમાં આવેલી ભાઉ કા વડાપાંવ સુધી લઈ ગઈ.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

07 August, 2026 03:52 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સ્થાનિક લોકોએ એક જ નામ વારંવાર કહ્યું,

સિંધી પાણીપુરી, પાપડી ચાટ અને દહીંવડા માટે અમદાવાદીઓની પહેલી પસંદ બન્યું...

અમદાવાદનું નામ આવે એટલે મનમાં માણેકચોક, લો ગાર્ડન કે વસ્ત્રાપુરમા મળતા ગરમાગરમ સ્ટ્રીટ ફૂડના દ્રશ્યો તરત જ જીવંત થઈ જાય. પરંતુ શહેરના પૂર્વ ભાગમાં આવેલું કુબેરનગર, જેને અમદાવાદનું સિંધી હૃદય પણ કહેવામાં આવે છે, ત્યાંનો સ્વાદ કંઈક અલગ જ છે. અહીંની ગલીઓમાં ફરતા તમને સિંધી સંસ્કૃતિની સુગંધ તો મળશે જ, પરંતુ સાથે એવી વાનગીઓ પણ મળશે જે વર્ષો સુધી યાદ રહી જાય. થોડા દિવસ પહેલાં હું, મીના આંટી અને મિત્ર કમલ ટેકવાની સાથે એ જ સ્વાદની શોધમાં કુબેરનગરના રાજાવીર સર્કલ પહોંચી હતી. સ્થાનિક લોકોએ એક જ નામ વારંવાર કહ્યું, "Best Panipuri". નામ ભલે સાદું હોય, પરંતુ અહીં મળતો સ્વાદ ખરેખર પોતાના નામને સાર્થક કરે છે.

31 July, 2026 03:00 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સ્કૂટરના ગેરેજથી સ્વાદના સરનામા સુધી: મહેસાણાના સંજયભાઈની ‘પ્રજાપતિ ભાખરી શાક’ની પ્રેરણાદાયી સફર

જ્યાફતઃ સંજયભાઈની પ્રજાપતિ ભાખરી શાકમાં માણો અસલ મહેસાણી સ્વાદ અમદાવાદમાં

અમદાવાદમાં ગમે તેટલી વૈશ્વિક અને આધુનિક રેસ્ટોરન્ટ્સ ખુલે, પણ જો ભોજનમાં ઘર જેવો અમૃત સ્વાદ અને આદરપૂર્વક પીરસવાનો ભાવ ન હોય, તો અમદાવાદીઓ તેને નકારી દે છે. પરંતુ, જ્યારે મહેસાણાની અસલ, ખમીરવંતી મહેમાનગતિ અમદાવાદના આંગણે આવે, ત્યારે સ્વાદનો નવો જ ઇતિહાસ રચાય છે. આજે એક એવી જ અદ્ભુત અને પ્રેરણાદાયી સફરની વાત કરવી છે, જે માત્ર એક રેસ્ટોરન્ટની સફળતા નથી, પણ એક સામાન્ય માણસના અસામાન્ય સપનાની ઉડાન છે. આ સફર છે મહેસાણાના વતની સંજયભાઈ પ્રજાપતિની. તેમણે ક્યારેક હાથમાં પાના-પક્કડ પકડીને સ્કૂટરના ગેરેજમાં મિકેનિક તરીકે જિંદગીના સંઘર્ષની શરૂઆત કરી હતી, પણ આજે તેમનું નામ અમદાવાદના ખૂણે-ખૂણે ફૂડ લવર્સની જીભ પર રમે છે. તેમની બ્રાન્ડ ‘પ્રજાપતિ ભાખરી શાક’ માત્ર ૮ જ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર અમદાવાદ શહેરમાં ધૂમ મચાવી રહી છે.​ ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

24 July, 2026 05:29 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
રગડા પેટીસ અને ભોલેનાથ પેટીસ - તસવીરો પૂજા સાંગાણી

જ્યાફતઃ અસલ સિંધી રગડા પેટીસનો સ્વાદ મળશે કુબેરનગરની `ભોલેનાથ પેટીસ`માં

ચોમાસાની ઝરમર વરસાદી સાંજ... હવામાં ભીની માટીની સુગંધ ભળી રહી હતી અને મન કંઈક ગરમાગરમ, તીખું અને ચટપટું ખાવા માટે તલપાપડ બની ગયું હતું. આવી જ એક સાંજે મારી સફર પહોંચી અમદાવાદમાં સિંધી સમુદાયના હૃદય સમાન કુબેરનગર વિસ્તારમાં આવેલા રાજાવીર સર્કલ પાસે, Bholenath Pettis & Food Point ખાતે. જ્યાં છેલ્લા 55 વર્ષથી એક એવો સ્વાદ જીવંત છે, જે માત્ર પેટ જ નથી ભરતો, પરંતુ ત્રણ પેઢીઓની મહેનત, પરંપરા અને વિશ્વાસની કહાની પણ કહે છે. દૂરથી જ મોટી કડાઈમાં ધીમે ધીમે ઉકળતો સફેદ વટાણાનો ઘટ્ટ રગડો, વિશાળ તવા પર સોનેરી રંગે શેકાતી પેટીસ અને તાજી કોથમીરની સુગંધ મને સીધી જ આ ફૂડ પોઇન્ટ સુધી ખેંચી ગઈ. ત્યાં પહોંચતા જ સમજાઈ ગયું કે અહીં લોકો માત્ર નાસ્તો કરવા નથી આવતા, પરંતુ વર્ષોથી મનપસંદ બની ગયેલો સ્વાદ ફરી એકવાર માણવા આવે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

17 July, 2026 05:37 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પુરી પછી દેશની બીજી સૌથી મોટી આ અમદાવાદની રથયાત્રા માત્ર શોભાયાત્રા નથી, તે ૧૮૭૮થી ચાલી આવતી, ભક્તિ, પરંપરા, સેવા અને સ્વાદનો જીવંત લોકોત્સવ છે.

જ્યાફતઃ અષાઢી બીજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પીરસાતા મહાપ્રસાદનો રસપ્રદ મહિમા

"ભૂખ્યા ભજન ના થાય રે ગોપાલા..." આ એક વાક્યમાં આપણી આખી સંસ્કૃતિ વસે છે. કારણ કે જ્યારે પેટ તૃપ્ત હોય, ત્યારે જ મન ભક્તિમા લીન થાય. કહેવાય છે ને, "પ્રભુ ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવાડતા નથી." કીડીથી હાથી સુધી, સૌના જઠરાગિ્નની જવાબદારી એ જગતનાથે ઉપાડી છે. મૂળ વાત એ છે કે ઇશ્વર દયાળુ છે અને તે સૌનું કલ્યાણ કરે છે. તો ચાલો આજે હું તમને રથયાત્રાના દિવસે ભક્તોના હૃદયને સૌથી વહાલી એવી પરંપરાગત મહાપ્રસાદી ખીચડીનો મહિમા સંભળાવતા તેની પાછળ રહેલી ભક્તિની એ અમર કથાનો અનુભવ કરાવીશ અને તમે ઘરે આસાનીથી બનાવી શકો એટલે તેની ખાસ શાહી રેસિપી શેર કરીશ. ગુજરાતભરની આસ્થાનું ધામ એટલે અમદાવાદ-જમાલપુરનું ભવ્ય જગન્નાથ મંદિર. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન દેવા નીકળે છે. અને આ નગરયાત્રાને આપણે રથયાત્રા તરીકે પૂજીએ છીએ. આ વર્ષે ૧૬ જુલાઈ, ગુરુવારે, અષાઢ સુદ બીજના પાવન દિવસે ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા સજશે. “જય રણછોડ, માખણચોર”ના નાદથી આખું અમદાવાદ ભક્તિમાં તરબોળ થશે. કાળઝાળ ગરમીને કારણે વહેલી સવારે નાથ લાલ મખમલી વાઘા, સોનેરી બખતર અને મોતીના શણગારમાં દર્શન આપશે. પુરી પછી દેશની બીજી સૌથી મોટી આ અમદાવાદની રથયાત્રા માત્ર શોભાયાત્રા નથી, તે ૧૮૭૮થી ચાલી આવતી, ભક્તિ, પરંપરા, સેવા અને સ્વાદનો જીવંત લોકોત્સવ છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

10 July, 2026 12:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK