Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `દેશી બોયઝ`ની સિક્વલ અને `ઓમકારા`ની રીમેક બનાવશે નિર્માતા આનંદ પંડિત

`દેશી બોયઝ`ની સિક્વલ અને `ઓમકારા`ની રીમેક બનાવશે નિર્માતા આનંદ પંડિત

Published : 22 December, 2022 01:25 PM | Modified : 22 December, 2022 03:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રોજેક્ટ માટે ઈરોઝ ઈન્ટરનેશનલ અને પરાગ સંઘવી સાથે હાથ મિલાવ્યા

તસવીર સૌજન્ય: પીઆર

તસવીર સૌજન્ય: પીઆર


નિર્માતા આનંદ પંડિતે (Anand Pandit) વર્ષ 2023 માટે પ્રોજેક્ટની પસંદગી કરવાનું શરૂ કરી દીધું છે. પીઢ નિર્માતાએ હવે ઈરોઝ ઈન્ટરનેશનલ (Erosmedia) અને પરાગ સંઘવી (Parag Sanghavi) સાથે સિક્વલ બનાવવા અને બે જૂની બ્લોકબસ્ટર ફિલ્મોના પુનઃનિર્માણ કરવા માટે હાથ મિલાવ્યો છે. તેઓ આગામી વર્ષે ઓમકારા (Omkara)ની રીમેક અને દેશી બોયઝ (Desi Boyz)ની સિક્વલ બનાવવા પર કામ કરશે.

આ સંદર્ભે ઇરોસ મોશન પિક્ચર્સના ચેરમેન સુનીલ લુલ્લા કહે છે કે “અમે આ ફિલ્મોના જાદુને પુનર્જીવિત કરવા માટે આનંદ પંડિત સાથે સહયોગ કરવા માટે ઉત્સાહિત છીએ જે અમારી યાદોમાં અમર્યાદિત રહી ગઈ છે. અમે ઘણીવાર વિચાર્યું છે કે અમારા મનપસંદ સિનેમેટિક પાત્રોનું શું થયું અને જો તેમની મુસાફરી તેમને આશ્ચર્યજનક દિશામાં લઈ ગઈ. આવા અનેક સવાલોના જવાબ આ ફિલ્મો આપશે.”



આનંદ પંડિત કહે છે કે, “હા, એ સાચું છે કે મેં બે આઇકોનિક ફિલ્મોની સિક્વલ અને રી-મેક બનાવવા માટે ઇરોઝ ઇન્ટરનેશનલ અને પરાગ સંઘવી સાથે હાથ મિલાવ્યો છે. આ બંને ફિલ્મો `ઓમકારા` અને `દેશી બોયઝ` તે સમયની વાર્તા કહેવાની, સ્ટાર કાસ્ટ અને સંગીત માટે ટ્રેલબ્લેઝર હતી. તે હજુ પણ તેમની સંબંધિત શૈલીઓ પર તેમની કમાન્ડ માટે લોકોને યાદ છે. આ હિટ ફિલ્મોને ફરીથી જોવાનો અને તેમની વાર્તાઓને દર્શકોની નવી પેઢી સુધી આગળ લઈ જવાનો આ યોગ્ય સમય છે.”


પરાગ સંઘવી કહે છે કે, "આ અદ્ભુત પ્રોજેક્ટ્સનો ભાગ બનીને હું ખરેખર રોમાંચ અનુભવું છું. આ ક્લાસિક હિટ ફિલ્મોના વારસાને આગળ લઈ જવો એ રોમાંચક રહેશે. ઇરોસ ઇન્ટરનેશનલ સાથેની ભાગીદારી ખૂબ રચનાત્મક છે.”

દેસી બોયઝએ 2011ની બોલિવૂડ રોમેન્ટિક કોમેડી છે, જેનું દિગ્દર્શન દિગ્દર્શક ડેવિડ ધવનના પુત્ર રોહિત ધવન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ અને ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં હતા, જ્યારે સંજય દત્ત કેમિયોમાં જોવા મળ્યો હતો.


આ પણ વાંચો: પહેલી અમેરિકન ટૂર માટે તૈયાર વાણી કપૂર

તો ઓમકારાએ 2006ની ભારતીય ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે, જે વિલિયમ શેક્સપિયરની ઓથેલો પરથી રૂપાંતરિત છે. તે વિશાલ ભારદ્વાજ દ્વારા સહ-લેખિત અને દિગ્દર્શિત છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર, સૈફ અલી ખાન, કોંકણા સેન શર્મા, વિવેક ઓબેરોય અને બિપાશા બાસુ સહિતના બોલિવૂડના ટોચના કલાકારો હતાં.

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2022 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK