Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીનાને કઈ વાતનો વસવસો છે?

કરીનાને કઈ વાતનો વસવસો છે?

Published : 21 March, 2026 02:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહે છે કે હિન્દી ફિલ્મોમાં હિંસા પર ભાર, ફન અને રોમૅન્સ ગાયબ થઈ ગયાં છે એટલે મને મહિલાકેન્દ્રી ફિલ્મો માંડ-માંડ મળે છે

કરીના કપૂર

કરીના કપૂર


છેલ્લા કેટલાક સમયમાં ‘ઍનિમલ’, ‘જવાન’ અને ‘ધુરંધર’ જેવી ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ભારે સફળ રહી છે. આ કારણે સિનેમામાં હિંસા દર્શાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. બૉલીવુડની અત્યારની આ પરિસ્થિતિ વિશે કરીના કપૂરે પોતાનો મત વ્યક્ત કર્યો છે. કરીનાએ પોતાની લાગણી જણાવતાં કહ્યું હતું કે ‘હાલની ઘણી ફિલ્મોમાં ક્રાઇમ, રક્તરંજિત લડાઈ અને હિંસા પર વધુ ભાર મૂકવામાં આવે છે. હવે ફિલ્મોમાં ફન, રંગ, ગીત, પ્રેમ અને રોમૅન્સ જેવાં પરંપરાગત બૉલીવુડ તત્ત્વો ઓછાં જોવા મળે છે. આ જે પરિસ્થિતિ સર્જાઈ છે એના કારણે મને પોતાને મહિલાઓ માટે મજબૂત અને મહત્ત્વપૂર્ણ પાત્ર ધરાવતા હોય એવી સ્ક્રિપ્ટના બહુ ઓછા વિકલ્પ મળી રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK