Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


જુનાગઢનું કાવા બજાર શિયાળામાં લોકોને માટે મનગમતું સ્થળ બની જાય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ જૂનાગઢમાં શ્રદ્ધા, સ્વાસ્થ્ય અને સ્વાદનું સરનામું કાવા બજાર

જૂનાગઢ... આ નામ કાને પડતાની સાથે જ આંખ સામે ગિરનારના ગગનચુંબી શિખરો, ભવનાથના મેળામાં ગુંજતો શંખનાદ અને સોરઠી ધરતીની એ સોડમ જીવંત થઈ ઉઠે છે. પણ વાંચકો, આ વખતે મારે તમારી સાથે જૂનાગઢના ઇતિહાસની નહીં, પણ ત્યાંના રસ્તાઓ પર લહેરાતી એક અનોખી સુગંધથી મહેકતા બજારની વાત કરવી છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં, જ્યારે ગિરનારની ગિરીમાળાઓ ધુમ્મસની ચાદર ઓઢીને શાંત બેઠી હોય, ત્યારે ભવનાથની તળેટીમાં એક ખાસ બજાર ધમધમે છે, જે ‘ગિરનારી કાવા બજાર’ તરીકે ઓળખાય છે. આ માત્ર એક બજાર નથી, પણ શ્રદ્ધા, સ્વાસ્થ્ય અને સ્વાદનું એક એવું સંગમતીર્થ છે જ્યાં પહોંચ્યા પછી એમ લાગે કે જાણે કુદરતે પોતે આપણને જડીબુટ્ટીઓનું અમૃત પીરસવા માટે બોલાવ્યા છે. શિયાળાના દિવસોમાં જ્યારે આખું રાજ્ય ઠંડીથી ઠરતું હોય છે, ત્યારે ભવનાથનું તળેટી વિસ્તાર એક અનોખા ઉત્સવમાં ફેરવાઈ જાય છે. અહીં લાઈનબંધ 50 થી 60 કાવાની લારીઓ ધમધમતી જોવા મળે છે. લોકોની સાંજ પાડતા જ અહીં ભીડ જામવા લાગે છે અને જમ્યા પછી પ્રવાસીઓ ચા કે કૉફીના મોહને ત્યજીને આ આયુર્વેદિક ‘અમૃતપીણું’ પીવાનું પસંદ કરે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

02 January, 2026 06:16 IST | Junagadh | Gujarati Mid-day Online Correspondent
સી ફૂડ ગમ્બો લોકપ્રિય વાનગી છે

લ્યુઇસિયાનાના આઇકોનિક ડિશીઝ માણવાની ઇનસાઇડર ગાઈડ

લ્યુઇસિયાનાની રસોઈશૈલી એ વિવિધ સંસ્કૃતિઓ, સમુદાયો અને પરંપરાઓ દ્વારા આકાર પામેલા સ્વાદનું એક આકર્ષક મિશ્રણ છે. રાજ્યની સૌથી લોકપ્રિય વાનગીઓ ત્યાંના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવે છે. ક્રિઓલ (Creole) ભોજન, જેનો ઉદ્ભવ ન્યૂ ઓર્લિયન્સમાં થયો હતો, તે યુરોપિયન, આફ્રિકન અને કેરેબિયન રસોઈ પદ્ધતિઓનું મિશ્રણ છે. તેનાથી વિપરીત, કેજુન (Cajun) રસોઈશૈલી ૧૮મી સદીના ફ્રેન્ચ-એકેડિયન નિર્વાસિતો દ્વારા વિકસાવવામાં આવી હતી જેઓ દક્ષિણ-પશ્ચિમ લ્યુઇસિયાનાના ભેજવાળા પ્રદેશો (swamps) અને મેદાનોમાં સ્થાયી થયા હતા. જાણો અહીંના વિશેષ ડિશીઝ વિશે.  સૌથી પહેલાં વાત કરીએ લ્યુઇસિયાનાની આ સત્તાવાર વાનગી ડાર્ક `રુક્સ` (લોટ સાથે મિશ્રિત માખણ અથવા તેલ), ચોખા, સીફૂડ અથવા ચિકન અને સોસેજ, તથા "ધ ટ્રિનિટી" (ડુંગળી, કેપ્સિકમ અને સેલરીનું મિશ્રણ) અને ઘણીવાર ભીંડાનું અદભૂત મિશ્રણ છે. દક્ષિણ લ્યુઇસિયાનામાં શ્રેષ્ઠ ગમ્બો ખાવા માટે ચાલમેટ્સમાં આવેલ `રોકી એન્ડ કાર્લોસ` (Rocky and Carlo`s) ની મુલાકાત લો. નોર્થઈસ્ટ લ્યુઇસિયાનામાં, મોનરો ખાતે આવેલું `વેરહાઉસ નંબર ૧` (Warehouse No. 1) સીફૂડ ગમ્બો માટે શ્રેષ્ઠ સ્થળ છે.(તસવીર સૌજન્ય - પીઆર)

29 December, 2025 02:24 IST | Louisiana | Gujarati Mid-day Online Correspondent
આ રેસ્ટોરાં ૯૫ વર્ષ જૂના વારસાને આગળ વધારી રહી છે.

ગિરગામના ઑથેન્ટિક ફૂડનો ટેસ્ટ માણવો હોય તો ધ ગિરગામ કિચન પહોંચી જજો

હેરિટેજ વૉકની સાથે જો હેરિટેજ ફૂડના પણ શોખીન હો અને જો દક્ષિણ મુંબઈના આ વિસ્તારમાં આજથી સદી પહેલાં એટલે કે સ્વતંત્રતા પહેલાં કેવું ફૂડ મળતું એ જાણવાની ક્યુરિયોસિટી હોય તો આ પ્લેસ વિઝિટ કરવા જેવી છે

27 December, 2025 02:24 IST | Mumbai | Kajal Rampariya
પાંવ કે પેટિસ વગર ખવાતો આ રગડો લોકોમાં બહુ લોકપ્રિય છે -  તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ નડિયાદમાં વર્લ્ડ ફેમસ એટલે ચીમનકાકાનો સ્વાદિષ્ટ પાંવ-પેટીસ વિનાનો રગડો

સાક્ષરભૂમિ તરીકે ઓળખાતું ગુજરાતનું નડિયાદ એવું શહેર છે, જેણે દુનિયાને સરદાર પટેલ જેવા લોખંડી પુરુષ આપ્યા છે. નડિયાદ માત્ર શિક્ષણ અને સંસ્કારનું કેન્દ્ર નથી, પરંતુ ચટાકેદાર વાનગીઓ માટે પણ જાણીતું ધામ છે. અને જ્યારે તમે નડિયાદમાં હોવ અને કોઈને પૂછો કે, “અહીંયાનું સૌથી ફેમસ શું?” તો જવાબમાં ‘નડિયાદી ભૂસું’ કે પંજાબ બેકરીના પફ તો આવે જ, પણ સાથે એક નામ આદરપૂર્વક લેવાય છે, અને તે છે ચીમનકાકાનો સેવ રગડો. મેં સાંભળ્યું હતું કે આ રગડો ખાવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. એટલે જ, મારી નડિયાદ યાત્રા દરમિયાન વહેલી સવારે હું મીના આંટી, ધુવેશભાઈ અને સાહિલભાઈ સાથે કારસાથી આનંદભાઈને લઈને નડિયાદના ‘મોગલકોટ’ વિસ્તાર તરફ રવાના થઈ હતી. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

26 December, 2025 02:00 IST | Nadiad | Gujarati Mid-day Online Correspondent
ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી જાણીએ આ હેલ્ધી ક્રિસમસ ટ્રીટ્સની રેસિપીઝ

આજે ઘરે આ હેલ્ધી ક્રિસમસ ટ્રીટ્સ ટ્રાય કરો

ક્રિસમસ આપણે ઊજવીએ કે નહીં પણ એ દિવસે કેક, કુકીઝ, સૅન્ડવિચ જેવી બેકરી પ્રોડક્ટ ખાવાની ઇચ્છા થઈ જ આવે. ઘણાં ઘરોમાં બાળકોની મજા માટે પણ ક્રિસમસ-પાર્ટી થતી હોય છે. ત્યારે ઘરે આ અતિ સુંદર દેખાતી, ખૂબ સરળતાથી બનતી અને એકદમ હેલ્ધી એવી ક્રિસમસ ટ્રીટ્સ બનાવી શકાય છે. એ એટલી જ ટેસ્ટી પણ બને છે અને પ્રેઝન્ટેબલ હોવાને કારણે લોકો ખુશી-ખુશી એ ખાશે. ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી જાણીએ આ હેલ્ધી ક્રિસમસ ટ્રીટ્સની રેસિપીઝ. (શબ્દાંકનઃ જિગીષા જૈન)

25 December, 2025 11:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હાટકેશ્વર ચીકી બજારમાં અઢળક વેરાયટીની ચીકી મળે છે તે પણ વાજબી કિંમતે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ અમદાવાદનું હાટકેશ્વર ચીકી બજાર એટલે શિયાળાની લહેજત

આમ તો શહેરના વિવિધ વિસ્તારોમાં તમને ડગલે અને પગલે શાકભાજી માર્કેટ અને ખાઉ ગલી જોવા મળી જશે, પણ અમદાવાદના ખોખરા-હાટકેશ્વર વિસ્તારની વાત જ કંઈક અલગ છે. અહીં કોઈ સામાન્ય બજાર નહીં, પણ આખેઆખું `ચીકી બજાર` ધમધમે છે, જે કદાચ ગુજરાતમાં એકમાત્ર `ચીકી બજાર` તરીકે જાણીતું છે. સેવંથ ડે સ્કૂલથી શરૂ કરી રાખીયાલ ચાર રસ્તા સુધી નજર નાખો તો તમને લાઈનબંધ ચીકીની દુકાનોની વણઝાર જોવા મળશે, જે સાબિત કરે છે કે આ વિસ્તાર ચીકીના શોખીનોનું સ્વર્ગ છે. જોકે અમદાવાદ એટલે બદલાતી ઋતુઓ સાથે બદલાતા સ્વાદનો એક જીવંત કેનવાસ. વાત કરીએ શિયાળાની, તો ઠંડીના આગમન સાથે જ આ શહેરની ગલીઓમાં એક અલગ જ ગરમાહટ ફેલાય છે, જે હવામાનની ઠંડકને પણ હરાવી દે છે. બરાબર આ જ સમયે, બજારમાં પ્રવેશ થાય છે તન-મનને ટનાટન રાખતી, પરંપરાગત શિયાળુ વાનગી ચીકીનો. આમ તો ચીકી છૂટીછવાઈ દુકાનો કે ઘરોમાં અનેક જગ્યાએ મળી રહે છે, પણ આ વખતે, એક સાચા ફૂડ એક્સપ્લોરર તરીકે મારી સફર મને શહેરના એક એવા છુપાયેલા ખજાના તરફ દોરી ગઈ, જ્યાં આ શિયાળુ વાનગીનો મસ્ત મેળાવડો જામે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

19 December, 2025 04:30 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
એકદમ ફરસું અને સ્વાદમાં મજેદાર પંજાબ બેકરી પફ- તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ નડિયાદની શાન અને સ્વાદશોખીનોની `જાન` એટલે પંજાબ બેકરીના `કિંગ ઓફ પફ`

ગુજરાત પાસે ખાણીપીણીનો એવો અખૂટ ખજાનો છે કે દરેક ગામમાં કોઈ એક પ્રખ્યાત વાનગી તો હોય જ. એમાંય જો વાત `સાક્ષરભૂમિ` નડિયાદની હોય, તો ત્યાંનો તો મિજાજ જ કંઈક ઓર છે. સામાન્ય રીતે લોકો નડિયાદને પૂજ્ય સંતરામ મહારાજના મંદિર અને ત્યાં મળતા તીખા-તમતમતા ભુસા એટલે કે ચવાણું માટે ઓળખે છે, પણ જો તમે માત્ર ભુસું ખાઈને પાછા ફર્યા હોવ, તો તમારી નડિયાદની મુલાકાત અધૂરી ગણાશે. તાજેતરમાં જ શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆતમાં એક કૌટુંબિક પ્રસંગે મારે મીના આંટી સાથે નડિયાદ જવાનું થયું અને નડિયાદી ભૂમિ પર પગ મૂકતા જ જાણે તેની પ્રખ્યાત વાનગીઓ મને આમંત્રણ આપતી હોય તેમ પેટમાં ભૂખ સળવળી ગઈ.  એટલે અમે અમારા ફુડી મિત્ર ધ્રુવેશભાઈને ફોન કરી કહ્યું, કંઈક એવું ખવડાવો, જે નડિયાદ સિવાય બીજે ક્યાંય ન મળે અને તેઓ સાથે હોય એટલે બીજું પૂછવું જ શું?  તેઓ અમને `કિંગ ઓફ પફ` પાસે એટલે કે સંતરામ રોડ પર આવેલી પ્રખ્યાત `પંજાબ બેકરી` તરફ લઈ ગયા.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

12 December, 2025 12:23 IST | Nadiad | Gujarati Mid-day Online Correspondent
યુનેસ્કોએ તાજેતરમાં ‘ક્રીએટિવ સિટી ઑફ ગૅસ્ટ્રોનોમી’માં જેને સ્થાન આપ્યું એ લખનઉ શહેરના સમૃદ્ધ અને સંપન્ન ખાનપાનના ઇતિહાસ અને વર્તમાનમાં એક ડોકિયું કરીએ

નવાબ અને કબાબના શહેર તરીકે ઓળખાતા લખનઉના લાજવાબ ફૂડ વિશે કેટલું જાણો છો?

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ એવું શહેર છે જ્યાં દરેક ગલીમાં નવાબોની વાર્તાઓ ગુંજે છે, જ્યાંનાં સ્થાપત્યો ભૂતકાળના યુગની ગાથા ગાય છે અને જ્યાંનું ભોજન સદીઓથી સાંસ્કૃતિક ઉત્ક્રાન્તિનો જીવંત પુરાવો આપે છે. લખનઉની પાકકલા આ શહેરની વિરાસતમાં વસેલી છે. શહેરનો ઇતિહાસ અને એની ઓળખાણ આજે એના ભોજનને લીધે જ થાય છે એટલું જ નહીં, વૈશ્વિક સ્તરે પણ અહીંના ખાનપાનની ચર્ચા થાય છે. એટલે જ લખનઉને યુનેસ્કોએ એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક અૅન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશને તાજેતરમાં ક્રીએટિવ સિટી ઑફ ગૅસ્ટ્રોનોમીમાં સ્થાન આપ્યું છે. આ સન્માન ગૅસ્ટ્રોનોમી એટલે કે અહીંની પાકકલા માટે છે. અહીંની પાકકલા જીભને સ્વાદિષ્ટ વ્યંજનો પૂરાં પાડવા સુધી સીમિત નથી, એમાં રાંધવાનું વિજ્ઞાન પણ સંકળાયેલું છે.  લખનઉ એના અવધી ખાનપાન અને વૈવિધ્યસભર વારસા માટે જાણીતું છે. અવધના જે સમૃદ્ધ અને શાનદાર સ્વાદ-વારસાને વૈશ્વિક સ્તરે પ્રશંસા મળવા જઈ રહી છે એ માત્ર લખનઉ કે ઉત્તર પ્રદેશ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશ માટે ગર્વ લેવા જેવી વાત છે. આ અગાઉ હૈદરાબાદને યુનેસ્કો દ્વારા ક્રીએટિવ સિટી ઑફ ગૅસ્ટ્રોનૉમીમાં સ્થાન મળ્યું હતું. ત્યાર બાદ લખનઉ બીજું એવું શહેર બન્યું છે જેને આ ખિતાબ મળ્યો છે. અર્થાત્, અહીંની પાકકલામાં કંઈક તો એવો જાદુ છે અને અહીંના સ્વાદમાં એવી તો કોઈ ખાસિયત છે જેને લીધે યુનેસ્કો પાસેથી એને આ વિશેષ ખિતાબ મળ્યો છે.  યુનેસ્કો કેવી રીતે પસંદગી કરે છે? જે શહેરમાં ખાવાનું બનાવવું માત્ર સ્વાદેન્દ્રિયની સંતુષ્ટિ પૂરતું સીમિત ન હોય અને એમાં જીવનશૈલી, ઇતિહાસ તથા પરંપરા પણ સામેલ હોય એને ગૅસ્ટ્રોનોમી કૅટેગરીમાં સામેલ કરવામાં આવે છે. એટલે કે રસોઈમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને રસોઈ બનાવવામાં પરંપરાગત પદ્ધતિ જળવાઈ રહેલી હોય તેમ જ આ શહેરના ફૂડમાં ન્યુટ્રિશન લેવલ અને બાયો-ડાઇવર્સિટી પર પણ ધ્યાન આપવામાં આવતું હોય એવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શહેરને ગૅસ્ટ્રોનોમી કૅટેગરીમાં સામેલ કરવામાં આવે છે. લખનઉ આ તમામ કૅટેગરીમાં સામેલ થતું હોવાથી એને યુનેસ્કોની ક્રીએટિવ સિટી ઑફ ગૅસ્ટ્રોનોમીમાં સ્થાન આપવામાં આવ્યું છે. લખનઉ જ કેમ? યુનેસ્કોએ જ્યારે ગૅસ્ટ્રોનોમીની યાદીમાં લખનઉનું નામ જાહેર કર્યું ત્યારે દરેકના મનમાં પ્રશ્ન ઊભો થયો હતો કે લખનઉ જ કેમ? ભારતનાં અનેક શહેર છે જે એનાં ખાનપાનને લઈને પ્રસિદ્ધ છે અને કેટલાંક તો ઊંડો ઇતિહાસ પણ ધરાવે છે. તો કેટલાંક શહેરોનાં વ્યંજનો વિશ્વભરમાં વખણાય પણ છે. તો તમને જણાવી દઈએ કે એનું કારણ છે સદીઓ જૂની અવધી વાનગીઓ. લખનઉ એના અવધી વ્યંજન માટે ખૂબ પ્રખ્યાત છે જેમાં શાકાહારી અને માંસાહારી એમ બન્નેનો સમાવેશ થાય છે. લખનઉનું ભોજન સંસ્કૃતિથી અલગ નથી. એ એક સંસ્કૃતિ જ છે. દરેક વાનગી રાંધણકળાની આગવી પરંપરાઓની ગાથા રજૂ કરે છે. ઇતિહાસકાર રાણા સફવીએ એક લેખમાં લખ્યું હતું કે લખનઉમાં જ્યારે નવાબો વસતા હતા ત્યારે તેમના દ્વારા કરવામાં આવતી અલગ-અલગ પ્રકારની સિફારિશ અને જરૂરિયાતના આધારે વિવિધ સામગ્રી અને પદ્ધતિથી કબાબ, બિરયાની વગેરે બનાવવામાં આવતાં અને નવાબો સમક્ષ રજૂ કરવામાં આવતાં. નવાબો તો હવે અહીં રહ્યા નથી પરંતુ તેમની ફરમાઈશ પર બનાવવામાં આવતી વિશેષ પ્રકારની વાનગીઓ હજી પણ લખનઉમાં એ જ ઢબે બને છે.  અવધી વાનગીઓનો ઇતિહાસ દરેક જગ્યાએ લખનઉની વાનગીઓનો અલગ-અલગ ઇતિહાસ વર્ણવવામાં આવેલો છે પરંતુ જે સૌથી વધારે પ્રચલિત છે એ મુજબ, અવધી ભોજનનો ઇતિહાસ ૧૮મી સદીના અંતમાં નવાબોએ રાજધાની ફૈઝાબાદથી લખનઉ ખસેડી એ પહેલાંનો છે. કવિતાઓ અને વાર્તાઓમાં લખનઉનાં રાંધણકૌશલ્યનાં ઉલ્લેખ મળે છે. લખનઉનાં વ્યંજનો અને મિષ્ટાન્નનો ઇતિહાસ મુગલ અને નવાબી યુગ દ્વારા ઘડાયેલો છે જેમાં ફારસી અને ભારતીય પ્રભાવોને મિશ્ર કરીને અવધી ભોજન બનાવવામાં આવ્યું હતું. શાહી રસોડાંઓ દ્વારા કબાબ, બિરયાની અને કોરમા જેવી વાનગીઓ માટે દમ પુખ્ત જેવી તકનીકો વિકસાવી હતી. સમય જતાં આ શાહી વાનગીઓ લોકપ્રિય બની અને શહેરનું પ્રિય સ્ટ્રીટફૂડ બની ગયું. મુગલ સામ્રાજ્યના પતન પછી ઘણા ખાનસામા (શાહી રસોઈયા) રિયાસતો (રજવાડાંઓ) અને તાલુકદાર (જમીનદાર)માં સ્થળાંતર થયા. આમ અવધી શાસન હેઠળ શાહી ભોજનનો વિકાસ થયો અને કંઈક અનોખું બન્યું. મુખ્ય સમયગાળા અને એનો પ્રભાવ મુગલ યુગ : આ સમય દરમિયાન અવધી ભોજનનો પાયો નાખવામાં આવ્યો હતો જેમાં ફારસી પ્રભાવોએ નવી રસોઈશૈલીઓ અને ઘટકો રજૂ કર્યાં હતાં. નવાબી યુગ : લખનઉમાં અવધના શાસકોએ આ ભોજનને નવી ઊંચાઈએ પહોંચાડ્યું. શાહી રસોઈયાઓએ તકનીકોમાં સુધારો કર્યો અને નવી વાનગીઓ બનાવી. સ્ટ્રીટફૂડ ઉત્ક્રાન્તિ : સમય જતાં કબાબ અને બિરયાની જેવી આ અત્યાધુનિક વાનગીઓ, મહેલોથી શહેરનાં બજારોમાં ખસેડવામાં આવી જ્યાં એ પ્રખ્યાત સ્ટ્રીટફૂડ સંસ્કૃતિનો આધાર બની. લખનઉનાં ભોજનની વિશેષતા લખનઉનાં ભોજનનો સ્વાદ અન્ય ઘણી ભારતીય પ્રાદેશિક વાનગીઓ કરતાં તદ્દન વિપરીત છે. સીલબંધ કન્ટેનરમાં ધીમી આંચે પકવીને વાનગીમાં ખાસ ફ્લેવર ઉમેરવાની પદ્ધતિ જેને દમ આપવો કહેવાય છે એ અને શુદ્ધ મસાલાનો ઉપયોગ લખનઉની ખાસિયત છે. લખનઉનાં ભોજનની એક ઓળખ એ છે કે એમાં એલચી, લવિંગ, તજ અને કેસર જેવા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે જે એક અલગ પરંપરાગત સ્વાદ આપે છે. આ રાંધણવારસામાંથી જન્મેલી વાનગીઓમાં કબાબ, લખનવી બિરયાની અને શીરમલનો સમાવેશ થાય છે. નવાબોના શહેરની પ્રતિષ્ઠિત વાનગીઓ લખનઉના રાંધણવારસાની કોઈ પણ ચર્ચા એની પ્રતિષ્ઠિત વાનગીઓનો ઉલ્લેખ કર્યા વિના પૂર્ણ થતી નથી. નો ડાઉટ અહીં નૉન-વેજ ફૂડની વરાઇટી વધારે છે અને એ ફેમસ પણ એટલાં જ છે, તેમ છતાં અહીં શાકાહારી ડિશમાં પણ એટલું જ વૈવિધ્ય છે જેમ કે વેજ કબાબ, વેજ બિરયાની, આલૂ રસેદાર, તેહરી (શાકભાજીવાળા ભાત), કચોરી અને બાસ્કેટ ચાટ જેવી વાનગીઓ. મિષ્ટાન્નમાં મખ્ખન મલાઈ, શીરમલ અને મલાઈ પાન આવે છે. હરદયાલ મૌર્યની બાસ્કેટ ચાટ લખનઉની વાત થતી હોય અને એમાં ચાટ-આઇટમ પર ચર્ચા થઈ રહી હોય ત્યારે હરદયાલ મૌર્યનું નામ યાદ આવ્યા વગર ન રહે. તેમની ચાટ-આઇટમ અને ખાસ કરીને બાસ્કેટ ચાટ એટલી પ્રખ્યાત છે કે તેઓ ચાટ કિંગ તરીકે પ્રખ્યાત છે. તેમના ફૂડને અનેક અવૉર્ડ પણ મળી ચૂક્યા છે. નેટફ્લિક્સના સ્ટ્રીટ ફૂડ : ઇન્ડિયા અને ઇન્ડિયા ટુડેના ટૉપ ૧૦ સ્ટ્રીટ ફૂડ લેજન્ડ્સમાં પણ હરદયાલનું નામ આવી ચૂક્યું છે. વાત જાણે એમ છે કે ૧૯૯૧ની સાલમાં તેમણે બાસ્કેટ પૂરી લૉન્ચ કરી હતી. એ બાસ્કેટ બટાટાની કતરણમાંથી બનાવવામાં આવી હતી અને એમાં થોડો ફૂડ કલર પણ ઉમેરવામાં આવ્યો હતો. એને બાસ્કેટના શેપમાં તળીને એની અંદર અલગ-અલગ ચાટ જેમ કે રગડા ચાટ, પાપડી ચાટ, દહીં ચાટ વગેરે નાખીને આપવામાં આવે છે. એટલે ચાટ આઇટમની સાથે બાસ્કેટને પણ ખાઈ શકાય છે. તેમણે રજૂ કરેલી આ આઇટમ એટલીબધી યુનિક હતી કે ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ આ આઇટમ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

07 December, 2025 03:54 IST | Lucknow | Darshini Vashi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK