મલયાલી ટેલીવિઝન એક્ટ્રેસ દિવ્યા શ્રીધરે પોતાનાથી 11 વર્ષ મોટા બાબા ક્રિસ વેણુગોપાલ સાથે લગ્ન કરી લીધા છે. એક્ટ્રેસને 38 વર્ષની વયે બીજી વાર પ્રેમ થયો. જેના પછી એક્ટ્રેસ દિવ્યાએ 30 ઑક્ટોબરના રોજ બાબા ક્રિશ વેણુગોપાલ સાથે લગ્નબંધનમાં બંધાઈ. લગ્નનાં ફોટોઝ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જુઓ તસવીરો...
આજે મુંબઈ સહિત રાજ્યભરમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. દસ દિવસ ચાલનાર આ તહેવારને લઈ જાણીતા ટીવી કલાકારો પણ હરખઘેલા થયા છે. ટેલિવિઝન સેલેબ્સે પણ પોતાના ઘરે બાપ્પાનું આગમન કર્યું હતું. જુઓ કેટલાક સ્ટાર્સના ઘરે થયેલ બાપ્પાની પધરામણીના ફોટોઝ
ભારતીય અનેક વર્ષોથી ટેલિવિઝન પર અનેક કલાકારોએ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી છે. આ દરેક કલાકારોને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. 1988ના મહાભારત ટીવી સિરિયલમાં નીતિશ ભારદ્વાજએ કરેલો શ્રી કૃષ્ણનો રોલ હોય કે રાધાકૃષ્ણમાં સુમેધ મુદગલકરની યુવા ઊર્જા સુધી, આ દરેક કલાકારોએ તેમના અભિનયથી પ્રેક્ષકોને મોહિત કર્યા છે. કૃષ્ણનું જ્ઞાન, રમતિયાળ લીલાઓ અથવા તેમની વ્યૂહાત્મક દ્રષ્ટિને દર્શાવતા આ રોલ દર્શકો પર અમીટ છાપ છોડી ગયા છે. 2024ની કૃષ્ણ જન્માષ્ટમી પર, અહીં જાણો એવા 10 કલાકારો વિશે જેમણે ભગવાન કૃષ્ણની ભૂમિકા અત્યંત નિષ્ઠાપૂર્વક ભજવીને આ સિરિયલને આજે પણ લોકો વચ્ચે લોકપ્રિય અને યાદગાર બનાવી દીધી છે. (તસવીરો: મિડ-ડે)
‘અનુપમા’ (Anupamaa) દ્વારા ઘર-ઘરમાં જાણીતા થયેલા અભિનેતા સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) પચ્ચીસ વર્ષથી અભિનય ક્ષેત્રે કાર્યરત છે. ‘અનુપમા’માં તે વનરાજ શાહની ભૂમિકા ભજવે છે. આ સિરિયલમાં તે બે વાર લગ્નબંધનમાં બંધાયો હોવા છતા સુખી નથી. પરંતુ રિયલ લાઈફમાં સાવ ઉલટું છે. તે એક ફેમેલી મેન છે. પત્ની મોના (Mona) સાથેની તેની લવ સ્ટોરી પણ બહુ જ મજેદાર છે. આજે અભિનેતાના જન્મદિવસે જાણીએ તેની લવસ્ટોરીની કેટલીક દિલચસ્પ વાતો.
(તસવીર સૌજન્ય : અભિનેતા સુધાંશુ પાંડેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 16 વર્ષથી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યું છે. શોમાં જેઠાલાલ અને દયાનું પાત્ર સૌથી પ્રખ્યાત છે, તેમ જ બાકીના પાત્રોએ પણ પ્રસિદ્ધિ મેળવી છે. શોમાં જેઠાલાલ ગડાનું પાત્ર ભજવનાર અભિનેતા દિલપી જોષીને આ રોલ ભજવ્યા બાદ બહુ પ્રસિદ્ધિ મળી છે, પણ તમને ખબર છે કે દિલપી જોષીના એક્ટિંગ કરિયરને નવી ઊંચાઈએ લઈ જનાર જેઠાલાલના રોલ તેની પહેલા અનેક અભિનેતાઓને ઓફર કરવામાં આવ્યો હતો પણ તેઓએ તેને નકારી કાઢ્યો હતો. તો જાણીએ કોણ છે આ એક્ટર્સ જેમણે જેઠાલાલનું પાત્ર ભજવવાની ના પાડી હતી...(તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા એકાઉન્ટ)
02 May, 2024 02:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુનવ્વર ફારુકીનું નામ હવે અજાણ્યું નથી. તાજેતરમાં જ મુન્નવર ફારુકીએ ગેટવે ઑફ ઈન્ડિયા ખાતે સેક્સ વર્કર્સ તેમ જ ટ્રાન્સજેન્ડર સમુદાય માટે રેમ્પ પર વૉક કર્યું હતું. આ રેમ્પ વૉક દરમિયાન તેણે તેના ચાહકોનો ખૂબ પ્રેમ માણ્યો હતો. જુઓ તસવીરો
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK