Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૨૩ વર્ષની ઉંમરે પણ આ કુમારિકા મનનો માણીગર શોધે છે

૧૨૩ વર્ષની ઉંમરે પણ આ કુમારિકા મનનો માણીગર શોધે છે

Published : 15 October, 2024 03:59 PM | Modified : 15 October, 2024 04:08 PM | IST | Kenya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્યાનાં થેરેસા ન્યારાકાજુમ્બા નામનાં વૃદ્ધા ૧૨૩ વર્ષનાં છે અને આટલાં વર્ષ પછી પણ કોઈ મરદમૂછાળો મળે એની રાહ જોઈ રહ્યાં છે.

કેન્યાનાં થેરેસા ન્યારાકાજુમ્બા નામનાં વૃદ્ધા ૧૨૩ વર્ષનાં છે

અજબગજબ

કેન્યાનાં થેરેસા ન્યારાકાજુમ્બા નામનાં વૃદ્ધા ૧૨૩ વર્ષનાં છે


આશા અમર છે એવું કહેવાય છે, પણ ક્યાં સુધી એનો જવાબ શોધવાનું અઘરું થઈ પડે છે. કેન્યાનાં થેરેસા ન્યારાકાજુમ્બા નામનાં વૃદ્ધા ૧૨૩ વર્ષનાં છે અને આટલાં વર્ષ પછી પણ કોઈ મરદમૂછાળો મળે એની રાહ જોઈ રહ્યાં છે. પોતે આજે પણ કુંવારાં હોવાનો દાવો કરનારાં થેરેસા કહે છે કે પોતે યુવાન હતાં ત્યારે ઘણા પુરુષોને મેં પાસે આવવા નહોતા દીધા, કારણ કે એ સમયે કોઈ સ્ત્રી પુરુષ સાથે દેખાઈ જાય તો મહાપાપ ગણાતું હતું. એ સમયે મહિલાઓને પરવાનગી મળે ત્યાર પછી જ પુરુષોને મળી શકાતું અને પસંદ કરી શકાતું હતું. થેરેસાએ કહ્યું કે તેમના પરિવારે ક્યારેય આવી મંજૂરી આપી જ નહીં. પછી તેમને જ્યારે લગ્ન કરવાની ઇચ્છા થઈ ત્યારે ઉંમર વધી ગઈ હતી અને પુરુષોને આકર્ષી શકે એવાં યુવાન નહોતાં અને એટલે પોતે ૧૨૩ વર્ષે પણ કુંવારાં છે. સાવ એકાકી જીવન વિતાવતાં હોવાથી તેઓ કંટાળી ગયાં છે એટલે કોઈ સાથીની જરૂર છે એવું તેઓ માને છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2024 04:08 PM IST | Kenya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK