Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કલા ગુર્જરી સંસ્થા શાસ્ત્રીય ગાન તેમ જ કચ્છ કલા ઉત્સવનું આયોજન

12 July, 2024 11:10 IST | Mumbai

કલા ગુર્જરી સંસ્થા શાસ્ત્રીય ગાન તેમ જ કચ્છ કલા ઉત્સવનું આયોજન

કલા ગુર્જરી સંસ્થા દ્વારા દુર્ગાદેવી, સરાફ ગુર્જર ગીત-શાસ્ત્રીય ગાન સ્પર્ધા- ૨૦૨૪નું આયોજન થયેલ છે. સંસ્થાનાં કાર્યાલય દશરથલાલ જોશી પુસ્તકાલય ભવન, ડી.જે. સ્ટેશન રોડ, વિલેપાર્લે, મુંબઈ ખાતે યોજાનારી આ સ્પર્ધાનો સેમિ ફાઈનલ રાઉન્ડ તા. ૪/૮/૨૪ના તથા ફાઇનલ રાઉન્ડ ૧૧/૮/૨૪ના દિવસે આયોજિત છે. ગાયનશૈલી શાસ્ત્રીય અને સુગમ રાખવામાં આવી છે. આ સ્પર્ધા જુદા જુદા ચાર વિભાગમાં યોજાશે, જેમાં કિશોર વિભાગ (૫થી ૧૫ વર્ષ), યુવા વિભાગ (૧૬થી ૪૦ વર્ષ), વયસ્ક વિભાગ (૪૧થી ૫૯ વર્ષ) તથા સિનિયર સિટીઝન વિભાગ (૬૦થી ઉપરના). આ સાથે જ આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા લોકોએ તા. ૩૧/૭ સુધી સંસ્થાના ફોન નં. ૯૫૯૪૨ ૬૧૯૬૦નો સંપર્ક કરવા ગુર્જર ગાન પેટા સમિતિના અધ્યક્ષ ડો. દિવ્યકાંત આચાર્ય, સંસ્થાના પ્રમુખ હેમાંગ થગલા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ત્રિવેદી તથા મંત્રી પ્રણવ ભગતની યાદીમાં જણાવાયું છે.

આ સાથે જ આ સંસ્થા દ્વારા કચ્છ કલા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કચ્છ કલા મહોત્સવનું આયોજન રવિવાર, ૨૮મી જુલાઈએ સાંજે પાંચ વાગ્યે અને નાણાવટી હૉસ્પિટલ ઑડિટોરિયમ, એસ.વી. રોડ, વિલે પાર્લે- પશ્ચિમમાં કરાયું છે. આ પ્રસંગે પૂર્વી કલાકેન્દ્ર ગ્રુપ ભુજ - કોરિયોગ્રાફર શૈલેશ સિંઘલ, પંચાલ ગ્રુપ મંડળ થાન, સુરેન્દ્રનગર- કોરિયોગ્રાફર યોગેશ પારડિયા ભાગ લેશે. સ કાર્યક્રમમાં કચ્છના રબારી અને ગઢવી કુટુંબની દીકરીઓ લોકનૃત્ય રજૂ કરવાની છે. પ્રવેશ નિઃશુલ્ક છે. વધુ માહિતી માટે મો. નં. ૯૫૯૪૨૬૧૯૬૦ ઉપર સંપર્ક કરવો.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK