Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નઝર ના લગે કિસી કી : સુનીલ શેટ્ટી ‘હેરાફેરી 3’ને લઈને ચિંતા વ્યક્ત કરી

નઝર ના લગે કિસી કી : સુનીલ શેટ્ટી ‘હેરાફેરી 3’ને લઈને ચિંતા વ્યક્ત કરી

Published : 11 August, 2023 08:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘હેરાફેરી 3’ને લઈને ચિંતિત સુનીલ શેટ્ટીનું માનવું છે કે નઝર ના લગે કિસી કી. ફિલ્મનું શૂટિંગ હજી શરૂ નથી થયું. ફિલ્મની જાહેરાત બાદ એને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. આ ફિલ્મ ૨૦૦૦માં આવેલી ‘હેરાફેરી’ની ફ્રૅન્ચાઇઝી છે.

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી


‘હેરાફેરી 3’ને લઈને ચિંતિત સુનીલ શેટ્ટીનું માનવું છે કે નઝર ના લગે કિસી કી. ફિલ્મનું શૂટિંગ હજી શરૂ નથી થયું. ફિલ્મની જાહેરાત બાદ એને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. આ ફિલ્મ ૨૦૦૦માં આવેલી ‘હેરાફેરી’ની ફ્રૅન્ચાઇઝી છે. ૨૦૦૬માં ‘ફિર હેરાફેરી’ આવી હતી. આ ફ્રૅન્ચાઇઝીના ત્રીજા પાર્ટમાં પરેશ રાવલ અને અક્ષયકુમાર પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મ વિશે સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘અમે પ્રોમો શૂટ કર્યું છે. ફિલ્મની શરૂઆત થાય એની અમે રાહ જોઈ રહ્યા છીએ. આશા છે કે નજર ન લાગે કોઈની.’


પરેશ રાવલ અને અક્ષયકુમાર વિશે સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘હું હંમેશાંથી અક્ષયકુમાર અને પરેશ રાવલજીના સંપર્કમાં છું. પરેશજી અને હું અતિશય ક્લોઝ છીએ. અક્કી અને હું કદાચ ભાગ્યે જ મળીએ છીએ, પરંતુ અમે પણ એકબીજાની ખૂબ નજીક છીએ. આજે બૉલીવુડમાં તે અતિશય ફિટ ઍક્ટર છે. ૧૬ વર્ષ ક્યાં પસાર થઈ ગયાં એનો એહસાસ જ ન થયો. આ એક સારી વાત છે કે અમે ફરીથી ‘હેરાફેરી 3’માં સાથે આવવાના છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2023 08:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK